મગજમાં થયેલી કેન્સરની ગાંઠને વિટામિન-સી ખૂબ ઝડપથી દૂર કરી શકે છે. તાજેતરમાં આ અંગે થયેલા સંશોધનના આધારે વિજ્ઞાનીઓએ દાવો કર્યો હતો કે હવે બ્રેઈન કેન્સરના દર્દીઓ માટે નવી સારવાર મળવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે જણાવ્યું કે કેન્સરના દર્દીને વિટામિન-સી આપ્યા પછી રેડિયેશન થેરપી દ્વારા બ્રેઈન ટ્યૂમરને દૂર કરવાનું સરળ બની જાય છે. મુખ્ય સંશોધક ડો. પેટ્રિસ હસ્ર્ટના જણાવ્યા અનુસાર સંશોધન દરમિયાન અમે જોયું કે રેડિયેશન પહેલાં દર્દીને વિટામિન-સી વધારે પ્રમાણમાં આપવાથી ટ્યૂમર જાતે જ અલગ પડી જાય છે. આ અભ્યાસનાં પરિણામો ફ્રી રેડિકલ બાયોલોજી એન્ડ મેડિસિન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં તેમ ડેઈલી મેઈલના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.