વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ મોટી પરંતુ શાંત (ક્વોએટ જાયન્ટ) હસ્તી છે. જે ઈતિહાસ રચી શકે તેમ હતા મનમોહન સિંહ અંતર્મુખી વ્યક્તિ છે. આ વિશ્લેષણ અમેરિકાના સામયિક 'ટાઈમ' દ્વારા કરવામાં આવ્યું છે. મનમોહન સિંહ અંગે પત્રિકાએ લખે છે કે, ''તેઓ દુનિયાની બીજી સૌથી વધુ વસ્તીવાળા દેશ પર શાસન કરે છે. પરંતુ તેઓ ખુદને તબાહ કરી રહ્યાં છે.''પત્રિકા ઉમેરે છે કે, ''વડાપ્રધાન જીંદગીભર ટેક્નોક્રેટ રહ્યાં. જે ભારતીય રાજકારણના ઉતાર-ચડાવમાં ખુદને હંમેશા ફીટ બેસાડી શક્યા નથી. ''
-ક્વોએટ જાએન્ટ છે મનમોહન
-રાષ્ટ્રપિતા ગાંધી પણ અંતર્મુખીની યાદીમાં
-સ્ટિવ જોબ્સ બહિર્મુખી જ્યારે બિલ ગેટ્સ અંતર્મુખી
'ટાઈમ' મેગેઝીન દ્વારા દુનિયાના વિખ્યાત અંતર્મુખી અને બહિર્મુખી લોકોની યાદી બહાર પાડવામાં આવી છે. પત્રિકાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંતર્મુખી લોકોની યાદીમાં રાખ્યા છે. મહાત્મા ગાંધીને 'ટાઈમ' મેગેઝિને ક્રાંતિકારી ગણાવ્યા છે. જેમણે સમગ્ર દેશની દિશા બદલી નાખી. પરંતુ તેઓ ખુદમાં ઝાંકનારી વ્યક્તિ હતા. જે હંમેશા નિજાનંદમાં મગ્ન રહેતા હતા. આ યાદીમાં બેઝબોલ ખેલાડી જો ડિમાજિયો, ધાર્મિક નેતા મોઝેસ, હિલેરી ક્લિન્ટન, વૉરન બફેટ, બિલ ગેટ્સ અને મધર ટેરેસાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
'ટાઈમ'ની યાદીમાં બહિર્મુખી હસ્તીઓની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં બિલ ક્લિન્ટન, માર્ગારેટ થ્રેચર, સ્ટિવ જોબ્સ, બોરિસ યેલ્તસિન, મહંમદ અલી, વિસ્ટન ચર્ચિલ અને જ્યોર્જ ડબલ્યુ બુશને સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ 'વોલ સ્ટ્રિટ જર્નલ' દ્વારા પ્રધાનમંત્રી મનમોહનસિંહની કાબેલિયત પર સવાલ ઉઠાવ્યા હતા. અખાબરમાં પ્રકાશિત એક બ્લોગમાં ડૉ. મનમોહન સિંહને અર્થશાસ્ત્રી નહીં, ટેક્નોક્રેટ ગણાવવામાં આવ્યા હતા.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.