Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Divya Bhaskar

પ્રભુને પ્રેમ કરતાં કરતાં જાતને વધુ ઓળખી શકશોWednesday, March 10, 2010 00:59 [IST]

બધાનું પોત-પોતાનું મહત્વ હોય છે. દુનિયામાં જે ભૌતિક પ્રગતિ થઈ છે તેના પાછળ મનુષ્યનો આ ભાવ જ રહ્યો છે કે મને મહત્વનો માનવામાં આવે અને સમજવામાં આવે, પરંતુ માણસ તો ફકત મહત્તા પર જ ટકી ગયો છે, તે એ ભુલતો જઈ રહ્યો છે કે તેની એક બીજી સત્તા પણ છે, અંદરની સત્તા. અસંયમના કારણે આપણે પોતાની અંદર જોવાનું જ છોડી દીધું છે. બહાર આપણે મહત્વની વ્યક્તિ માનવામાં આવીએ એ શૈલીને કારણે આપણી મહત્તા તો...
 
 
Divya Bhaskar

દ્રઢ ઇચ્છાશક્તિ વિના આગળ ન વધી શકાયWednesday, March 10, 2010 00:41 [IST]

ચાર્લ્સ ડિકન્સને બાળપણથી જ લેખક બનવાનો શોખ હતો, પરંતુ ભણવા માટે તે શાળાએ જઈ શકયા નહીં. માતા-પિતા અત્યંત ગરીબ હતા. પિતાએ દેવું ભરવા માટે જેલમાં જવું પડ્યું. ચાર્લ્સને માથે તો જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો. એક દિવસ ઉદાસ બેઠેલા ચાર્લ્સ પાસે એક સજજન આવ્યા. તેઓ ચાર્લ્સનો લખવાનો શોખ જાણતા હતા. તેમણે પૂછ્યું કે શું વિચારી રહ્યો છે? શું કોઈ લેખની ભૂમિકા તૈયાર કરી રહ્યો છે? ચાર્લ્સ ભાગેલા...
 
 
danik bhaskar

સદગુણનો ભાર પણ ક્યારેક દુર્ગુણ બની જાય છેTuesday, March 09, 2010 01:15 [IST]

વ્યકિતત્વ ત્રણ ગુણોથી બનેલું છે- સત્ત્વ, રજસ અને તમસ. રાજસી અને તામસી ગુણ તો નુકસાનકારક છે જ પરંતુ સદગુણ પણ જો રોગ બની જાય તો નુકસાનકારક છે. આપણી સાત્ત્વિક વૃત્તિ આપણો સ્વભાવ હોવો જોઈએ, વ્યવહાર નહીં. વ્યવહારમાં રહેલી સાત્ત્વિક વૃત્તિ ધીમે ધીમે બીમારી બની જાય છે. આથી સારા લોકો પણ ખરાબ દેખાવા લાગતા હોય છે. ખાસ કરીને પારિવારિક પરિસ્થિતિઓમાં આવું જોવા મળે છે. સારા લોકોના પરિવારના...
81
 
 
danik bhaskar

ધિક્કારથી પ્રેમનો નાશ થતો નથીTuesday, March 9, 2010 15:35 [IST]

મહાવીરસ્વામી તપસ્યામાં લીન હતા. એક દુષ્ટે કેટલીય વખત મહાવીરસ્વામીનું અપમાન કર્યું, પરંતુ તે હંમેશાં શાંત રહેતા. તેમણે તો દુનિયાને પ્રેમનો પાઠ ભણાવ્યો હતો. તેઓ કહેતા કે સદા પ્રેમ કરો, પ્રેમમાં જ પરમતત્વ છુપાયેલું છે. જે તમારું બૂરું ઇચ્છે તેને પણ પ્રેમ કરો. તેમના આ ઉપદેશો સાંભળીને તે દુષ્ટ એ જોવા માગતો હતો કે કષ્ટ આપનારાઓને કોણ અને કેવી રીતે પ્રેમ કરી શકે છે? તે તેમને હેરાન કરતો...

4111
 
 
danik bhaskar

જીવનની સાવ નજીવી બાબતોMonday, March 08, 2010 00:19 [IST]

થોડાંક વર્ષ પહેલાં કેટલીક સિસ્ટર્સ સાથે અમે ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહ્યાં હતાં. ત્યાં એકલી અને મોટી ઉમરની એક વ્યક્તિ રહેતી હતી. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કોઈએ આટલી મુશ્કેલી અને દુ:ખમાં રહેતી વ્યક્તિને ક્યારેય નહીં જોઈ હોય. તે એક ગરીબ વૃદ્ધ હતો, જેનું આ દુનિયામાં કોઈ નહોતું. મેં તેને કહ્યું કે, તે પોતાનું ઘર સાફ કરવા અને કપડાં ધોવા માટે મને આપે. તેનો જવાબ હતો કે ‘તે જેવો છે...
641
 
 
danik bhaskar

પ્રેમ-સમર્પણવાળું સ્ત્રીનું ઘર...Monday, March 08, 2010 00:19 [IST]

આશ્રમ એવી જગ્યા છે, જ્યાં સૌ નિ:સ્વાર્થ ભાવે સેવા કરે છે. પરિવારમાં પણ આ રીતે થઈ શકે છે. ગૃહલક્ષ્મી ઘરમાં રહેવા છતાં આશ્રમ જેવું સેવાભાવી જીવન જીવતી હોય. ઘરને પણ આશ્રમમાં બદલી શકાય છે. આશ્રમ એ જગ્યા છે, જ્યાં બધા જ લોકો પોતાનો સમય અને ઊર્જા ઈશ્વરને યાદ કરવામાં, નિ:સ્વાર્થ ભાવથી સેવા કરવામાં અને પ્રેમ, ધીરજ, સન્માન જેવા ગુણને વિકસિત કરવામાં સમર્પિત કરતા હોય છે. પરિવાર પણ આવો જ બની શકે...
731
 
 
danik bhaskar

છેવટે શું મેળવવાનું છે એની ચિંતા કરોSaturday, March 06, 2010 00:43 [IST]

એક સેવક તેના સ્વામીની હત્યા કરીને બીજા શહેરમાં ભાગી ગયો. પોતાની જાતને છુપાવવા માટે તેણે કેટલાય વેશ બદલ્યા. સમય પસાર થતો ગયો અને તેને ભીખ માગવાનો વારો આવ્યો. જ્યારે આ બાજુ સ્વામીનો પુત્ર યુવાન પુત્ર પિતાના હત્યારાને શોધવા માટે નીકળી પડ્યો. બીજી બાજુ હત્યારો ભિખારી ચાલતાં-ચાલતાં એક દિવસ એવા પહાડી માર્ગ પર પહોંચી ગયો જ્યાં અવારનવાર દુઘટર્ના સર્જાતી હતી અને લોકો નીચે પડીને મરી જતા...
beggar1
 
 
danik bhaskar

સંતોષ, સહાનુભૂતિ, સંયમ અને સદાચારને જાળવોSaturday, March 6, 2010 00:47 [IST]

કોઈ પણ વસ્તુનો અભાવ કોઈને પણ પસંદ આવતો નથી. વસ્તુ પાસે ન હોય, સ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે અભાવની ભાવના જન્મે એ તો સમજાય, પરંતુ મનપસંદ વસ્તુ મળી જાય તોપણ જીવનમાં અભાવ,અસંતોષ જળવાઈ રહે તો અહીંથી જ ખતરો શરૂ થાય છે. આજે લોકો આવી ખતરનાક સ્થિતિમાં જ જીવી રહ્યા છે. જે લોકો એમ માને છે કે સંપન્નતાના સાધનોથી જ પ્રસન્નતા આવશે અને પ્રગતિ થશે, તો તેઓ ભૂલી જાય છે કે ફક્ત તેનાથી જ કંઈ થતું નથી. આ...

indian_youth[1]1111
 
 
danik bhaskar

ઇચ્છાઓ કાબૂમાં રાખો, અહંકારથી બચી જવાશેFriday, March 05, 2010 01:35 [IST]

