વ્યારા નગર ખાતે ભેંસ સાથે મોટરસાઈકલ અથડાતા ચાલકનું મોત
સોનગઢ તકાલુકાના ખડકાચીખલી કાતે રહેતા બે ખેડૂતો હોસ્પિટલના કામકામ અર્થે મોટરસાઈકલ પર વ્યારા આવતાં હતાં તે હાઈવે પર શંકર ફિળયા પાસે માર્ગમાં ભેંસ દોડી આવતાં મોટરસાઈકલ સાથે અઠડાયા બાદ મોટરસાઈકલ એક ટ્રેકટર સાથે અથડાતા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.
બનાવ અંગે ઘટના સ્થળ પરથી પ્રાપ્તવિગત મુજબ સોનગઢ તાલુકાના ખડકાચીખલી ગામે રહેતા કમલેશભાઈ બાબુભાઈ ગામીત તથા તેના મિત્ર કશિનભાઈ મગનભાઈ ગામીત બંને ઇસમો મોટરસાઈકલ નં (જીજે-એફ-૨૯૩૦) લઈ વ્યારા હોસ્પિટલ ખાતે કામકાજ અર્થે નિક્યા હતાં. તે દરમિયાન વ્યારાના શંકર ફિળયા પાસે સવારે ૧૦ કલાકે પસાર થતી વેળાએ માર્ગમાં એકાએક ભેંસ આવી જતાં તેને બચાવવા મોટરસાઈકલ ટ્રેકટર સાથે અથડાતા મોટર સાઈકલ રોડ પર પટકાતા તેના પર સવાર કમલેશ ગામીત (૩૫)ને શરીર ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ કશિન ગામીતને એક ધસરકો ન પડતાં આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે પોલસને જાણ થતાં ઘટના સ્થળે આવી કશિન ગામીતની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.






