સાણંદ-વિરમગામ હાઇવે પર બુધવારે બપોરે ૩ વાગ્યે ઇન્ડગિો કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના સ્થળ પરજ મોત નીપજયાં છે. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાઇવે પર ચાલી રહેલા સમારકામને પગલે રસ્તો સાંકડો હોઇ અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ માની રહી છે, તો બીજી તરફ અકસ્માત બાદ મોડી સાંજ સુધી હાઇવે પર ટ્રાફિક જામ રહ્યો હતો.