જ્ઞાનનો ખતરો અહંકાર અને ભક્તિનો ખતરો આળસ છે.કેટલાક લોકો અહંકારમાંથી મુક્તિ મેળવવા માટે વિનમ્રતાને અપનાવી લેતા હોય છે. મનુષ્યની અંદર જે ‘હું’ નો ભાવ હોય છે, અહંકાર તેને જ પોષે છે. કેમ કે ‘હું’ એ અંદરનો મામલો છે, આથી બહારથી ઓઢી લેવાયેલી વિનમ્રતા અંદરના ‘હું’ ને અલગ રીતે મજબૂતી આપતી હોય છે. ‘હું’ પણું વ્યક્તિને વિનાશના માર્ગે ધકેલે છે. કુલ મળીને વિનમ્રતા અહંકારનું ચમકતું આવરણ બની...
 
 
danik bhaskar

ખામીઓ દૂર કરીને જીવન વધુ સારું બનાવોFriday, March 05, 2010 01:22 [IST]

એક મજૂર હતો, એનું નામ અવતાર હતું, તે તદ્દન એકલો હતો. પત્ની, બાળકો, કુટુંબીજનો ન હતાં. જરૂર પડે ત્યારે મજૂરી કરી લેતો. એક વખત જેઠ મહિનાની ગરમીમાં તેની પાસે ખાવાનું કશું જ ન હતું ત્યારે મજૂરી શોધવા માટે નીકળી પડ્યો. ત્યાં જ એક ઘોડાગાડી તેની પાસે આવીને ઊભી રહી અને તેમાંથી એક વ્યક્તિ નીચે ઊતરી. અવતાર દોડીને તેની પાસે પહોંચ્યો અને તેને પૂછવા લાગ્યો કે સાહેબ, મજૂર જોઈએ છે? તે બોલ્યા, મારે...
 
 
danik bhaskar

સંસ્કારોનું મેનેજમેન્ટ વ્યક્તિત્વ ઘડે છેThursday, March 04, 2010 00:25 [IST]

વ્યાવસાયિક લક્ષ્યોને પૂરાં કરવા માટે જેટલું મહત્ત્વ આપણા શિક્ષણ અને આપણી યોગ્યતાનું હોય છે, એક સમય પછી તેટલું જ સંસ્કારોનું પણ થઇ જાય છે. આજની પેઢીના મોટા ભાગના લોકો કયાં તો સંસ્કારોને જાણતા નથી કે પછી તેને એટલું મહત્ત્વ આપતા નથી. જીવનમાં સંસ્કારોની કેટલી જરૂર છે તેના પર થોડી અઘ્યાત્મની દ્દષ્ટિથી નજર નાખીએ. મન,બુદ્ધિ, ચિત્ત અને અંત:કરણ પર સારા અને ખરાબ કર્મોનો સીધો પ્રભાવ પડે...
swami1
 
 
danik bhaskar

બીજા માટે કરેલાં કામોથી જ થતું ખુદનું શ્રેયThursday, March 04, 2010 00:22 [IST]

કર્ણાટકના એક જમીનદાર પરિવારમાં જન્મેલા શ્રીધર રાવ બાળપણથી જ અત્યંત લાગણીશીલ વ્યક્તિ હતા. કુષ્ઠ રોગીઓને જોઈને તેમને ઘણું દુ:ખ થતું હતું. કુષ્ઠ રોગીઓ માટે તેમણે પોતાના ઘરની પાસે જ કેટલાંક ઝૂંપડાં બનાવ્યા અને જે અસહાય કુષ્ઠ રોગી દેખાતો તેને પોતાને ત્યાં લાવીને સેવા કરવા લાગ્યા, પરંતુ તેનાથી સંતોષ ના મળતાં તો તેઓ ૨૬વર્ષની ઉમરમાં જ ઋષિકેશ આવી ગયા અને સ્વામી શિવાનંદની સાથે રહીને...
 
 
danik bhaskar

બીજાની ટીકા કરવાથી પોતાને જ નુકસાન થાય છેWednesday, March 03, 2010 00:02 [IST]

એક વિદેશી ગુનેગારને જયારે રાજાએ ફાંસીની સજા ફટકારી તો તેણે રાજાને અપશબ્દો સંભળાવ્યા અને તેનો વિનાશ થશે તેવું જણાવ્યું. રાજાએ બીજી ભાષાઓ જાણનારા પોતાના મંત્રીને પૂછ્યું કે આ શું બોલી રહ્યો છે? મંત્રીએ વિદેશીની ગાળો સાંભળી હતી, પરંતુ તેણે કહ્યું કે, મહારાજ એ તમારું ભલું થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે તમે હજાર વર્ષ સુધી જીવો. આ સાંભળીને રાજા ઘણો...
Hang1
 
 
danik bhaskar

ભગવાન દેખાય નહીં પણ હાજર જરૂર હોય છેWednesday, March 03, 2010 00:01 [IST]

મહાભારતના યુદ્ધમાં શકુનિ હંમેશાં કહેતો હતો કે યુદ્ધના મેદાનથી કૃષ્ણને દૂર રાખવામાં આવે. દુર્યોધન પૂછતો રહેતો હતો કે આવું શા માટે? અંતે કૃષ્ણ શું કરશે, તેઓ તો શસ્ત્ર ન ઉઠાવવાનો સંકલ્પ લઈ ચૂકયા છે, પછી તેમની ભૂમિકા શું રહેશે? શકુનિના વિચારમાં કૃષ્ણની હાજરીની ચિંતા આપણને ઊડો આઘ્યાત્મિક અર્થ આપી જાય છે. અઘ્યાત્મએ આને ‘અજ્ઞાતની હાજરી’ જણાવી છે. વિજ્ઞાન આવી સ્થિતિને કેટેલિસ્ટ...
krishna1
 
 
danik bhaskar

ઉપરવાળાએ આપેલી યોગ્યતાનો દુરુપયોગ ન કરોSaturday, February 27, 2010 00:03 [IST]

ભક્તોનું માનવું છે કે જ્યારે કોઈ વાત કે ઘટના માનવીની પહોંચની બહાર થઈ જાય ત્યારે ભગવાનની સીમા શરૂ થાય છે. આ જ આસ્થા ભગવાનના ચમત્કારી રૂપને જન્મ આપે છે. ઇસ્લામમાં પણ પયગમ્બરોના ચમત્કારને ઘણું મહત્વ અપાયું છે. બાયજીદ નામના ફકીરની જિંદગીમાં ચમત્કાર થતાં રહેતા હતા. તે દરેક ચમત્કાર પરવરદિગાર પાસે પ્રમાણિત કરાવતો હતો કારણ કે તેનું માનવું હતું કે શેતાન પણ ચમત્કાર દેખાડીને ફકીરોને...
saint1
 
 
danik bhaskar

આળસ રોકીશું તો આપોઆપ સમૃદ્ધિ મળશેFriday, February 26, 2010 00:10 [IST]

યુનાનમાં પેરિક્લીઝ નામનો એક રાજા રહેતો હતો. સુકરાત અને પ્લેટો જેવા ફિલોસોફર, સોફોકલીઝ અને યુરિપડીઝ જેવા નાટકકાર, હિરોડોટ્સ જેવા ઇતિહાસકાર પેરિકલીઝના શાસનકાળમાં થયા હતા. આ રાજાએ યુનાનને જ નહીં પરંતુ આજુબાજુના કેટલાય દેશોને શક્તિશાળી બનાવ્યા હતા. તે બાળપણથી જ પુરુષાર્થી હતો. તે જ્યારે સિંહાસન પર બેઠો ત્યારે પોતાના ગુરુ અનાકઝ ગોરસ પાસે આશીર્વાદ લેવા ગયો. ગુરુએ પૂછ્યું, તું...
prosperity1
 
 
danik bhaskar

પરમશક્તિ પર વિશ્વાસ મૂકીને પ્રાર્થના કરોFriday, February 26, 2010 00:08 [IST]

