દરેક આમ આદમીનું હ્રદય દ્રવી ઉઠશે આ વ્યક્તિની વ્યથા જાણી
Agency | Jun 18, 2012, 16:29PM IST

ડૉક્ટરો પ્રમાણે, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ લેવી જોઈએ. જણાવામાં આવે છે રામકોલાના કુસમહાના રહેવાસી 17 વર્ષીય હસંરાજ પાછલા દસ વર્ષથી નથી સુઈ શક્યા.
- તેમને ઇન્સોમ્નિયા નામની બીમારી છે, જેના કારણે ઊંઘ નથી આવતી
- તેમની સારવાર ગોરખપુરથી લઈને દિલ્હી સુધી કરાવી ચુક્યા છે
તેમની પાપણો પણ ઝપકી નથી. તેઓ બસ એકીટસે જોઈ રહે છે. આજથી દસ વર્ષ પહેલા તેઓ આ બીમારીથી અસર પામ્યા. પારિવારિક વિવાદોમાં એવા ફસાયો કે માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ અને ધીરે-ધીરે ઊંઘ પણ હરામ થઈ ગઈ.
જ્યારે આ બાબતે કુશીનગરના પ્રમુખ ડૉક્ટર એસ. કે પાન્ડે સાથે વાત કરવામાં આવી તો તેઓએ કહ્યું કે તેમને ઇન્સોમ્નિયા નામની બીમારી છે, જેના કારણે ઊંઘ નથી આવતી.
આ બીમારી લાખો લોકોમાં કોઈ એકને થતી હોય છે. હંસરાજના ત્રણ દીકરા અને એક દીકરી છે. પરિવારના સભ્યો તેમની સારવાર ગોરખપુરથી લઈને દિલ્હી સુધી કરાવી ચુક્યા છે પણ તેમની સારવારથી કોઈ લાભ પ્રાપ્ત થયો નથી.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.






