DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
ભણતર પર સંચાલક બન્યો ભાર, વિદ્યાર્થીએ લગાવી છલાંગ
Bhaskar News, Bardoli | Jun 17, 2012, 00:11AM IST

વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત બારડોલી નજીક આવેલી બીબીએ બીસીએ કોલેજના એક વિદ્યાર્થીએ આજરોજ કોલેજના ડાયરેક્ટર દ્વારા બારણું તોડવાનો આરોપ મુકી માનસિક ત્રાસ અપાતાં યુવાને કોલેજના પહેલા માળે જઈ નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અન્ય એક પ્રોફેસર આ યુવાનને બચાવવા જતાં તે પહેલા માળેથી જમીન ઉપર પટકાયાની ઘટના બની હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ઘટના અંગે પહેલા માળથી પડી જનાર પ્રોફેસરે પોતાનો પગ સ્લીપ થઈ જતાં જમીન પર પડી ગયા હોવાનું જણાવ્યું હતું.
વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત બીબીએ, બીસીએ કોલેજમાં બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં પલસાણા તાલુકાના બલેશ્વર ગામના વિદ્યાર્થી નિલ નીતિનભાઈ શુક્લ પર ડાયરેક્ટર અજય શાહ દ્વારા રૂમના બારણાને નુકસાન કર્યાનો આરોપ મુકી અડધો કલાકથી વધુ સમય તેને ર્ટોચર કરાયો હતો. જેથી માનસિક ત્રાસથી વિદ્યાર્થી કોલેજના પ્રથમ માળ પર જઈ નીચે કૂદવાનો પ્રયાસ કરતો હતો. એ દરમિયાન ક્લાસમાં હાજર કાર્યકારી આચાર્ય જતીન પટેલ પણ નિલની પાછળ જઈ તેને બચાવવાનો પ્રયાસ કરતાં બંને પહેલા માળેથી નીચે પટકાયા હતાં. જેને કારણે જતીન પટેલને કમ્મરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
જ્યારે નિલ આ ઘટનાથી હેબતાઈ જઈ બેભાન થઈ ગયો હતો. બંનેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાંથી આચાર્ય જતીન પટેલને વધુ સારવાર માટે બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલના ડોક્ટરે બારડોલી પોલીસમાં એમએલસીથી જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, આ ઘટના બાદ કોલેજમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર ન હતાં. જ્યારે જતીન પટેલે પોતાનો પગ સ્લીપ થઈ જતાં આખી ઘટના બની હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પત્રકારોએ કોલેજના ડાયરેક્ટર અજય શાહનો મોબાઈલથી સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે મારે અગત્યનું કામ હોવાથી હું બહાર નીકળી ગયો છું