કોઈ વ્યક્તિ જ્યારે સફળતાનાં શિખરો સર કરે છે ત્યારે તેના પાછળ તેની સખત મહેનત અને તેનામાં રહેલી યોગ્યતાનો મહત્વનો ફાળો હોય છે. પરંતુ ફક્ત આ બે વાતો જ તેને સફળતા અપાવશે તેવો વિચાર જ તેને લાગણીહીન બનાવી દે છે. જેઓ થોડા લાગણીશીલ થવા માંગતા હોય તેમણે ભાગ્ય અને પરમસત્તાને પણ માન આપવું જોઈએ. આપણી હદ બાદ ‘તેની’ હદ ચાલુ થઈ જાય છે. મુસ્લિમ ફકીર જણાવે છે કે પ્રાર્થના અને જાદુનો મિલાપ અસંભવ...
Prayer2[1]1
 
 
danik bhaskar

નાણાંને શ્રમ અને સમયની સાથે જોડી રાખોThursday, February 25, 2010 00:09 [IST]

વર્તમાન સમય નાણાં કમાવાની હરીફાઈ અને દોડનો છે. કોઈ પણ ધર્મશાસ્ત્ર કે ગુરુએ તેના માટે ના નથી પાડી. હિન્દુઓના અવતારોએ તો સંપત્તિના સદુપયોગને પોતાના આચરણથી ઘણો સારી રીતે બતાવ્યો છે. બુદ્ધ અને મહાવીરે તો પોતાની અતિસંપત્તિ જોઈને સર્વસ્વ ત્યજી દીધું હતું. ઈસુ ખ્રિસ્તે પણ દરેક પ્રકારની ગરીબાઈનો વિરોધ કર્યો હતો. પયગંબર મોહમ્મદ સાહેબે પણ વેપારના બધા જ કાયદાઓ અંગે સ્પષ્ટ વિચારો વ્યકત...
 
 
danik bhaskar

આપણી અંદર સાચી તરસ હોવી જરૂરી છેThursday, February 25, 2010 00:05 [IST]

એક ઉત્સાહિત યુવાનની એક મહત્વાકાંક્ષા હતી કે પ્રાચીન ઋષિઓની પેઠે તે પણ એક નવું ઉપનિષદ લખે. તેણે સૃષ્ટિકર્તા બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થતાં એણે કહ્યું કે મારી ઇચ્છા છે કે હું એક નવું જ ઉપનિષદ લખું’ તો મારે શું કરવું જોઈએ?’ ‘હાલ તો બધાં ઉપનિષદો છે તેનો અભ્યાસ કર.’ બ્રહ્માજીએ કહ્યું, ‘પણ પ્રભુ, હું તે વાંચીશ તો મને નવા વિચારો સ્ફૂરશે જ નહીં. ’ ‘તો પછી હમણાં તું...
 
 
danik bhaskar

સકારાત્મક વલણ સફળતા અપાવે છેWednesday, February 24, 2010 00:34 [IST]

સામેવાળા પર અનુકૂળ પ્રભાવ પાડવો પણ એક કળા છે. તમારી બોલવા-ચાલવાની રીત, હાવભાવનું પ્રદર્શન, વિચારવાની-સમજવાની શૈલી જો સામેવાળાને અનુકૂળ વાતાવરણ આપશે તો મેનેજમેન્ટના નિષ્ણાતો તેને પોતાની ભાષામાં પોઝિટિવ સ્ટ્રોક્સ કહે છે, નહીંતર નેગેટિવ સ્ટ્રોક્સનું નુકસાન જોવા મળે છે. હનુમાનજી જ્યારે લંકા પહોંચ્યા, તો સ્થિતિ પ્રતિકૂળ હતી. રાક્ષસોનો તે કિલ્લો અભેધ હતો,વધારામાં માયાનગરી....
hanumanji[1]1
 
 
danik bhaskar

વિશાળ હૃદય જીવન છે અને નાનું મન મૃત્યુWednesday, February 24, 2010 00:30 [IST]

એક મહિલા નિ:સંતાન હોઈ બહુ દુ:ખી રહેતી હતી. જેણે પણ જે ઇલાજ બતાવ્યો તેણે કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. કોઈએ તેને સંત ચિદમ્બરમનું સરનામું આપ્યું અને જણાવ્યું કે જે માગીશ તે મળશે. સંત ચિદમ્બરમ મોટા સંત હતા. તે મહિલા તેમની પાસે પહોંચી. ત્યાં ભક્તોની ભીડ એકઠી થયેલી હતી. સંતે તે મહિલાને મુઠ્ઠી ભરીને ચણા આપ્યા અને જણાવ્યું કે સામેના ઝાડ નીચે બેસીને શાંતિથી ચણા ખા. હું થોડી વાર પછી તને...
Women-Upset1
 
 
danik bhaskar

સ્વાર્થ ત્યજી સમર્પણની ભાવના રાખોTuesday, February 23, 2010 00:37 [IST]

ચિત્રકુટમાં શ્રીરામ અને ભરતનું મિલન થયું અને ભરતે શ્રીરામને અરજ કરી કે તેઓ વનવાસ છોડીને અયોઘ્યા પાછા ફરે અને રાજતિલક સ્વીકારે. ચિત્રકુટમાં શ્રીરામે ભરતને પિતાને આપેલાં વચનો યાદ કરાવીને રાજપાઠ કરવાનો ઇનકાર કરી દીધો. ભરતને શાસન-વ્યવસ્થા સંભાળવા માટે ઉપદેશ આપતા શ્રીરામ જણાવે છે કે, તું મુનિ, માતા, મંત્રીઓની સજા માનીને પૃથ્વી, પ્રજા અને રાજધાનીનું રક્ષણ કરજે. ભરતે શ્રીરામને ...
Selfishness[1]1
 
 
danik bhaskar

સંત બનવા માટે સંયમ જરૂરી છેTuesday, February 23, 2010 00:33 [IST]

ઇજિપ્તના પ્રખ્યાત સંત જુન્નુનની પાસે એક શિષ્ય દીક્ષા લેવા આવ્યો, પરંતુ ચાર વર્ષ તેમની સાથે રહીને પણ તે જણાવી શક્યો નહીં કે તે કેમ આવ્યો છે? એક દિવસ સંતે તેમને પૂછ્યું કે શું ઇચ્છો છો? ત્યારે યુસુફ હુસેન બોલ્યો, હું ધર્મની દીક્ષા લેવા માગું છું. સંત બોલ્યા, તે તો થઈ જશે, પહેલાં તારે એક ખોખું નાઈલ નદીના કિનારે મારા એક મિત્રને પહોંચાડવાનો છે. શરત એટલી છે કે રસ્તામાં તે ખોલવાનું નથી....
SAINT1
 
 
danik bhaskar

કપરા સમયમાં યોગ્યતા જ કામ લાગે છેMonday, February 22, 2010 00:16 [IST]

એક સુંદર હરણ તળાવમાં પાણી પીવા પહોંચ્યું. પાણીમાં પોતાનો પડછાયો જોઈને તે ખૂબ પ્રસન્ન થઈ ગયું અને કહેવા લાગ્યું,અરે, ભગવાને મારું આ શરીર કેટલું સુંદર બનાવ્યું છે. માથું તો જાણે કે બીબામાં ઢાળેલું હોય અને તેના પર લાંબા-લાંબા આ શિંગડાં કેટલા સુંદર દેખાઈ રહ્યાં છે. આવાં સુંદર અને મજબૂત શિંગડાં ભગવાને બીજા કયાં પશુને આપ્યાં છે વળી! આટલું કહેતાં-કહેતાં હરણની નજર તેના પગ પર પડી. પગ...
deer1
 
 
danik bhaskar

તમારી જાગૃત અવસ્થા દુર્ગુણોથી બચાવે છેMonday, February 22, 2010 00:15 [IST]

યુદ્ધનો નિયમ છે કે દુશ્મનને જેટલો સમજી શકો તેટલો સમજી લેવો, સમજ્યા વગર હુમલો ન કરવો જોઈએ. સાથે જ દુશ્મન કરતાં પોતાના શસ્ત્રની સમજ વધારે રાખવી જોઈએ. જીવનમાં સૌથી મોટો અને ખતરનાક હુમલો દુર્ગુણો કરે છે. તેની પાસે વાસના જેવાં સૂક્ષ્મ હથિયાર હોય છે અને બીજા કેટલાંક સ્વરૂપમાં પણ અસ્ત્ર-શસ્ત્ર હોય છે. મનુષ્ય પાસે આ હુમલાથી બચવા માટે એક જ હથિયાર છે અને તે છે બુદ્ધિ. ભક્તિ અને સાધારણ...
krishna_arjuna1
 
 
danik bhaskar

ધર્મને નામે વિવાદ કરવો યોગ્ય નથીSaturday, February 20, 2010 00:06 [IST]

