મહાત્મા ગાંધી પાર્ટીના કાર્યો માટે સતત યાત્રા કરતા રહેતા હતા, જે દેશની સ્વતંત્રતાના ઉદ્દેશ સાથે સંકળાયેલી રહેતી હતી. એક વખત ગાંધીજી એવા જ કાર્ય માટે અલાહાબાદ આવ્યા અને પંડિત મોતીલાલ નહેરુના નિવાસસ્થાન ‘આનંદભવન’માં રોકાયા હતા.નહેરુ પરિવારે તેને સૌભાગ્ય ગણ્યું અને મહાત્મા ગાંધીની ખૂબ જ આત્મીયતાથી મહેમાનગતિ કરી. ગાંધીજીએ રાત્રે આરામ કર્યો અને સવારે નિત્ય ક્રિયા પતાવીને હાથ-મોં ધોયાં.
તે દરમિયાન જવાહરલાલ નહેરુ ગાંધીજી સાથે વાત કરી રહ્યા હતા. કોગળા કરતી વખતે ગાંધીજીનું પાણી પૂરું થઈ ગયું. તેનાથી તેઓ થોડા દુ:ખી થઈ ગયા અને વાત ત્યાં જ અટકાવી દીધી. નહેરુજીએ પૂછ્યું તો બોલ્યા, વાતો કરવામાં મારું પાણી પૂરું થઈ ગયું, હવે મારે ફરીથી પાણી લેવું પડશે. નહેરુજી હસતાં હસતાં બોલ્યા તેમાં શું થઈ ગયું.
અહીંયા તો ગંગા અને યમુના બંને વહે છે. જેટલું જોઈએ તેટલું પાણી વાપરવું જોઈએ. ગાંધીજી બોલ્યા, ગંગા અને યમુના ખાલી મારા માટે નથી વહેતી. કુદરતમાં કોઈ વસ્તુ ગમે તેટલી માત્રામાં મળતી હોય પણ મનુષ્યએ તેનો એટલો જ ઉપયોગ કરવો જોઈએ જેટલી તેને જરૂર હોય. કરકસર કરવાથી તે વસ્તુનો એટલો જથ્થો વધશે કે આવનારી પેઢી માટે તે ઉપયોગી સાબિત થશે અને સમાજની વધુ જરૂરિયાતો પૂરી કરી શકાશે. સાર એટલો જ છે કે કરકસર કરીને સમાજનું કલ્યાણ કરી શકાય છે.