જર્મનીના નાઝીઓએ યુરોપ સહિત સમગ્ર દુનિયામાં નરસંહારનો કાળો કેર વર્તાવ્યો હતો. માનવતાના દેહ પર પડેલા નિશાન હજૂ પણ જોવા મળે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ટાઈરોલ વિસ્તારમાં અધિકારીઓએ કેટલીક કબરો ખોદી કાઢી છે. જેમાંથી 200 જેટલા શબ ખોદી કાઢવામાં આવ્યા છે.
-60 વર્ષ પછી પણ નીકળે છે નાઝીઓની બર્બરતાના પૂરાવા
-અસક્ષમ હોવાના કારણે વિકલાંગ લોકોને મારી નાખતા હતા જર્મન નાઝીઓ
બરફ ઓગળતા જ ટાઈરેલની એક હોસ્પિટલમાં ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલી લાશો મળી આવી છે. કેટલાક શબના હાડકાં તૂટેલા છે. જેના આધાર પર શોધકર્તાઓ દ્વારા એવો કયાસ કાઢવામાં આવી રહ્યો છે કે, નાઝીઓના કાળમાં આ શખ્સો પર અત્યાચાર કરવામાં આવ્યો હશે. અથવા તો વિકલાંગ હશે પરંતુ હોસ્પિટલના સ્ટાફ દ્વારા માનસિક કે શારીરિક વિકલાંગતાના કારણે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોય.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રિયામાંથી કબરો મળી આવી હતી. નાઝી કાળમાં વિકલાંગ લોકોને મારી નાખવામાં આવતા હતા. કારણ કે, તેમને અસક્ષમ માનવામાં આવતા હતા. આવી રીતે હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. મરનારા લોકોની ઉંમર ટીન એજથી લઈને 90 વર્ષ સુધીન ી
તમારો મત
શું તમને લાગે છે કે, નાઝી અત્યાચારને વિશ્વનો ઈતિહાસ ક્યારેય ભૂલી શકશે ? શું આટલા મોટા નરસંહાર માટે માત્ર જર્મની જ જવાબદાર હતું? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.