જનભાગીદારી હશે તો જ આપણે સરકારના લાભો લઈ શકીશુ
મહુવા તાલુકાના કાની ગામે આજરોજ દંડક ઉષાબહેન પટેલના હસ્તે પ્રથમ તબક્કાની વણથંભી વિકાસયાત્રામાં કાની તા. પં. સીટ પર ૨૮૩ લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત, ભૂમોપૂજન અને લોકાર્પણ વિધિ કરાઈ હતી. આ સાથે પૂર્વ સરપંચ અને તા. પં. સદસ્યનું સન્મા કરવામાં આવ્યું હતું.
શુક્રવારના રોજ મહુવા તા. પં. સીટ પર આવતું કાની ગામે દંડક ઉષાબહેન પટેલ માજી ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, જિ. આ. અધ્યક્ષ તુષારબાઈ પટેલ, અનિલ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં વણથંભી વિકાસ યાત્રા ૧૮ ગામોમાં ૨૮૩ લાખનાવિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. ઉષાબહેને જણાવ્યું હતું કે વિકાસયાત્રાનો મતલબ કે રાજ્યનો વિકાસ કદી અટકવાનો નથી. અને સમાજનો સવૉંગી વિકાસ કરવો હોય તો મેળાઓ, ઉત્સવો અને યાત્રાઓ ખુબ જરૂરી છે. અત્યાર સુધી કોઈ સરકારે ગુટખ બંધનું ન સૂજ્યુ પરંતુ મોદી સરકારે એ બંધ કરી દીધા અને જનભાગીદારી હશે તો જ આપણે સરકારનો લાભો લઈશું. કાર્યક્રમના અંતે પૂર્વ સરપંચો, જિ. પં. સદસ્યો અને પ્રમુખોે શાલ ઓઢા સન્માનીત કર્યા હતાં.






