Follow us on    | Archives | E-Paper
 
Advertisement
 
 
 
Wednesday, July 28, 2010 04:20 [IST]
 

એસટીના ડ્રાઇવર-કંડકટરોના પગારના મુદ્દે લડતનાં મંડાણ

Source: Bhaskar News, Valsad   |   Last Updated 4:49 AM [IST](28/07/2010)
Comment| Share
 
 
 
 
 
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો, શિક્ષકો તેમજ પોલીસ જવાનોનો રૂ. ૨૫૦૦નો ફિકસ પગારમાં વધારો કરી રૂ. ૪૫૦૦નો કરી દેવાયો છે. માત્ર એસટી બસના ડ્રાઇવર અને કંડકટરો સાથે સરકાર દ્વારા ભેદભાવ યુક્ત નીતી અપનાવાય હોય એમ આ કર્મચારીઓ સાથે ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે. જે મુદ્દે વલસાડના એસટી કર્મચારી મંડળના પ્રમુખ ધનસુખભાઇ પટેલે લડત આરંભી છે. આ મુદ્દે હાલમાં ફરજ બજાવી રહેલા વલસાડ ડીવીઝનના ૬૫ જેટલા ડ્રાઇવર- કંડકટરોમાં પગારના મુદ્દે અસંતોષ ફેલાયો છે.

સ્વણીઁમ ગુજરાતની ઉજવણીના ભેટરૂપે રાજ્ય સરકારે શિક્ષકો, તા.પં.જિલ્લા પંચાયતના કર્મચારી અને પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂ. ૨૫૦૦ની જગ્યાએ રૂ. ૪૫૦૦નો પગારની જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાતનો પણ તાત્કાલીક પણે અમલ થયો હોય એમ જે તે ખાતાના કર્મચારીઓને રૂ. ૪૫૦૦નું વેતન મળતુ પણ થઇ ગયુ છે. પરંતુ આ લાભથી એસટી નિગમના ડ્રાઇવરોને કેમ બાકાત રાખવામાં આવ્યા એ મુદ્દે વલસાડ એસટી કર્મચારી મંડળના પ્રમુખ ધનસુખ પટેલ અને સેક્રેટરી જે.સી.ચૌહાણે લડત આરંભી છે. હાલમાં તેઓએ મુખ્યમંત્રીને આ મુદ્દે લેખિત ફરિયાદ કરી પગાર મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી.
 
 
 
 
 
 
Bookmark
share
 
 
Your Feedback
 
Name:
Email:
Choose your language:
 
Comment:
Code:

 
 
Advertisement
     
 
 
 
Advertisement




Copyright © 2009-10 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.