-સેનાની જમીન અને છાવણી બોર્ડને લઇને વિવાદ વકરવાની આશંકા
-છાવણીના વડા તરીકે સેનામાંથી જ અધિકારી આવે તેવો સેનાનો આગ્રહ જવાબદાર
તાજેતરમાં પાકિસ્તાની રાજકારણમાં નવો મામલો સામે આવ્યો છે. મોગેટ મામલાનો વિવાદ હજી જ્યાં શમ્યો નથી ત્યાં પાકિસ્તાની સરકાર અને સેનાની વચ્ચે ફરી નવેસરથી સંઘર્ષ છેડાઇ શકે છે. આ મામલો છાવણી બોર્ડ અને સૈન્ય ભુમિના નિયંત્રણને લઇને છે.
સૂત્રો પ્રમાણે સેનાની જમીન અને છાવણી વિભાગના નવા મહાનિર્દેશકની નિયુક્ત કરવાની પક્રિયાને લઇને સરકાર અને સેના આમને- સામને આવવાની સ્થિતિમાં છે.
સેનાના હાલના ડી જી મેજર જનરલ અતહર હુસૈન શાહ આગામી 20 ફેબ્રુઆરીએ રિટાયર્ડ થવાના છે કે જેઓ સેના જમીન અને છાવણી વિભાગના વડા પણ છે.
આ મુદે સેના ઇચ્છે છે આ સ્થાને તેમનામાંથી કોઇ વ્યક્તિને કોઇ સત્તા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સેના અને સરકાર વચ્ચેનો સંઘર્ષ વધવાની આશંકા સેવાઇ રહી છે.
પાછલા દિવસોમાં પણ આ મેમોગેટ મામલાને લઇને સરકાર અને સેના વચ્ચેનો સંઘર્ષ વધ્યો હતો.
- સૂત્રો પ્રમાણે સેના દ્વારા સેનાના જ એક અધિકારી જનરલ તાહિર મહમુદને વિભાગના વડા બનાવવાનો પ્રસ્તાવ રખાયો હતો, પણ સરકાર દ્વારા આ પ્રસ્તાવ માટે રાજી થઇ રહ્યું નથી.
-જો કે આ મામલે પ્રધાન મંત્રી યુસુફ રઝા ગિલાનીના પ્રવક્તા અકરમ શહીદીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી પાસે મેજર જનરલની નિયુક્તિ માટે આવી કોઇ દરખાસ્ત આવી નથી. પ્રધાનમંત્રી ક્યારેય પણ સરકારી પદ પર સેનાના અધિકારીને નિમવાના નિયમોનું ઉલ્લંઘન કરશે નહીં.