વ્યવસાય સફળ કરવા બજારનો સર્વે જરૂરી
Management Funda, N. Raghuraman
| Jul 10, 2012, 06:22AM IST
આ સિવાય આ પ્રયોગનો સર્વે ઉપકરણને ગૃહિણીઓના રસોડામાં લઈ જવાને બદલે તેમને ફેકટરીમાં બોલાવીને કરવામાં આવ્યો હતો. તમને એ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે પક્ષીઓ પણ તેનો માળો બનાવતા પહેલાં માળો બાંધવાની જગ્યાનો સર્વે કરે છે. એશિયાઇ પક્ષીઓનું એક જુથ જૂન મહિનામાં અમદાવાદ શહેરના કાંકરિયા તળાવની આજુબાજુનાં વિસ્તારોનો સર્વે કરે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રાણીસંગ્રહાલયમાં દર વર્ષે સ્પૂનબિલ, વ્હાઇટ આઇબિસ, લિટલ ક‹મોરેટ, નાઇટ હેરોન તેમજ કૈસલ ઇગ્રેટ્સ સહિતનાં ૨૦૦૦થી પણ વધુ પક્ષીઓ તેમનો માળો બનાવે છે.
પહેલાં ૧૦-૧૫ પક્ષીઓનો સમૂહ વિસ્તારમાં દાણા-પાણી કેટલા પ્રમાણમાં છે તેનો સર્વે કરે છે. તે ચકાસ્યા પછી અને તેના વિશે સંતુષ્ટ થયા પછી જુથ પાછું જાય છે અને પક્ષીઓના વિશાળ જુથ સાથે પાછું ફરે છે. પક્ષીઓ એ નથી વિચારતા કે ગયા વર્ષે બનાવેલા માળા તેમની રાહ જોતા હશે અથવા તેને ત્યાં પૂરતા પ્રમાણમાં દાણા-પાણી મળી રહેશે. જો આ પક્ષીઓ દર વર્ષે નિષ્ઠા સાથે સર્વે કરી શકતા હોય તો માણસોને પણ આવું કરતા કોણ રોકે છે?
ફંડા એ છે કે, જો તમે દરેક વર્ષે કોઇ ધંધાને લગતી ગતિવિધિનું પુનરાવર્તન કરવા માગતા હોવ તો દર વર્ષે નિયમિત રીતે બજારનો સર્વે કરવો જરૂરી છે. આમ ન કરવાથી નિષ્ફળતાની શક્યતા વધી જાય છે.
raghu@bhaskarnet.com
મેનેજમેન્ટ ફંડા,એન.રઘુરામન






