એક સરોવરમાં એક હંસ અને એક માછલી રહેતા હતા. બંને વચ્ચે સારી મિત્રતા હતી. રાત્રે માછલી સરોવરના તળીયે જતી રહેતી અને હંસ નજીકના વૃક્ષ પર જતો રહેતો. સવાર થતા હંસ ક્યાંક જતો રહેતો. એક દિવસ માછલીએ હંસને પૂછ્યું, ‘મિત્ર, તું દરરોજ ક્યાં જાય છે?’ હંસે કહ્યું, ‘હું સમુદ્ર તરફ જાઉં છું. ત્યાં ઘણા છીપલાં છે. તેમાંથી જે છીપલાંમાં મોતી નીકળે છે તેની શોધ હું કરું છું. તે મોતી મારો ખોરાક છે. હું હંસ છું માત્ર મોતી જ ખાઈ શકું છું’.
આ સાંભળીને માછલી બોલી, ‘મિત્ર મારે પણ જોવો છે કે સમુદ્ર કેવો હોય છે’? માછલીની આવી...
શંકરદેવનો જન્મ આસામના નૌંગાવ જિલ્લામાં થયો હતો. પારિવારિક અને સામાજિક દબાણની સામે ઝૂક્યા વગર ખાસ કરીને તેમણે સંતો અને બ્રાહ્મણોવાળી જીવનચર્યા અપનાવી. એક તરફ તેમણે સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કર્યો અને તેનામાં નિપુણતા પ્રાપ્ત કરી અને બીજી બાજુ શ્રીમદ ભગવદ્ને પોતાના આચરણમાં ઉતાર્યું. ત્યાર પછી શંકરદેવે ધર્મપ્રચારના કામને પોતાનું લક્ષ્ય બનાવી...
મિથિલામાં ગંગાધર શાસ્ત્રી નામના એક પંડિત એક વિદ્યાલયમાં અધ્યાપનનું કામ કરતા હતા. શાસ્ત્રીજી પોતાના કામને પૂરી નિષ્ઠાથી કરતા હતા. તેમણે પોતાના એકમાત્ર પુત્ર ગોવિંદને પણ આ જ સંસ્કાર આપ્યા હતા. પોતાના પિતાની જેમ તે પણ અત્યંત શિષ્ટ, અનુશાસિત અને પોતાનું કાર્ય પૂર્ણ મનોયોગથી કરતો હતો. તેના શિક્ષકો અને સહાધ્યાયીઓ તેના આ ગુણોના કારણે તેને પસંદ...
બૌદ્ધ ધર્મનો વ્યાપક પ્રચાર થઈ ગયો હતો. અનેક બૌદ્ધ મઠોની સ્થાપના પણ થઈ ગઈ હતી. દરેક મઠોમાં યોગ્ય આચાર્ય અને કુલપતિની નિમણુંક કરવામાં આવતી હતી. આ નિમણુંકમાંવ્યક્તિના જ્ઞાન અને વિવેક સિવાય તેમની રુચિને પણ વિશેષ રીતે પરખવામાં આવે છે, કારણ કે મઠનાં સામૂહિક હિતોને પ્રાથમિકતા આપવામાં આવતી હતી.
એક મોટા બૌદ્ધ મઠ માટે યોગ્ય કુલપતિની નિમણુંક તે...
એક પ્રચલિત વાર્તા છે. એક શ્રીમંત વૃદ્ધે તેના મૃત્યુ પછી તેની સંપત્તિનો યોગ્ય ઉત્તરાધિકારી કોણને નક્કી કરવા તેણે તેના બંને પુત્રોને બોલાવીને કહ્યું. ‘હું હવે તીર્થયાત્રાએ જાઉં છું. આ બંને ઘઉંની ભરેલી થેલીઓ છે. બંનેને એક એક આપું છું. હું પાછો ફરું ત્યાં સુધી તેને સાચવી રાખજો. એક પુત્રે તે થેલીના દાણાને એમને એમ રહેવા દીધા, બીજાએ તેની ખેતી કરી તેની...