-હવે ઓપરેશન દ્વારા મેદસ્વીપણું ઘટાડવું બન્યું સહેલું
મેદસ્વીતા(જાડિયાપણું)નો ભોગ બનેલા લોકો માટે હવે આનંદના સમાચાર એ છે કે તેઓ તેમનું વધારાનું વજન લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા ઘટાડી શકશે.
આ માટે કોચીમાં વેઈટ લોસ ક્લિનિક શરૂ થયું છે. આ પ્રકારનાં ઓપરેશન તબીબી ભાષામાં બેરિઆટ્રિક સર્જરી તરીકે ઓળખાય છે.
મેદિસ્વતા એ રોગ છે એવું વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)એ જાહેર કરેલું છે. કેટલાક પ્રકારની મેદિસ્વતાની શરીરની સામાન્ય કામગીરી ઉપર અવળી અસર પડતી હોય છે.
આ વિકૃતિ શરીરના લગભગ પ્રત્યેક અંગ ઉપર એક અથવા બીજી રીતે અસર કરે છે અને ગંભીર બીમારી લાવી શકે છે જે જીવન માટે જોખમી પણ હોઈ શકે.
પ્રાપ્ત આંકડાકીય વિગતો દર્શાવે છે કે મેદિસ્વતાને કારણે મૃત્યુદરમાં 55 ટકાનો વધારો થઈ શકે છે, કોરોનરી આર્ટરીની બીમારીમાં 7૦ ટકાનો વધારો થઈ શકે છે, સ્ટ્રોક થવાનું જોખમ 75 ટકા હોય છે,
ડાયાબિટીસ થવાની શક્યતા 4૦ ટકા વધી જાય છે તથા ત્રીજા ભાગના લોકોને ઊંઘની અનિયમિતતા તેમજ અન્ય બીમારીઓ થઈ શકે છે.
33 ટકા મેદસ્વી લોકો 65 વર્ષની સરેરાશ ઉંમર સુધી જીવી શકતા નથી. ડાયટ અને કસરતથી માત્ર 15 ટકા કિસ્સાઓમાં રાહત મળે છે.