Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> Navsari
 

સગી બહેને એનઆરઆઈ બહેનની કરી ખરાબ દશા

 
Source: Bhaskar News, Navsari   |   Last Updated 6:40 PM [IST](06/01/2012)
 
 
 
 
 

બારડોલી તાલુકાના બામલી ગામના વતની નયનાબેન પુત્રીના લગ્ન હોય જે.કે.ટાવરના પોતાના મકાનમાં રોકાયા હતા

નવસારીના કબીલપોરમાં જે.કે.ટાવરમાં રહેતા એનઆરઆઈ મહિલાને કેટલીક મહિલાઓએ ભેગી મળી ઘરના પાછળનો દરવાજો તોડી ગેરકાયદે ઘરમાં ઘૂસી જઈ તમાચા મારી બહાર કાઢી મુકવાની ફરિયાદ એનઆરઆઈ મહિલાએ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી ગ્રામ્ય પોલીસમાંથી મળતી માહિતી મુજબ સુરતના બારડોલી તાલુકાના બામલીગામના વતની અને એનઆરઆઈ નયનાબેન કનકભાઈ વ્યાસ હાલ તેમની દીકરીના લગ્નને કારણે વતન આવ્યા હતા. તેમને પોતાના પિયરના કબીલપોરના જે.કે. ટાવરમાં આવેલા મકાનમાં કોઈ રહેતું હોવાનું જાણ થતા જ અગાઉ તેમણે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે મકાનમાં ગેરકાયદે રહેનાર નિખિલ ટેલર નામનો શખ્સ પુન: તાળુ મારી પલાયન થઈ ગયો હતો.

દરમિયાન નયનાબેન કબીલપોર ખાતે આવી જે.કે. ટાવરમાં આવેલા તેમના મકાનમાં રોકાયા હતા. ૨૪મી ડિસેમ્બર ૨૦૧૧ના રોજ સવારે ૭ કલાકે તેમના ઘરનો પાછળનો દરવાજો પાવડા, ત્રિકમ જેવા સાધનોથી તોડી નાંખી કબીલપોર પી.જી. ગાર્ડનમાં રહેતા પુષ્પાબેન ચીમનભાઈ પટેલ, મુકતાબેન નિખિલભાઈ ટેલર, નિખિલભાઈ ટેલર, દિયાબેન પટેલ, હીલીબેન વગેરે ગેરકાયદે ઘરમાં ઘૂસી ગયા હતા અને એ વખતે પુષ્પાબેન પટેલે એનઆરઆઈ નયનાબેન વ્યાસને તમાચો મારી દીધો હતો.

તેમણે ૧૦થી ૧૫ મહિલાઓ સાથે એનઆરઆઈ નયનાબેનને ઘરમાંથી બહાર કાઢી ગાળો આપી હતી. એ વખતે ચારેક મહિલા પાસે ત્રિકમ અને પાવડા જેવા સાધનો પણ હતા. નયનાબેન તેમના દીકરીના લગ્ન હોવાને કારણે કામની વ્યસ્તતાને લઈ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ન હતી. ૪ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ તેમણે ૨૪મી ડિસેમ્બરના રોજ સવારે તેમની સાથે બનેલી ઘટનાની ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી પીએસઆઈ એલ.જી. ગામીતે તપાસ હાથ ધરી હતી.

સગી બહેને તમાચો માર્યો

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નયનાબેન વ્યાસને તમાચો મારનાર પુષ્પાબેન તેમના સગા બહેન થાય છે અને પુષ્પાબેનના જમાઈ નિખિલ ટેલર સામે જ નયનાબેને અગાઉ પોતાના ઘરમાં તાળુ તોડી ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે બંને બહેનો વચ્ચે ક્યા કારણોસર વિખવાદ ચાલી રહ્યો છે તે પોલીસ હજી જાણી શકી નથી પરંતુ એનઆરઆઈ નયનાબેનની ફરિયાદને પગલે આગળની તપાસ કરવામાં આવી રહી છે.




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
Jism 2
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.