લિસબન. પોર્ટુગલના એક સંગ્રહાલયમાં રાખેલા 2200 વર્ષ જુના માનવની મમી ઉપર રિસર્ચ કરીને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ કે કેન્સરના રોગોનો સંબંધ, આંપણા શરીરો ઉપર અસર કરનારા ઔદ્યોગિક રસાયણો તેમજ હવામાન પ્રદૂષણ સાથે નહીં પરંતુ વારસાગત સાથે છે.
- પ્રાચીનકાળમાં માણસની રહેણી-કરણી આજ કરતા તદ્દન જૂદી હતી
- કેન્સર થવા પાછળ ઔદ્યોગિક કારણ જ જવાબદાર નથી
- આ મમીના હિપ અને સ્પાઇનના હાડકાઓ વચ્ચે કેટલાય ટ્યૂમર જોવા મળ્યા
- કેન્સરના વિસ્તારને મેટાસ્ટિટિક તબક્કો કહેવામાં આવે છે જે ખાસ્સો જીવલેણ સાબીત થાય છે
ઇન્ટરનેશનલ જર્નલ ઑફ પેલિયોપૈથોલોજીમાં પ્રકાશિત આ તાજા રિસર્ચમાં પ્રોફેસર સલીમા અકરમે જણાવ્યું કે પ્રાચીનકાળમાં માણસની રહેણી-કરણી આજ કરતા તદ્દન જૂદી હતી.
તે સમયે ના તો આજના જેવુ પ્રદુષણ હતુ કે ના તો જૈવિક રીતે વ્યહવારદક્ષ ખાદ્ય પદાર્થ, તો આનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે કેન્સર થવા પાછળ ઔદ્યોગિક કારણ જ જવાબદાર નથી.
પોર્ટુગલની રાજધાની લિસબન સ્થિત રાષ્ટ્રીય પુરાતત્વ સંગ્રહાલયમાં રાખેલી 285 થી 230 ઈસા પૂર્વ કાળની આ મમીના હિપ અને સ્પાઇનના હાડકાઓ વચ્ચે કેટલાય ટ્યૂમર જોવા મળ્યા છે. આ વ્યક્તિની મૃત્યુ 51 થી 60 વર્ષની વયે પ્રોસ્ટેટ કેન્સરના કારણે થઈ હતી.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ મમીનો ડિજીટલ એક્સ-રે નીકાળ્યા બાદ જાણવા મળ્યું કે ટ્યૂમર તેના હાડકાઓ સુધી ફેલાઈ ચુક્યું હતું. કેન્સરના વિસ્તારને મેટાસ્ટિટિક તબક્કો કહેવામાં આવે છે જે ખાસ્સો જીવલેણ સાબીત થાય છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.