વોશિંગ્ટન. અમેરિકામાં વૈજ્ઞાનિક એક એવા સ્માર્ટફોનને વિકસીત કરવામાં લાગ્યા છે, જે લોકોમાં તેમના તણાવની ઓળખ કરી, તેનાથી રાહત આપવામાં મદદરૂપ સાબિત થશે.
તેને લઇને રિસર્ચ કાર્ય નોર્થવેસ્ટર્ન યૂનીવર્સિટી ફીનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિન સેન્ટરમાં ચાલી રહ્યું છે. તણાવ તેમજ અન્ય માનસિક બીમારીઓથી રાહત અપાવવા વૈજ્ઞાનિકો વેબ આધારિત મોબાઇલ અને ટેક્નોલોજીનો વિકાસ કરવામાં લાગેલા છે.
- આનાથી મોટી આબાદીને તરત જ મદદ મળી શકે છે
- જેનાથી લોકોને માનસિક બીમારીઓ સામે લડવામાં મદદ મળી રહેશે
- લોકોને ઇલાજ માટે નવા વિકલ્પો ઉપલબ્ધ કરાવાશે
- તેની ઉપર કિંમત પણ ઓછી આવશે
યૂનીવર્સિટી તરફથી પ્રકાસીત નીવેદનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી મોટી આબાદીને તરત જ મદદ મળી શકે છે.
નોર્થવેસ્ટર્ન્સ ફીનબર્ગ સ્કૂલમાં મનોવૈજ્ઞાનિક ડેવિડ મોહરે કહ્યું કે "અમે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છીએ, જેનાથી લોકોને માનસિક બીમારીઓ સામે લડવામાં મદદ મળી રહેશે. તેના દ્વારા તણાવ ઓછો કરવા અને તેને રોકવાની ખાસ્સી સંભાવનાઓ છે."
મોહર પ્રમાણે "આ નવી શોધથી એવા લોકોને ઇલાજ માટે નવા વિકલ્પો ઉપલબ્ધ કરાવાશે, જેમની પહોંચ પરંપરાગત સેવાઓ સુધી નથી, અથવા તો જેઓ સ્ટાન્ડર્ડ મનોચિકિત્સક સાથે વધારે સારૂ અનુભવે છે."
તેઓએ કહ્યું કે "તેની ઉપર કિંમત પણ ઓછી આવશે, જે મર્યાદિત સંસાધનોના આ યુગમાં વધારે વ્યવહારૂ હશે."
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.