કચ્છમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવાતાં વ્યસન મુિકત અભિયાનને સકારાત્મક પ્રતિસાદ સાંપડે છે ત્યારે ગઢશીશાના બસ સ્ટેશન વિસ્તારમાં એક કિશોરને બિન્દાસ રીતે ગુટખાને મોંમાં પધરાવતાં તેને જોનારાઓએ અચંબા સાથે ધ્úણાની લાગણી અનુભવી હતી.
ગામની તમામ શાળાઓ મળી અંદાજે ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે.
માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ રિસેસના સમય દરમિયાન કેટલાક નાસમજ વિદ્યાર્થીઓ પરાક્રમ કરતા હોય તેમ ગુટખાની અલગ-અલગ બ્રાન્ડ પોતાના ગલોફામાં દબાવે છે.
એક બાજુ સરકારે શિક્ષણ માટે કમર કસી છે તો બીજી બાજુ વ્યસનના રવાડે ચડી પાયમલ થઇ રહેલા આ ટીનેજર્સને કોણ રોકશે તેવો વેધક સવાલ પણ જાગૃત વાલીઓએ કર્યો હતો. તે સાથે તેમણે વ્યસનથી થતાં નુકસાનો અંગે શાળામાં સમયાંતરે પરિસંવાદો યોજવા સૂચન પણ કર્યું હતું.