સુરતના હજીરામાં સ્થિત ઈચ્છાપોરમાં આવેલાં આઈઓસીના ટેન્કરમાં હજીરાના ઈચ્છાપોરમાં આવેલા આઈઓસીએલની ટેન્કમાં ગઈકાલે લાગેલી ભીષણ આગ બેકાબુ બની હતી. જેમાં બે લોકો મોતને ભેટ્યાં હતાં. જ્યારે બે લોકોનાં કોઈ વાવડ મળ્યાં નથી. જેથી આઈઓસી પરિસરની બહાર લાગણી સભર દ્રશ્યો સર્જાયાં હતાં. અને હૈયાફાટ રૂદનથી આઈઓસી પરિસર ગમગીન બની ગયું હતું.
અધિકારીઓએ મૃતકોના પરિવારજનોને સાંતવના પાઠવી હતી. તો કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાને મૃતકોના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ માડી જાયાને ગુમાવેલા લોકો સામે આ શબ્દો વામણા લાગતાં હતાં. અને સહાય ફિક્કી લાગતી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો લાપતાં થયાં હતાં.
જેમાંથી બે લોકોના મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે.જેમાં એકનું નામ જલંધર ચૌધરી છે જે મૂળ બિહારના વતની છે જ્યારે બીજા કર્મીનું નામ રાહુલ સવાઈ છે જે મૂળ ઓડિશાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બે કર્મીઓ લાપતાં છે. જેને શોધવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.