એક વખત મહાત્મા બુદ્ધ પોતાના શિષ્યો સાથે શ્રાવસ્તીમાં રોકાયા હતા. તે હંમેશા પ્રવચન આપતા અને શ્રાવસ્તીના લોકો તેમને સાંભળવા માટે ઉમટી પડતા. બુદ્ધ તેમનાં પ્રવચનોથી સાંભળનારને આંતરિક અને બાહ્ય રીતે બદલવા મજબૂર કરી દેતા. બુદ્ધે તેમના પ્રવચન દ્વારા અનેક દુ:ખી લોકોના જીવનને સુખમય કરી નાખ્યું હતું. શ્રાવસ્તીનાં બાળકો પણ બુદ્ધથી પ્રભાવિત હતાં. એક...
એક ઝેન સાધકના અનેક શિષ્યો હતા. સાધક અત્યંત જ્ઞાની અને પરમ ત્યાગી વ્યક્તિ હતી. તેથી તેઓ ખૂબ જ ખ્યાતી પામ્યા હતા. તેમનું પ્રવચન સાંભળવા માટે લોકો દૂરદૂરથી આવતા હતા. ધીરે-ધીરે ભીડ એટલી થવા લાગી કે આશ્રમ નાનો પડવા લાગ્યો. એક ધનિક વ્યાપારી ભકતને વિચાર આવ્યો કે તે મોટો આશ્રમ બનાવડાવે. આ કાર્ય માટે તેણે એક થેલીમાં પાંચસો સોનાની મુદ્રા ભરી અને સાધક પાસે...
એક આશ્રમમાં મહાત્મા અને તેમના બે શિષ્યો રહેતા હતા. બંને શિષ્યો મહાત્માના જણાવ્યા પ્રમાણે ભગવાનનું પૂજન-અર્ચન કરતા હતા. આશ્રમનાં કાર્ય પણ ખૂબ જ ધ્યાન રાખીને કરતા હતા. આશ્રમની સફાઈ, વૃક્ષો-છોડવાઓનું જતન, પશુઓની સંભાળ, મહાત્માજીની સેવા બધું જ આ બે શિષ્યોના માથે જ હતું અને તેઓ આ જવાબદારી સારી રીતે નિભાવતા પણ હતા. બંને શિષ્યોની સ્થિતિ એક સરખી હોવા...
પોતાના મામાના દીકરાને દૂધ પીતા જોઈને ઉપમન્યુના મનમાં પણ દૂધ પીવાની ઇચ્છા થઈ. લગભગ૧૨-૧૩ વર્ષનો ઉપમન્યુ પોતાની વિધવા માતા પાસે પહોંચ્યો અને બોલ્યો, હું પણ દૂધ પીશ. પુત્રની વાત સાંભળીને માતા બોલી, બેટા તારા નસીબમાં દૂધ પીવાનું લખ્યું નથી. માતા પ્રત્યે નારાજ દ્રષ્ટિ કરીને ઉપમન્યુ બોલ્યો, મારા ભાગ્યમાં દૂધ પીવાનું કેમ લખ્યું નથી? તેની માએ લાચાર...