એક ગામમાં લક્ષ્મીનારાયણનું મંદિર હતું. તેની સામેની બાજુ એક શિવાલય હતું. આ મંદિરોની બહાર એક વૃદ્ધા ફૂલ વેચતી હતી. એક દિવસ વૃદ્ધા પાસે ફૂલ ખલાસ થઈ ગયા. ત્યારે જ ત્યાં એક શિવભક્ત આવ્યો અને ફૂલ માગવા લાગ્યો. તે જ સમયે એક નારાયણભક્તે પણ ફૂલની માગણી કરી. વૃદ્ધાએ જવાબ આપ્યો કે મારી પાસે થોડાક જ ફૂલ છે. પેલો શિવભક્ત બોલ્યો, તું મને ફૂલ આપ, મહાદેવને ફૂલની વધુ જરૂર છે. આ સાંભળીને નારાયણભક્ત...
religious1
 
 
danik bhaskar

માનવીની ઇચ્છાઓ ક્યારેય પૂરી થતી નથીSaturday, February 20, 2010 00:06 [IST]

બેમુસ્લિમ સગા ભાઈ હતા અને તેમની વાતચીતનો એક જાણીતો કિસ્સો છે, પરંતુ તેના પહેલાં રાવણ અને લક્ષ્મણ વચ્ચે થયેલી ચર્ચાને યાદ કરી લઈએ. રાવણના અંતિમ સમયમાં લક્ષ્મણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે રાક્ષસરાજ, શું તમારી બધી જ ઇચ્છાઓ પૂરી થઈ ગઈ છે? રાવણે જવાબ આપ્યો કે ઇચ્છાઓ કયારે અને કોની પૂરી થતી હોય છે? એક પૂરી કરો તો બીજી પેદા થઈ જ જતી હોય છે. પ્રથમ ઇચ્છા બીજી ઇચ્છાનો પાયો બની જાય છે. આથી પોતાની...
think1
 
 
danik bhaskar

સાદાઈ એ જીવનમાં સફળ થવાનો મંત્ર છેFriday, February 19, 2010 00:04 [IST]

એક વખત યુનાનનો રાજદૂત ભારત આવ્યો હતો. તેમણે મૌર્ય સામ્રાજયના મહામંત્રી ચાણકયનાં વખાણ સાંભળ્યા હતા. રાજદૂત ચાણકયને મળવા માટે તેમના ગંગાકિનારે આવેલા ઘર તરફ ચાલી નીકળ્યા. ત્યાં પહોંચીને તેમણે જોયું કે ગંગાના તટ પર એક લાંબો-ઊચો અને કદાવર વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ સ્નાન કરી રહ્યો હતો. જ્યારે તે સ્નાન કર્યા બાદ પોતાના કપડાં ધોવા લાગ્યો તો રાજદૂતે તેની પાસે જઈને પૂછ્યું કે, મહાશય,...
chanakya1
 
 
danik bhaskar

દાન આપતી વખતે ભાવના ચોખ્ખી રાખોFriday, February 19, 2010 00:04 [IST]

આજકાલ સમગ્ર દુનિયામાં ધાર્મિક આયોજનોનું જાણે કે પૂર આવ્યું છે. આ વ્યવસ્થાઓ માટે દાન પણ માગવામાં આવતું હોય છે. કેટલીક વખત તો સાધુસંત પણ દાન-દક્ષિણા માગતા જોવા મળે છે. આથી ઘણા લોકો એવું કહેતા હોય છે કે પછી આ લોકો અને ભિખારી વચ્ચે શું અંતર છે? આપણા દેશે અઘ્યાત્મ જગતમાં એક મૌલિક સંબોધન આપ્યું છે, ભિક્ષુક, ઋષિ-મુનિ, સંત-મહાત્મા. આ બધાએ જાહેરમાં ભીખ માગી છે. બુદ્ધ અને મહાવીરનું જીવન જોશો તો...
donate_small1
 
 
danik bhaskar

પરમાત્માનું સતત સ્મરણ કરતાં રહેવું જોઈએThursday, February 18, 2010 00:16 [IST]

ભૌતિકતામાં ચિંતન હોય છે અને ભકિતમાં સ્મરણ. આજે આ અંતરને સમજીએ. બધા જ ધર્મોએ સ્વીકાર્યું છે કે સ્મરણ ભક્તિનો પ્રાણ છે. તેનો સીધો અર્થ એ છે કે મનના અંદર પરમાત્માની સતત યાદ જળવાઈ રહેવી જોઈએ. સ્મરણનો અર્થ છે કે અલગથી કોઈ બીજું કામ ન કરવું, બસ જે થઈ રહ્યું છે તેને થવા દેવું. જે લોકો પ્રભુ સ્મરણ સાથે જીવે છે તેઓ જીવનમાં અસાધારણ બની જાય છે અને જે વિસ્મરણ સાથે જીવે છે તેઓ સાધારણ જ રહી જાય...
god1
 
 
danik bhaskar

જીવનમાં હંમેશાં સકારાત્મક વિચારો જરૂરીThursday, February 18, 2010 00:15 [IST]

એક દિવસ જંગલમાંથી પસાર થતી વખતે નારદે જોયું કે એક મનુષ્ય ઘ્યાનમાં એટલો મગ્ન છે કે તેના શરીરની ચારે બાજુએ ઊધઈ લાગી ગઈ છે. નારદને જોઈને તેણે તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું કે, હે પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો ? નારદે જવાબ આપ્યો કે હું વૈકુંઠ જઈ રહ્યો છું. ત્યારે તે વ્યક્તિએ નારદને નિવેદન કર્યું કે તો પછી તમે ભગવાનને પૂછીને આવજો કે મને કયારે મુક્તિ મળશે? નારદે કહ્યું સારું. થોડા આગળ જતાં...
positive-thinking1
 
 
danik bhaskar

હંમેશાં પોતાની જાત સાથે જોડાયેલા રહોWednesday, February 17, 2010 01:04 [IST]

કોઈ વ્યક્તિની જયારે તબિયત લથડી જાય તો વડીલો કહેતા હોય છે કે થોડું જાત પર પણ ઘ્યાન આપવું જોઈએ. આ વાત પાછળ ઊડો ગૂઢાર્થ છે. આપણે આખો દિવસ જેટલા કામ કરીએ છીએ, તેમાં પોતાની જાત પર ઘ્યાન આપતા જ નથી. ખાવા અને ચાલવાની ક્રિયા જોઇએ તો જાણવા મળશે કે આ બંને કામ કરતા સમયે આપણે કોઈ બીજી જ દુનિયામાં ખોવાયેલા હોઈએ છીએ, બિલકુલ બે જુદા વ્યક્તિત્વની જેમ. આને જ અઘ્યાતમએ ઊઘનો નશો કહ્યો છે.



એક ઊઘ તે...

connect1
 
 
danik bhaskar

બધા જ પાસાઓનો અભ્યાસ કરીને નિર્ણય લોWednesday, February 17, 2010 01:04 [IST]

એક વખત ચીનના સમ્રાટ વિરુદ્ધ એક પ્રાંતમાં બળવો પોકારાયો. સમ્રાટને બળવાખોરો પર ભારે ગુસ્સો આવ્યો. તેમના સેનાપતિ અને મંત્રીઓએ સલાહ આપી કે મહારાજ, આ બળવાખોરોને આકરો દંડ ફટકારવો જોઈએ. આપણું સૈન્ય તેમને કચડી નાખવા માટે આતુર છે.



તમારા આદેશની જ રાહ જોવાઈ રહી છે. સમ્રાટે કંઈક વિચાર્યું અને પછી બોલ્યા, ચાલો તમારી સાથે હું પણ આવું છું. સમ્રાટ પોતાની સેનાને લઈને તે પ્રાંતની સરહદ પર...

china1
 
 
danik bhaskar

વિનમ્રતા થકી સૌનાં દિલ જીતી શકાયTuesday, February 16, 2010 00:06 [IST]

એક દિવસ ગામમાં મેળા જેવી ભીડ જામી હતી. રાજધાનીમાંથી એક નેતા ભાષણ આપવા આવી રહ્યા હતા. આજુબાજુના ગામોના લોકો પણ બળદગાડાઓ, ઘોડાગાડીઓ અને સાઇકલો પર બેસીને આવી રહ્યા હતા. સાંજ પડતાંની સાથે જ મંડપ ખીચોખીચ ભરાઈ ગયો. થોડા સમય બાદ નેતા આવી પહોંચ્યા. નેતાજીની સાથે તેમના સાથીઓ પણ મંચ પર આવીને બેસી ગયા. નેતાજીએ ભાષણ આપવાનું ચાલુ કર્યું. ભાષણનો વિષય હતો-અહિંસા. શોરબકોર બંધ થયો નહીં....
address1
 
 
danik bhaskar

વ્યક્તિએ પોતાનો આંતરિક વિકાસ કરવો અનિવાર્યTuesday, February 16, 2010 00:14 [IST]

આપણા ઋષિમુનિઓનું માનવું છે કે માણસ અને બીજમાં ઘણીબધી સમાનતા છે. બીજનો જીવ તેના અંકુરિત થવામાં છે. જો બીજ એમ સમજી લે કે તેનું બીજ હોવું જ તેની પૂર્ણતા છે તો તેના અંદર જે ભવિષ્ય છુપાયેલું છે તે સમાપ્ત થઈ જશે. તેના અંકુરિત થવામાં જ તેનું સાચું જીવન છે.



માણસ સાથે પણ કંઈક આવું જ છે. તેણે પણ પોતાની અંદર અંકુરિત થવાની સંભાવના જાળવી રાખવી જોઈએ. તેને જ આંતરિક પરિવર્તન કહેવામાં આવ્યું...

progress1
 
 
danik bhaskar

ભૌતિક સુખ-સુવિધા પાછળ ગાંડા ન થવુંMonday, February 15, 2010 00:06 [IST]

જે પરિવારના મોભી પોતાના ઘરના સભ્યોની ભૌતિક માગણીઓને પુરી કરવાને જ પોતાની ફરજ સમજતા હોય અને તેને પૂરી પણ કરતા હોય તો તેમણે ભવિષ્યનાં ખતરનાક પરિણામો માટે તૈયાર રહેવું જોઈએ. ભૌતિક સુખ-સુવિધાઓનો સીધો સંબંધ શરીર સાથે હોય છે.આજની આધૂનિક જીવનશૈલીમાં લોકોને ભૌતિક સુખ-સુવિધા વગર ચાલતું નથી. આપણું સમગ્ર ઘ્યાન તે જરૂરિયાતો પૂરી કરવામાં લાગી જાય છે. મકાન, ગાડી, ટીવી, કૂલર, એસી બધું જ...
palace1
 
 
danik bhaskar

પોતાની જાતને ન ઓળખો ત્યાં લગી સફળતા ન મળેMonday, February 15, 2010 01:49 [IST]

ખલીફા હારુન રશીદ અત્યંત પરોપકારી વ્યકિત હતા. સંતપ્રવૃત્તિની સાથે તેમનું મન લોકહિતની ભાવનાથી ભરેલું હતું. ગરીબોની મદદ કરવી તે પોતાની ફરજ સમજતા હતા. આથી દુ:ખી અને નિર્ધન લોકો હંમેશાં તેમની પાસે આવીને મદદ મેળવતા હતા. એક વખત એક ભિખારી આવ્યો અને બોલ્યો, ખુદાના નામે મને કંઈક ભીખ આપી દો.



ખલીફા બોલ્યા, એ ખુદાના બંદા, ખુદાના નામે ફકત ભીખ માગી રહ્યો છે. ખુદા તો મોટો દાતા છે. તેની પાસે...

know11
 
 
danik bhaskar

પોતાની શક્તિનો કાયમ સદુપયોગ કરવો જોઈએSaturday, February 13, 2010 00:05 [IST]

જીવન દર્શન



શ્રુતાયુધની પાસે ભગવાન શંકરના વરદાનથી મળેલી એક અમોઘ ગદા હતી. તેની પાછળની કથા એ હતી કે શ્રુતાયુધના તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ભેટસ્વરૂપે આ વરદાન એ શરતે આપ્યું હતું કે તેઓ કયારેય પણ આ ગદાનો અનીતિપૂર્વક ઉપયોગ નહીં કરે. જો તેઓ નીતિ વિરુદ્ધનું આચરણ કરશે તો તેમનો પોતાનો જ સર્વનાશ થઈ જશે.



મહાભારતના યુદ્ધમાં શ્રુતાયુધને અર્જુન સાથે લડવું પડયું હતું. યુદ્ધ...

krishna1
 
 
danik bhaskar

પતિ-પત્ની વચ્ચે સમાનતાનો ભાવ હોવો જોઈએSaturday, February 13, 2010 00:02 [IST]

જીવન-પંથ



પોતાનું દામ્પત્ય જીવન સુખી રહે એવું બધા જ ઇચ્છતા હોય છે. દાંપત્ય જીવનમાં આપણે મૂળભૂત વાતને બાજુ પર મૂકીને બાહ્ય આવરણ ઓઢી લેતા હોઈએ છીએ, જેના પરિણામે સુખને બહારથી લાવવાનો પ્રયાસ કરીએ છીએ. દામ્પત્ય જીવનમાં સુખ બિલકુલ એવું જ, જેવું આપણે કોઈ વસ્તુને મૂકીને ભૂલી જઈએ. જો તેને યોગ્ય રીતે શોધવામાં આવે તો તે તુરંત મળી જાય છે, બહારથી લાવવી પડતી નથી. પરિવારમાં સુખનું સ્થાન પણ...

similarity1
 
 
danik bhaskar

હંમેશાં અસત્યની હાર અને સત્યનો વિજય થાય છેFriday, February 12, 2010 00:32 [IST]

જીવન દર્શન



સમ્રાટ અકબરના દરબારમાં અસંખ્ય કવિ, સંગીતકારો અને વિદ્વાનો હતા, પરંતુ તે બધામાં વ્રજના કવિ શ્રીપતિનું વિશેષ સ્થાન હતું. બીજા કવિ અકબરના જ ગુણગાન ગાતા જયારે શ્રીપતિ રામ અને કૃષ્ણ સિવાય કોઈ બીજાનાં વખાણ કરતા નહીં. આમ છતાં અકબર તેમને ઇનામો આપતા.



બીજા દરબારીઓ શ્રીપતિની ઈર્ષા કરતા કેમ કે તેમને શ્રીપતિ જેટલું માન-સન્માન મળતું ન હતું. એક દિવસ આ ઈર્ષાળુ કવિઓ અને...

akabar1
 
 
danik bhaskar

નારીશક્તિનું કાયમ સન્માન કરવું જોઈએFriday, February 12, 2010 00:32 [IST]

જીવન-પંથ



સ્ત્રીને લઈને દુનિયાનું વલણ ક્યારેય બદલાયું નથી. પુરુષપ્રધાન સમાજ પુરાતનકાળથી જ સ્ત્રીની ઉપેક્ષા કરતો આવ્યો છે. સત્યનારાયણની કથામાં સાધુ નામનો વૈશ્ય પોતાના જમાઈ સાથે જયારે વેપાર કરવા જાય છે, ત્યારે તેને જેલમાં નાખી દેવામાં આવે છે. આ પ્રસંગમાં બંનેની પત્નીઓ ગામમાં એકલી હતી.



આ બાજુ તેમના પતિ જેલમાં હતા. આથી સમાજે પણ તેમના તરફથી મોઢું ફેરવી લીધું. જયારે...

woman-power1
 
 
danik bhaskar

કુંભમાં ખોવાયેલા કઈ રીતે મળે...Thursday, February 11, 2010 16:48 [IST]

ખોયા-પાયા કેન્દ્રના સંચાલક નરેન્દ્ર શર્માનો આખો દિવસ ખોવાઈ ગયેલાઓને શોધવામાં જાય છે. આખા દિવસમાં શર્માજી પાસે પાનસો લોકો પોતાના સગા ખોવાઈ ગયાની ફરીયાદ લઈને આવે છે.



મહાકુંભ 2010માં ગુમ થયેલ લોકોની તપાસ માટે ઉત્તરાખંડ પોલીસે એક ‘ખોયા-પાયા’ કેન્દ્ર બનાવ્યું છે. અત્રે હાજર જવાનો સવારથી લઈને સાંજ સુધી ખોવાયેલા લોકોને તેમના સંબંધીઓ સાથે મેળવવાનું કામ કરે છે.



નરેન્દ્ર...

kumbh1_310_01111
 
 
danik bhaskar

મફતમાં મળતી વસ્તુની પણ કિંમત હોય છેThursday, February 11, 2010 00:19 [IST]

એક સમયે એક શહેરમાં અત્યંત ધનવાન વ્યક્તિ રહેતો હતો. તે ખેતી કરવાની સાથે સાથે જુદો જુદો વેપાર પણ કરતો હતો. મોટા વિશાળ વિસ્તારોમાં તેના બગીચા ફેલાયેલા હતા, જેમાં જાત-જાતનાં ફળ ઊગતા હતા. તેના બગીચાઓમાં દાડમનાં વૃક્ષોની સંખ્યા સૌથી વધુ હતી અને માળીઓની દેખરેખમાં તે વધુ સારા વિકસી રહ્યાં હતાં.



તે વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ હતી અને સાથે સાથે તેનું મન પણ વિશાળ હતું. વસંત ઋતુ આવતાની...

Pomegranate1
 
 
danik bhaskar

શરીરની જેમ જીવન ઊર્જા માટે સમય ફાળવોThursday, February 11, 2010 00:18 [IST]

આપ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે છે કે અંતે બ્રહ્મચર્ય શું હોય છે? યુવાનો આ પ્રશ્ન વધારે પૂછતા હોય છે. તેનો શાબ્દિક અર્થ એ થાય છે કે જે ઈશ્વરમાં લીન હોય તે બ્રહ્મચારી છે. વધુ ઊડા ઊતરીએ તો તેનો વિવાહિત કે અવિવાહિત હોવા સાથે તેટલો સંબંધ નથી જેટલો કામશકિતના ઉપયોગ સાથે છે. દરેકની અંદર આ શકિત જીવન ઊર્જાના સ્વરૂપમાં રહેલી હોય છે.



જયારે કોઈ વ્યક્તિ પરમાત્મા, આત્મા, પરલોક, પુનર્જન્મ,...

life1
 
 
danik bhaskar

અંતરાત્મામાં પણ ડોકિયું કરતા રહેવું જોઈએWednesday, February 10, 2010 00:46 [IST]

આજે વ્યકિત બહારની દુનિયામાં એટલો ખોવાઈ ગયો છે કે તે ભૂલી જ ગયો કે પોતાની મનુષ્યતાની અંદર પણ એક યાત્રા થઈ શકે છે. તમે ગમે તેટલા વ્યસ્ત હો, પોતાની અંદરનો પ્રવાસ કરવાનું કયારેય ના ભૂલો. ચોવીસ કલાકમાં થોડો સમય પોતાની સાથે જરૂર પસાર કરવો જોઈએ.

આપણું કામ, ઉપયોગની સામગ્રીઓ, સગાસંબંધીઓ, ઘટનાઓ વગેરેની સાથે આપણો સમય પસાર થઈ જાય છે,પરંતુ પોતાની સાથે રહેવાનું ચૂકી જઈએ છીએ. અંદર ઉતરવામાં...

paradise11
 
 
danik bhaskar

આત્મવિશ્વાસથી મુશ્કેલીઓમાંથી માર્ગ મળે છેWednesday, February 10, 2010 00:08 [IST]

જીવન દર્શન



એક યુવાન સૈનિક લગ્ન બાદ પોતાની પત્નીને લઈને દરિયાઈ સફરે નીકળી પડયો. તે નૌકાદળનો તે સાહસિક જવાન હતો, આથી તેને આ મુસાફરીમાં આનંદ પણ આવતો હતો. તેની પત્નીની આ પ્રથમ જળયાત્રા હતી, આથી તે ભયભીત હતી. વિશાળ સમુદ્ર જોઈને ડરી ગયેલી તેની પત્ની વારંવાર ઘરે પાછા ફરવાનો આગ્રહ કરતી હતી, પરંતુ સૈનિક તેને કહેતો કે તું નાહકની આટલી બધી ચિંતા કરે છે.



પત્ની ડરતાં ડરતાં બોલી કે...

confidence1
 
 
danik bhaskar

શ્રદ્ધા અને દ્રઢ ઇચ્છાશક્તિથી જ ભગવાન મળેTuesday, February 09, 2010 00:37 [IST]

એક ગામમાં એક વખત દુષ્કાળ પડ્યો હતો. બધાં જ તળાવો અને કૂવા સુકાઈ ગયાં હતાં. ત્યારે ગામના લોકોએ ગામના પાદરે આવેલા શિવજીના મંદિરે સામૂહિક પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવાર પડતાંની સાથે જ ગામના બધાં લોકો શિવમંદિર તરફ ચાલતા થઈ ગયા. બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો બધાં જ ભગવાન પ્રત્યેની એક શ્રદ્ધા સાથે ડગલાં ભરી રહ્યા હતા. આ બધામાં જ એક બાળક એવો હતો જે હાથમાં છત્રી લઈને જઈ...
 
 
danik bhaskar

મનને શાંત કરવા કેવા ઉપાયો કરવા જોઈએ ?Tuesday, February 09, 2010 00:36 [IST]

એક સામાન્ય સિદ્ધાંત છે કે સીધા-સાદા લોકો ઘરસંસાર માંડે છે અને તેને સારી પેઠે ચલાવી પણ જાણે છે. સજ્જનતા અને શિષ્ટાચાર વચ્ચે અત્યંત પાતળું અંતર છે. ઘરસંસાર ચલાવતી વખતે કેટલાય સજ્જન લોકો વિવેક ગુમાવી બેસે છે. વિવેક જાળવવો એક આત્મિય શિસ્ત છે. ઘર-પરિવારના જીવનમાં વિલાસ અને અહંકાર ઝડપથી પ્રવેશે છે, વિવેક તેના માટે સ્પીડબ્રેકરનું કામ કરે છે. ઘરના દરેક સભ્યો એકબીજા પ્રત્યે અને ખાસ...
 
 
danik bhaskar

સુખ-દુ:ખ જે મળે તેમાં સંતોષ માનવોMonday, February 08, 2010 00:12 [IST]

એક ખીણમાંથી એક નદી પસાર થતી હતી. તેને મળતા બે નાનાં-નાનાં ઝરણાં એક જગ્યાએ ભેગા થયા અને વાતો કરવા લાગ્યા. એક બોલ્યો, અરે દોસ્ત, તારી સફર કેવી રહી, રસ્તો તો સારો હતો ને ? પેલો બોલ્યો, રસ્તાની તો વાત જ ના કર, અત્યંત ભયાનક હતો. પોતાના ખેતરમાં મારા પાણીના પ્રવાહને વાળનારાનું મોત થઈ ગયું. તેના જતા રહેવાથી હું તો એકલો જ રહી ગયો હતો. ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈને અહીં પહોંચ્યો છું. તડકામાં...
valley1
 
 
danik bhaskar

આત્મા શુદ્ધ હશે તો જ પરમાત્મા મળશેMonday, February 08, 2010 00:12 [IST]

