બાંગલાદેશને પાકિસ્તાન સૈન્યના ત્રાસથી મુક્તિ 16મી ડિસેમ્બર, 1971ના રોજ મળી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનને પરાસ્ત કરીને બાંગલાદેશને આઝાદી અપાવી હતી.
1971ના આ યુદ્ધ સાથે સંકળાયેલા કેટલાક મહત્વના મુદ્દા આ પ્રકારે છે....
- બાંગલાદેશ લિબ્રેશન વોર પાકિસ્તાન અને બાંગલાદેશ વચ્ચે થયું હતું.
- આ યુદ્ધ 26મી માર્ચ, 1971ના રોજ શરૂ થયું અને 16મી ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાની સૈન્યની શરણાગતિ સાથે પૂર્ણ થયું.
- આ યુદ્ધમાં બાંગલાદેશ, પાકિસ્તાન અને ભારતનો સમાવેશ હતો
- આ યુદ્ધ બાંગલાદેશમાં લડાયું હતું
- પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનમાં બાંગલાદેશવાસીઓના વિદ્રોહને કચડી નાખવા માટે બર્બરતા શરૂ કરી હતી. પાકિસ્તાનના અત્યાચારને રોકવા માટે ભારતે બાંગલાદેશને મદદ કરી હતી.
- 25મી માર્ચ, 1971ના રોજ પાકિસ્તાનના જનરલ ટિક્કા ખાને બંગાળીઓને કચડી નાખવા માટે ઓપરેશન સર્ચલાઇટ શરૂ કર્યું હતું. જે હેઠળ હજારો બાંગલાદેશવાસીઓને યોજનાપૂર્વક મારી નાખવામાં આવ્યા.
- 3જી ડીસેમ્બર, 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની મદદ માટે અમેરિકા અને ભારતની મદદ માટે સોવિએત સેના હિંદ મહાસાગરના રસ્તે આવી ગઇ હતી.