પૂજા-પાઠ, સાધના-તપસ્યા પછી પણ એક દુર્ગુણ એવો હોય છે જેનાથી બચવાની સંભાવના રહે છે, તે છે અહંકાર. અહંકાર ટકી રહે છે અને તેના કારણે સંસાર પણ ટકી રહે છે. પૂજા પછી પણ સંસાર ટકેલો છે તેમાં કોઈ બેમત નથી. સંસાર છોડવાની જરૂર નથી, પણ મુશ્કેલી એ છે કે પૂજા કરવાના સમયે પણ સંસાર સાથે ચાલે છે. તેના મૂળમાં પણ અહંકાર હોય છે. અહંકાર એટલો સૂક્ષ્મ હોય છે કે તે ત્યાગમાં...
દુનિયામાં અનેક પ્રકારના લોકો હોય છે. કોને તમારું કામ પસંદ છે કે નથી તેના વિશે તમે કંઈ વિચારી શકો નહીં. આપણે આપણું મોટા ભાગનું જીવન બીજાથી પ્રભાવિત રાખીએ છીએ, તેથી આપણે ચિંતિત રહીએ છીએ કે લોકોને શું પસંદ છે? કેટલાક લોકો તમારી ખોટી પ્રશંસા કરીને તમારા અહંકારને વધારશે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે પોતાને કેટલું નુકસાન કરી રહ્યા છો. આપણા જીવનમાં...
એ બાબત પર સતત વિચાર કરતા રહેવું જોઈએ કે આપણે ૨૪ કલાક અનેક ભૂમિકાઓ ભજવીએ છીએ. ક્યારેક આપણે માનસિક રીતે ખૂબ જ મજબૂત હોઈએ છીએ તો ક્યારેક સાવ તૂટી જઈએ છીએ. ક્યારેક ખૂબ જ ઇમાનદાર હોઈએ છીએ તો ક્યારેક અકારણ બેઈમાની કરવાની ઇચ્છા થાય છે. આ બધું જ મનમાં ચાલે છે અને તેની જાણ પણ માત્ર આપણને જ હોય છે. તેથી જ્યારે પણ કોઈ પરિવર્તન આવે ત્યારે આપણે વિશ્લેષણ કરવું...
આપણી અંદર બે વાતોનો સંઘર્ષ ચાલતો રહે છે- હિંસા અને અહિંસા. બહારથી આપણે ભલે પ્રદર્શિત ન કરીએ પરંતુ અંદરને અંદર ક્યારેક આપણે એટલા હિંસક બની જતાં હોઈએ છીએ કે જો તેના પર અમલ કરવા લાગીએ તો કદાચ કાયદાના દાયરામાં આવી જઈએ અને સજા ભોગવવી પડે. અહિંસા અને હિંસાની આ વૃત્તિ આપણને શાંતિ અને અશાંતિ તરફ લઈ જાય છે. આજકાલ કોઈ પણ કામ સરળતાથી થઈ જવું કપરું છે. આથી આપણા...