વતે જીવ જો પુનર્જન્મ થઈ જાય તો જૈન ધર્મના મહાવીરસ્વામી અનુસાર સાધુતા ઘટી જશે અને હિન્દુ ધર્મના શંકરાચાર્યના અનુસાર બ્રાહ્મણત્વ સમાપ્ત થઈ જશે. હિન્દુઓએ આને જ દ્વિજ કહ્યું છે અને જૈનોએ મુનિ તરીકે સ્વીકાર્યું છે. મહાવીરસ્વામીનું એક સૂત્ર છે- જે પુણ્યની ઇચ્છા કરે છે તે સંસારની ઇચ્છા રાખે છે. સદ્ગતિ મેળવવા માટે પુણ્ય કરવું જરૂરી છે, પરંતુ નિર્વાણ તો પુણ્યના નાશથી જ મળે છે.અહીં...
MahavirSwami[1
 
 
danik bhaskar

એકાંતનું ઘ્યાન પ્રભુની નજીક લઈ જાય છેSaturday, February 6, 2010 00:22 [IST]

જીવન-પંથ



કેટલીક વખત આપણે સારું કામ કરતાં હોઈએ છીએ, પરંતુ તેમાં બૂરાઈના છાંટા પડી જાય છે. પૂજા કરીએ છીએ તો દેખાડો વધુ થઈ જાય છે, ઘ્યાન ધરીએ છીએ તો ઊઘ પ્રભાવી થઈ જાય છે, પ્રાર્થના કરીએ છીએ તો પ્રદર્શન વધુ થાય છે અને સેવા કરીએ છીએ તો ઘમંડ પ્રવેશી જાય છે. કયારેક એ જાણવાનો પ્રયાસ કર્યોછે કે એવું શા માટે થતું હોય છે?



કેમ કે મન પોતાનો પ્રભાવ બતાવતું હોય છે. આપણા દરેક કામમાં ઇચ્છાઓ...

dhyan1
 
 
danik bhaskar

વિવેકબુદ્ધિથી કરેલું કામ સારું જ હોય છેSaturday, February 6, 2010 00:21 [IST]

જીવન દર્શન



સંત તુકોજી મહારાજ પોતાના પ્રિય શિષ્યો સાથે ભજનકીર્તનમાં મગ્ન રહેતા હતા. દરેકના પ્રત્યે સદ્ભાવના અને શુભચિંતન જ તેમનો ધર્મ હતો. એક વખત તેમના પર અપાર શ્રદ્ધા ધરાવતી એક વ્યકિતએ પોતાની દુકાનનું નામ ગુરુદેવ સલૂન રાખી દીધું. સંતના એક શિષ્યને જયારે આ વાતની ખબર પડી તો એકદમ ગુસ્સે થઈ ગયો.



સંતની સામે જ તે લાલપીળો થઈને બોલવા લાગ્યો કે આ તો તમારું અપમાન છે. હું તેના...

tukaram1
 
 
danik bhaskar

બુદ્ધિ અને બળ સાથે વિવેક પણ જરૂરી છેFriday, February 5, 2010 00:29 [IST]

જીવન-પંથ



શરીર પણ એક પ્રકારની સંપત્તિ છે. કુદરતે તેના ઉપયોગના કેટલાક ફાયદા બનાવેલા છે. કુદરતી સંરચનાઓનું જેટલી કડકાઈ સાથે આપણે પાલન કરીશું, આપણું શરીર પણ તેટલું જ સ્વસ્થ રહેશે. બધું જ ઝડપથી મેળવી લેવાના આધૂનિક યુગમાં સફળતા મેળવવા માટે શરીરને તંદુરસ્ત રાખવું જરૂરી છે.



ઝડપથી સફળ થવાની તમારી આ દોડમાં બીમારી એક સ્પિડ બ્રેકર જ નહીં બને, પરંતુ એક મોટો ખાડો કે ખીણ બની જશે....

body-power1
 
 
danik bhaskar

ખોટું કરનાર કરતાં તેને મદદ કરનાર વધુ ખરાબFriday, February 5, 2010 00:23 [IST]

જીવન દર્શન



પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલી રહી હતી. બધા જ વિદ્યાર્થીઓ એકાગ્રતાથી પ્રશ્નોના જવાબ લખી રહ્યા હતા. ઈશ્વર ભણવામાં હોશિયાર વિદ્યાર્થી હતો. તેની પાછળ બેઠેલો તેનો મિત્ર મનીષ જે આળસું વિદ્યાર્થી હતો, તે મદદ માટે ઈશ્વરને ઇશારા કરી રહ્યો હતો. તે દિવસે ગણિતનું પેપર હતું. બધા જ પ્રશ્નોના જવાબ લખ્યા બાદ ઈશ્વર થોડો હળવો થયો.



આથી મનીષે પાછળથી તેની ખુરશી હલાવી અને કંઈક...

copy1
 
 
danik bhaskar

કર્મ કરતાં રહો, ફળની ક્યારેય અપેક્ષા ન રાખોThursday, February 4, 2010 00:17 [IST]

જીવન-પંથ



આચાર્ય શ્રીરામ શર્માએ પરિવાર માટે સરસ અભિપ્રાય આપતાં જણાવ્યું કે આજકાલ પરિવારો ઈચ્છાઓનું વટવૃક્ષ બની ગયા છે. તેમની વાતને થોડા આગળ વધીને આજની પરિસ્થિતિમાં વિચારીએ તો બધી જ પારિવારિક ગતિવિધિઓ વાસનાઓનો ફેલાવો બની ગઈ છે. ઇન્દ્રિયોના હિંચકા પર આખો પરિવાર ઝૂલી રહ્યો છે અને વધારે પડતા હિંચકા ખાવાના કારણે ચક્કર આવી રહ્યા છે, તબિયત બગડી રહી છે. તેનું નામ જ બેચેની,...

god1
 
 
danik bhaskar

સ્વાઘ્યાય વિના જ્ઞાનનો પ્રકાશ મળતો નથીThursday, February 4, 2010 00:14 [IST]

જીવન દર્શન



સામાન્ય રીતે ભગવાન પાસે થતી આપણી પ્રાર્થના સુખોપભોગ પૂરતી સીમિત હોય છે, પરંતુ સેન્ટ ફ્રાન્સિસે પ્રભુને કરેલી પ્રાર્થનામાં ભગવાનને કહ્યું, પ્રભુ! મને તમારી શાંતિ માટેનાં સાધન બનાવો. આપણને કદી ભગવાનના સાધન બનવાનો વિચાર આવે છે? શાંતિ નિર્માણ થાય તે માટે હું નિમિત્ત બનું, પ્રયત્નશીલ બનું તેવો વિચાર આવે છે?



‘જયાં ધિક્કાર અને તિરસ્કારની લાગણી હોય ત્યાં...

pray1
 
 
danik bhaskar

ખરો કર્તાહર્તા ભગવાન, આપણે તો માત્ર માઘ્યમWednesday, February 3, 2010 00:13 [IST]

એક રાજાને એ બાબતનું અભિમાન હતું કે તે પોતાના રાજયના બધા જ પ્રાણીઓનું ભરણપોષણ કરે છે. લોકો વિષ્ણુને જગતના પાલક ખોટા માને છે. ભગવાનને કોણે જોયા છે? વાસ્તવિકતા તો એ જ છે કે હું જ મારી પ્રજાનું પોષણ કરું છું. એક વખત એક યોગી તેના રાજયમાં આવ્યો અને નગરની બહાર એક ઝાડ નીચે આસન જમાવીને બેસી ગયો. ધીમે-ધીમે યોગી પ્રખ્યાત થઈ ગયો અને તેની પાસે લોકોની ભીડ થવા લાગી.



યોગીની ખ્યાતિ સાંભળીને...

vishnu1
 
 
danik bhaskar

આપણાં કર્મો થકી જ સ્વર્ગ કે નર્ક મળે છેWednesday, February 3, 2010 00:12 [IST]

સ્વર્ગ-નર્ક છે કે નહીં એ બાબતને લઈને બધા જ ધર્મોના આચાર્યોમાં મતભેદ રહ્યા છે અને અંતે લાંબી ચર્ચા બાદ એ નક્કી થયું છે કે જયાં સુખ છે ત્યાં સ્વર્ગ અને જયાં દુ:ખ છે ત્યાં નર્ક. બધાએ પોતપોતાના હિસાબે ભૂગોળ, ઘર, શરીર અને પોતાના અંદર સ્વર્ગ-નર્ક રાખીને પોતપોતાની રીતે તેની વ્યાખ્યા બનાવી છે. બધા જ લોકો સ્વર્ગ મેળવવા અને નર્કમાંથી બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સ્વર્ગને પરમાત્માનું રાજય...

