ભારત અને રશિયાની જુની દોસ્તી પર મોસ્કોની કડકડતી ઠંડીની પણ ખાસ અસર ના થઇ. વડાપ્રધાન મનમોહનસિંઘ ગુરુવારે સાંજે મોસ્કો પહોંચ્યા ત્યારે વરસાદ થઇ રહ્યો હોવા છતાં સ્વાગતમાં કોઇ ઉણપ ના રહી. વડાપ્રધાન બે દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પ્રમુખ દમિત્રી મેદવેદેવ અને વડાપ્રધાન વ્લાદિમીર પુટિનને મળીને દ્રિપક્ષી હિતો અંગે ચર્ચા કરશે.
વડાપ્રધાન આ દરમિયાન કેટલાક નવા મુલ્કી પરમાણુ મથકો ઊભા કરવા વિષે પણ ચર્ચા કરી શકે છે. ભારતમાં પરમાણુ મથકોના મુદ્દે વિરોધ થઇ રહ્યો છે પણ સરકાર માને છે કે સરકાર કેટલાક વૈકલ્પિક સ્થળે પણ મથકો ઊભા કરી શકે છે. આ યાત્રા દરમિયાન રશિયા સાથે સબમરિનની ખરીદી અંગે પણ ચર્ચા થઇ શકે છે. ભારત આ સાથે ચીન અંગેની ચિંતાથી પણ રશિયાને વાકેફ કરશે.
ભારત-રશિયા એક નજર
બંને દેશો વચ્ચે ૬૫ વર્ષ પહેલાં સંબંધો સ્થપાયા હતા
૧૬ ડિસેમ્બરે (શુક્રવારે) રશિયા ડબ્લ્યુટીઓમાં સામેલ થઇ રહ્યું છે ત્યારે મનમોહનની આ યાત્રા મહત્વની
બંને દેશો દ્રિપક્ષી વેપારને ૯ અબજ ડોલરથી વધારીને ચાર વર્ષમાં ૨૦ અબજ ડોલર કરવા ઇચ્છે છે.