વોશિંગ્ટન: માથામાં માઈગ્રેનના દર્દની આનુવાંશિક કડી પ્રથમ વખત મળી શકી છે. આ કડી ૫૦ હજારથી વધારે લોકોના આંકડાનો અભ્યાસ કર્યા બાદ મળી શકી છે. સંશોધકોને જાણવા મળ્યું હતું કે પીજીસીપી અને એમટીડીએચ/એઈજી-૧ જીન્સના આઠમાં ક્રોમોઝોમના ડીએનએમાં ફેરફાર થવાથી દર્દી માઈગ્રેનની ફરિયાદ કરે છે. આ ડીએનએ ગ્લુટામેટનું સ્તર નક્કી કરે છે. તેમાં ફેરફાર થાય તો મગજમાં ખોટો સંદેશો આવે છે અને માથામાં દર્દ શરૂ થઈ જાય છે.