આરટીઆઇ એક્ટિવિસ્ટ જીતુ મારુ દ્વારા મુંબઇ હાઇ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી
સંઘ પ્રદેશ દિવ-દમણ અને દાદરા નગરહવેલીના પ્રશાસક નરેન્દ્ર કુમારને તાત્કાલિક અસરથી હટાવવા માટે ૨૨ ઓગસ્ટના રોજ આરટીઆઇ એક્ટિવસ્ટિ જીતુ મારુ દ્વારા મુંબઇ હાઇ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી છે.
જીતુ મારુ દ્વારા હાઈકોર્ટમાં કરેલી પીઆઇએલમાં પ્રશાસકને હટાવવા બે કારણ દર્શાવવામાં આવ્યા છે. જેમાં પહેલી રજુઆતમાં આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું છે કે, અશોક ખેમાણી સાથેની સાંઠગાંઠની રજુઆત કરવામાં આવી છે. તેમણે રજુઆતમાં જણાવ્યું કે, ૧૩ જુલાઇના રોજ દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ હોલમાં રખાયેલા રંગારંગ કાર્યક્રમમાં પ્રશાસક નરેન્દ્ર કુમાર અને અશોક ખેમાણી એક સાથે બેસી ગુફ્તગુ કરતા નજરે પડ્યા હતા. અશોક ખેમાણી સામે સીબીઆઇ દ્વારા ભ્રષ્ટાચાર વિરુધ્ધ ગુન્હો દાખલ થયો હતો. જેમાં તેમની ધરપકડ પણ થઇ હતી.
તો બીજી તરફ તેમના વિરૂધ્ધ R ૩૫૦ કરોડ જેટલી ટેક્સ ચોરીમાં પણ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આવા સમયે અશોક ખેમાણી સાથે પ્રશાસકની આ વાતચિત શંકા જન્માવનારી જણાઇ રહી છે. જેને લઇ સરકારને કરોડો રૂપિયાના નુકશાન થવાનો ડર ફેલાયો છે.
મુંબઇ હાઇ કોર્ટમાં દાખલ કરેલી પીઆઇએલ માં બીજા કારણમાં જણાવાયું છે કે, નરેન્દ્ર કુમાર દિલ્હી સરકારના ઈન્ડસ્ટ્રિઝ વિભાગના પ્રભારી હતા. તે સમયે ઓખલા ઇન્ડસ્ટિ^યલ એસ્ટેટ, બેડલી ઇન્ડસ્ટિ^યલ એસ્ટેટ, બબના ઇન્ડસ્ટિ^યલ એસ્ટેટ વગેરેમાં પ્લોટના વેચાણમાં મોટા પ્રમાણમાં ગોટાળો થયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ભારત સરકારને અંદાજીત R ૬ હજાર કરોડનું નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું.
પ્રશાસક નરેન્દ્ર કુમાર વિરુધ્ધ સીવીસીમાં આટલી મોટી ફરિયાદ થવા છતાં તેમને સંઘ પ્રદેશમાં કેમ નિયુક્તિનો સવાલ અરજીમાં ઉઠાવાયો છે. આવા સમયે તેમની સેલવાસમાં નિયુક્તિ કેટલી વ્યાજબી છે. જેમાં ભારત સરકારના ગૃહ સચિવ, કેન્દ્રના સીવીસી, સીબીઆઇ ડાયરેકટર, પ્રશાસક તેમજ દમણ કલેક્ટરને પણ પાર્ટી બનાવાયા છે.