ભારત અને અમેરિકાએ શુક્રવારે ન્યૂક્લિયર રિપ્રોસેસિંગ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકામાં ભારતીય રાજદૂત મીરા શંકર અને અમેરિકન વિદેશ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરારને બંને દેશ વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે.
આ કરાર પ્રમાણે ભારતને અમેરિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ઉર્જા રી-પ્રોસેસિંગ કરવાની છૂટ મળશે. આ કરાર અમલમાં આવ્યા બાદ ભારત અમેરિકા દ્વારા ઉપયોગ કરવામાં આવેલા પરમાણુ પદાર્થોનું રિ-પ્રોસેસિંગ કરી શકશે. આ પદાર્થોનું રિ-પ્રોસેસિંગ ભારતમાં સ્થપાનાર પ્લાન્ટમાં કરવામાં આવશે. તેમજ આ કામને આતંરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના નિયમોને આધિન અંજામ આપવામાં આવશે.
શુક્રવારે અમેરિકાના વિદેશ વિભાગના રાજનૈતિક બાબતોના ઉપ મંત્રી બિલ બર્ન્સ અને અમેરિકામાં ભારતીય રાજદૂત મીરા શંકરે આ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતાં.