ભુજમાં ઘાસની ચિંતા નથી, ચેસના તાસીરા કરવા છે
Bhaskar News, Bhuj
| Aug 30, 2012, 01:45AM IST
આ બન્ને નેતા અને ગોરધન ઝડફિયાએ મોદી પર પ્રહારો કરવાની એક પણ તક જતી કરી ન હતી. ઘાસની વિકટ સ્થિતિ પર કેશુભાઇએ જણાવ્યું હતું કે, વીડીઓમાં ઘાસની ગંજીઓ પડી છે, જંગલખાતા પાસે પણ ઘાસ છે. આ ઘાસનો ઉપયોગ તાકીદે થવો જોઇએ. મેં ઉપરાઉપરી બે દુષ્કાળનો સામનો કર્યો હતો એમ જણાવીને પટેલે ઉમેર્યું હતું કે, તે સમયે મહારાષ્ટ્ર, પંજાબથી ઘાસચારો લાવવામાં આવ્યો હતો.
ચૂંટણીમાં પરિણામો બાદ કોઇ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરવાની વાત પણ ત્રણેય નેતાએ નકારી હતી. ત્રીજા મોરચાનો જન્મ મોડો કેમ થયો તેવા સવાલનો જવાબ આપતાં કેશુભાઇએ કહ્યું કે, જરા પણ મોડું નથી થયું બલકે, સમયસર થયો છે.
- મોદી નાટ્યકાર હોત તો વધુ સફળ થાત
૧૦-૧૨ વર્ષ પહેલા નેતૃત્વ પરિવર્તન થયું તેની વિગતો આપતા સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે ત્યારે અડવાણીના બંગલે લોનમાં મોદી દિવસભર પડયા રહેતા હતાં. પાગલ જેવું વર્તન કરતા હતાં. અડવાણી દાદ નહોતા આપતા એટલે કમલાભાભી મારફતે દબાણ કરાવ્યું હતું. અડવાણીએ અવારનવાર કેશુભાઇને કહ્યું કે આને ગુજરાત આવવું છે, આવવા દો નહીંતો પાગલ થઇ જશે કે પછી આત્મ હત્યા કરી લેશે. તેમણે કહ્યું કે મોદી નાટકકાર હોત તો વધુ સફળ થઇ શકયા હોત.





