Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Valsad
 

એસટીના ડ્રાઇવર-કંડકટરોના પગારના મુદ્દે લડતનાં મંડાણ

 
Source: Bhaskar News, Valsad   |   Last Updated 4:49 AM [IST](28/07/2010)
 
 
 
 
 
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો, શિક્ષકો તેમજ પોલીસ જવાનોનો R ૨૫૦૦નો ફિકસ પગારમાં વધારો કરી R ૪૫૦૦નો કરી દેવાયો છે. માત્ર એસટી બસના ડ્રાઇવર અને કંડકટરો સાથે સરકાર દ્વારા ભેદભાવ યુક્ત નીતી અપનાવાય હોય એમ આ કર્મચારીઓ સાથે ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે. જે મુદ્દે વલસાડના એસટી કર્મચારી મંડળના પ્રમુખ ધનસુખભાઇ પટેલે લડત આરંભી છે. આ મુદ્દે હાલમાં ફરજ બજાવી રહેલા વલસાડ ડીવીઝનના ૬૫ જેટલા ડ્રાઇવર- કંડકટરોમાં પગારના મુદ્દે અસંતોષ ફેલાયો છે.

સ્વણીઁમ ગુજરાતની ઉજવણીના ભેટરૂપે રાજ્ય સરકારે શિક્ષકો, તા.પં.જિલ્લા પંચાયતના કર્મચારી અને પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓને R ૨૫૦૦ની જગ્યાએ R ૪૫૦૦નો પગારની જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાતનો પણ તાત્કાલીક પણે અમલ થયો હોય એમ જે તે ખાતાના કર્મચારીઓને R ૪૫૦૦નું વેતન મળતુ પણ થઇ ગયુ છે. પરંતુ આ લાભથી એસટી નિગમના ડ્રાઇવરોને કેમ બાકાત રાખવામાં આવ્યા એ મુદ્દે વલસાડ એસટી કર્મચારી મંડળના પ્રમુખ ધનસુખ પટેલ અને સેક્રેટરી જે.સી.ચૌહાણે લડત આરંભી છે. હાલમાં તેઓએ મુખ્યમંત્રીને આ મુદ્દે લેખિત ફરિયાદ કરી પગાર મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.