કેવી હતી ગુજરાતની જાહોજલાલી? જોઇ લો આ 10 મહેલો
અનેક રાજવીઓએ રાજ્યની ધન્ય ધરા પર બેનમૂન કહી શકાય તેવા રાજ મહેલોની રચના કરી હતી
પ્રાચીન સમયમાં ભારતના વૈભવ અને ઠાઠમાઠ ઉડીને આંખે વળગે એવો હતો. આ સમૃદ્ધિના કારણે જ અનેક વિદેશી આક્રમણખોરોએ ભારતને વારંવાર નિશાન બનાવ્યું હતું. ગુજરાત માટે તો એવું પણ કહેવાય છે કે તે હંમેશાથી સમૃદ્ધ હતું. અહીંની જાહોજલાલીના કારણે જ બહારથી આવતાં લોકો ગુજરાતથી આકર્ષાયા વગર નહોતા રહી શકતાં.
આ ઝાકમઝોળ રાજ્યના વિવિધ સ્થાપત્યોમાં પણ જોવા મળે છે. અનેક રાજવીઓએ રાજ્યની ધન્ય ધરા પર બેનમૂન કહી શકાય તેવા રાજ મહેલોની રચના કરી હતી. અદભુત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ દર્શનીય છે. રાજાઓએ આ મહેલો પાછળ દીલ ખોલીને ખર્ચ કર્યો હતો. એટલું જ નહીં આ માટેનો સરંજામ અને કારીગરો બહારથી પણ બોલાવામાં આવતા હતા. આઝાદી બાદ જો કે આ મહેલોની ચમક થોડી ઝાંખી પડી છે. અમુક મહેલો સરકાર હસ્તક આવી ગયા છે તો અમુક જગ્યાએ રાજાઓના વંશજો વસી રહ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ મહેલો મ્યુઝિયમમાં પણ ફેરવાયા છે.
તો આવો બેનમૂન સૌંદર્યના પર્યાય સમાન મહેલો પર કરીએ એક નજર...







