Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Narmada
 

ભણાદ્રા ગામે એસટી બસ ઉપર છાત્રોનો પથ્થરમારો

 
Source: Bhaskar News, Rajpipla   |   Last Updated 3:24 AM [IST](01/09/2010)
 
 
 
 
Advertisement
 
એસટી બસો મોડી પડતાં ૮૦૦નાં ટોળાએ પથ્થરમારો કર્યો

નર્મદા જિલ્લાનાં ભણાદ્રા ગામે મંગળવારે ૮૦૦થી વધૂનાં ટોળાએ બે એસટી બસોને અટકાવી પથ્થરમારો કર્યો હતો.

રાજ્યનાં મુખ્યમંત્રી દ્વારા નર્મદા જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત મિની બસો ફાળવી આપી છે. ગ્રામિણ વિસ્તારોમાં સહેલાઇથી પરિવહન કરી શકાય તે માટે આ બસો દોડાવવામાં આવે છે. બીજી તરફ શાળા - કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જિલ્લા મથકે નિવાસની અપુરતી સુવિધાના પગલે મોટા ભાગે વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે.

આવા સંજોગોમાં મોડી પડતી કે સ્ટેશન ઉપર ઉભી નહીં રાખતી બસો ઉપર અવાર નવાર પથ્થરમારો થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. મંગળવારે આ ઘટનાનું પુનરાવર્તન થતાં રાજપીપળી - કેવડિયા રૂટ ઉપર ભણાદ્રા ગામ પાસે બસની રાહ જોઇને ઊભેલા વિદ્યાર્થીઓનાં ટોળાએ બે એસ ટી બસોને રોકીને પથ્થરમારો કર્યો હતો.

એસ.ટી. વિભાગ દ્વારા બસો દોડાવવામાં બેદરકારી દાખવાતાં અવાર નવાર આવી ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે પથ્થરમારો કરાતાં આ નુશાની પણ મુસાફરોનાં માથે ઝિંકાવાનો છે તેમાં કોઇ નવાઇ નથી. બીજી તરફ તંત્રએ પણ મુસાફરોની સંખ્યાને ધ્યાને લઇ પુરતી ટ્રીપોની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.