એક તળાવમાં નાનાં-મોટાં દેડકાં રહેતાં હતાં. બધાં જ એકબીજાની સંભાળ લેતાં હતાં. એક વખત તળાવના કિનારે ઘાસ ખાવા માટે એક બળદ આવ્યો. તે જ વખતે પાણીમાંથી એક દેડકો બહાર આવ્યો. તેણે જીવનમાં પહેલી વખત બળદ જોયો હતો. તે બળદનું મોટું શરીર જોઈને ગભરાઈ ગયો અને ફરીથી પાણીમાં કૂદી ગયો. તે એક મોટા દેડકા પાસે ગયો અને તેને કહ્યું કે મેં તળાવની બહાર એક ભયંકર અને...
મહાત્મા ગાંધી વડીલો અને નિ:સહાયોની મદદને માનવજીવનનો પરમ ધર્મ માને છે. ગાંધીજી અસ્વસ્થ વડીલની દેખરેખ અને ઉપચારને પોતાનો ધર્મ માનતા. એક વખત તેમની પાસે એક ૭૫ વર્ષની વૃદ્ધા આવ્યાં. તે રડી રહ્યાં હતાં અને કંઈ બોલી પણ નહોતાં શકતાં.
ગાંધીજીએ તેમને બેસાડ્યાં અને પાણી પીવડાવ્યું અને તેઓ શાંત થયા પછી શાંતિથી તેમને સમસ્યા જણાવવા કહ્યું. વૃદ્ધાએ...
આઝાદીની લડાઈ જોર પકડી રહી હતી તે સમયની વાત છે . એક બાળક પોતાના ઘરથી દૂર એક શહેરના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતો હતો. તેનાં માતા-પિતા ખૂબ જ ગરીબ હતાં. ઘરની આવક કરતાં ખાનારા લોકોની સંખ્યા વધારે હતી. છતાં બાળકની અભ્યાસ પ્રત્યેની રુચિ જોઈને તેનાં માતા-પિતા તેને ભણવાની ફી અને અન્ય ખર્ચ પેટે આઠ રૂપિયા મોકલતાં હતાં. બાળક ઘરની દયનીય સ્થિતિને સારી રીતે...
એક વખત ગોરક્ષણ સભાના એક પ્રચારક આર્થિક દાન માટે સ્વામી વિવેકાનંદ પાસે આવ્યા. સ્વામીજીએ તેમને પૂછ્યું, કે તમારા લોકોની સભાનો ઉદ્દેશ શું છે? પ્રચારક બોલ્યા, અમે દેશની ગૌમાતાઓને કસાઈઓથી બચાવીએ છીએ. બીજી બાજુ દુર્બળ અને બીમાર ગાયોનું પાલનપોષણ પણ કરીએ છીએ. સ્વામીજીએ પૂછ્યું, સભા માટે ધન ક્યાંથી આવે છે? તેમણે જવાબ આપ્યો, મારવાડી વૈશ્ય સંપ્રદાયના...