વર્ષ ૧૮૯૮માં કોલકાતામાં પ્લેગની મહામારી ફેલાઈ હતી. ચારે બાજુ મૃત્યુ તાંડવ મચાવી રહ્યું હતું. લગભગ દરેક ઘરની એક વ્યક્તિ તો પ્લેગના ભરડામાં હતી અને મૃત્યુનો ભોગ બની રહી હતી. કોઈએ પિતા ગુમાવ્યા તો કોઈએ મા. બીજી બાજુ કોઈએ ભાઈ ગુમાવ્યો તો કોઈએ બહેન. જે માતાઓએ સંતાન ગુમાવ્યાં તેમની સ્થિતિ તો અસહનીય હતી. આવા ભીષણ સંકટના સમયમાં રામકૃષ્ણ પરમહંસ લોકોની...
એક મહાત્માની ઝૂંપડીમાં એક ઉંદર રહેતો હતો. ક્યારેક જો બિલાડી ત્યાં આવી જાય તો તે ગભરાઈ જતો. મહાત્માએ તેના ભયનું કારણ અને નિવારણ પૂછ્યું. ઉંદરે કહ્યું કે મને બિલાડીનો જ ભય લાગે છે. તમે મને બિલાડી બનાવી દો જેથી હું નિર્ભય થઈ જઉં. મહાત્માએ તેમ કર્યું. ઉંદર બિલાડી બનીને તે વિસ્તારમાં નિર્ભય રીતે ફરવા લાગ્યો. પરંતુ કેટલાક દિવસ પછી ત્યાંના કેટલાંક...
એક રાજા હતો. તે ખૂબ જ દયાળુ અને પરોપકારી હતો. બધા તેનો આદર કરતા અને તેની સાથે વિનમ્રતાપૂર્વક વ્યવહાર કરવો તે તેનો સ્વભાવ હતો. તેને તેના જ એક રાજ્યના સાધુ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તે સાધુ રાજધાનીથી દૂર અન્ય એક નગરમાં રહેતો હતો. ત્યાં કોઈ સારી સારવાર કરે તેવો વૈદ્ય હતો નહીં. એક દિવસ રાજાને થયું કે તેમના આશ્રમમાં કોઈ બીમાર પડે તો ખૂબ જ મુશ્કેલી થાય...
ઇશ્વરે વાણીના સ્વરૂપે મનુષ્યને અદ્ભુત વરદાન આપ્યું છે. વાતચીત અને જ્ઞાનનું માધ્યમ બનીને વાણી મનુષ્યના વર્તમાનને ઊજળું બનાવે છે અને સોનેરી ભવિષ્યની રચના કરે છે. વાણીનો યોગ્ય ઉપયોગ કરનારી વ્યક્તિ જ જ્ઞાની કહેવાય છે અને આવી વ્યક્તિ પ્રતિકૂળ સંજોગોને પણ અનુકૂળ બનાવીને સકારાત્મક પરિણામ મેળવે છે. રામાયણનો આ પ્રસંગ આ વાતનો જ સંકેત આપે છે. પર્વત પર...