Heaven1
 
 
danik bhaskar

જીવનમાં દરેક કામ સમજી-વિચારીને કરવુંTuesday, February 2, 2010 03:27 [IST]

જીવનમાં જે પણ કામ કરવામાં આવે તેને સમજી-વિચારીને અને નીતિથી કરવું જોઈએ. છેતરપિંડી, જુઠ્ઠાણું, કાવતરું, દબાણ વગેરે લાંબા સમય સુધી ટકતું નથી. જે લોકો અંગત સ્વાર્થ ખાતર ખોટી નીતિથીકામ કરે છે, પાછળથી તેમની યોગ્યતા પણ કપરા સમયે કામ લાગતી નથી.



કર્ણ પરશુરામ પાસેથી ધનુષ્ય વિધા શીખવા માગતા હતા. પરશુરામ ફક્ત બ્રાહ્મણોને જ શીખવાડતા હતા. કર્ણએ બ્રાહ્મણ યુવકનો વેશ ધારણ કરીને પરશુરામ...

MAHABHARAT1
 
 
danik bhaskar

આત્માનો સંતોષ ભૌતિક સુખ કરતાં ઉત્તમTuesday, February 02, 2010 00:33 [IST]

એક વખત અવંતિપુરમાં સાધુ કોટિકર્ણ આવ્યા હતા. તેમનો સત્સંગ સાંભળવા લોકો દૂર-દૂરથી આવતા હતા. તે નગરમાં રહેતી કલાવતી પણ સત્સંગમાં જતી હતી. કલાવતીની પાસે અઢળક સંપત્તિ હતી. નગરના ચોરોએ તેના ઘરે ધાડ પાડવાની યોજના બનાવી. એક રાત્રે જ્યારે કલાવતી સત્સંગમાં ગઈ હતી ત્યારે ચોરોએ તેના ઘરે ધાડ પાડી. તેના ઘરે દાસી એકલી હતી. દાસી ચોરોને જોઈને ડરી ગઈ અને ઘર છોડીને કલાવતીને જાણ કરવા સત્સંગ સ્થળ...
infrastructure1
 
 
danik bhaskar

સમય અને નાણાંનો દુરુપયોગ નુકસાનકારકMonday, February 1, 2010 02:56 [IST]

નાણાંનો સંગ્રહ નુકસાનકારક છે તે અર્ધસત્ય છે, નાણાંનો દુરુપયોગ ખતરનાક છે, એ પૂરેપૂરું સત્ય છે. ફકીરીનો અર્થ ગરીબી નહીં, વૈરાગ હોય છે. નાણાં પણ ફકીરીનું ઘરેણું બની શકે છે, એ વાત મુસ્લિમ ફકીર દાઉદ તાઈએ સમજાવી છે. તેમને પોતાના પૂર્વજો પાસેથી વીસ દીનાર મળ્યા હતા. આ પૈતૃક સંપત્તિથી તેઓ આખી જિંદગી કામ ચલાવતા રહ્યા. તેમણે કયારેય કોઈની પાસેથી કશું લીધું નહીં કે માગ્યું નહીં. બીજા ફકીરોએ...

India_Money1
 
 
danik bhaskar

કયારેય બીજા પ્રત્યે ભેદભાવ ન રાખોMonday, February 1, 2010 02:57 [IST]

બેબાળપણના મિત્રો હતા. મોટા થયા બાદ બંનેએ સાથે મળીને વેપાર ચાલુ કર્યો. વેપાર વધતો ગયો. બંનેનો પ્રેમ અને મિત્રતા જોઈને દરેક જણ દંગ રહી જતા. બંનેનાં પરિવારોમાં પણ આવો જ ગાઢ સંબંધ હતો પરંતુ એક ઘટનાએ બંનેની મિત્રતાનો પાયો હલાવી નાખ્યો. થયું એમ કે એક ફેરિયો કેરીનો ભરેલો ટોપલો લઈને દુકાને આપી ગયો. દુકાને બેઠેલા મિત્રએ ટોપલો રાખી લીધો. થોડા સમય બાદ તે જમવા માટે ઘરે જવા નીકળ્યો. તેણે...

jivandarshan1
 
 
danik bhaskar

બીજાના કલ્યાણમાં જ સાચું સુખFriday, January 29, 2010 00:39 [IST]

એક ફિલસૂફે વાંચ્યું -હકીકતમાં સુંદરતા જ વિશ્વની સૌથી મોટી હસ્તી છે. ભકિત, જ્ઞાન, કર્મ અને તપ વગેરે તો પરમાત્માને મેળવવાનો તુચ્છ માર્ગ છે. સાચો માર્ગ તો સુંદરતા જ છે. પહાડોની ગુફાઓ અને નદીઓના સંગમ પર સાધક પરમ તત્વ પ્રાપ્ત કરી શકે છે.



આ વાંચીને ફિલસૂફ સુંદરતાની શોધમાં નીકળી પડ્યો. તેનું ઘર રણમાં હતું. આથી તેને પોતાના ઘર પ્રત્યેનો લગાવ પણ રહ્યો નહીં. ઘણા સમય સુધી તે નદી-પર્વતોના...

jivan-darshan411
 
 
danik bhaskar

તમારા સ્વરૂપ કરતાં સમાજનું હિત મહત્વનું છેFriday, January 29, 2010 00:10 [IST]

કેટલાક લોકો પોતાની મહેનતના બળે એવું કામ કરી જતા હોય છે કે તેમની એક છબિ બની જાય છે. દુનિયા તેમને આ છબિમાં જ જુએ છે અને સ્વીકારે છે. જો તેઓ કોઈ બીજી છબિમાં લોકો સમક્ષ પ્રસ્તુત થાય તો લોકો તેમને સ્વીકારતા નથી. લોકપ્રિય લોકો સાથે અહીંથી જ મુશ્કેલીની શરૂઆત થાય છે. તેઓ કયારે આ છબિમાં બંધાઈ જાય છે. તેમનો વિકાસ અટકી જાય છે અને તેઓ તણાવમાં આવી જાય છે. શ્રીકૃષ્ણના ચરિત્રની આ જ વિશેષતા હતી કે...
krishna1
 
 
danik bhaskar

વૈચારિક શાંતિ માટે ઈશ્વરને યાદ કરોThursday, January 28, 2010 00:31 [IST]

આપણું બહારનું વ્યક્તિત્વ જે વાતોથી દિવ્ય અને ચમકદાર બને છે, તેનો સંબંધ મન સાથે છે. આપણે અંદરથી જેટલા પ્રકાશમાન રહીશું, બહાર તેટલા જ દિવ્ય દેખાઈશું. ઇસ્લામમાં કહેવાયું છે કે માણસનું હદય નૂરી (પ્રકાશમાન) છે, પરંતુ તેમાં જયારે દુનિયાનો પ્રેમ(રાગ) સમાઈ જાય છે, ત્યારે તેમાં અંધકાર છવાઈ જાય છે અને નૂર જતું રહે છે.

આ સમજદારી વ્યક્તિમાં હોવી જોઈએ કે તે કેટલો દુનિયાદારીમાં અને કેટલો...

god1
 
 
danik bhaskar

પરોપકારથી ઉત્તમ કોઈ સેવા નથીThursday, January 28, 2010 00:04 [IST]

નેપલ્સમાં રહેતા એક તેર વર્ષનો બાળક રોબર્ટ હિલે એક દિવસ એરિકા એન્ડરસને આલ્બર્ટ શ્વાઇત્ઝર પર લખેલું એક પુસ્તક વાંચ્યું તો તેને જાણવા મળ્યું કે ધર્મશાસ્ત્રના પ્રોફેસર અને મહાન સંગીતકાર ડૉ. આલ્બર્ટ શ્વાઇત્ઝરે સર્વસ્વ ત્યાગીને આફ્રિકાના જંગલોમાં એક હોસ્પિટલ ખોલી અને પોતાનું સંપૂર્ણ જીવન અશ્વેત આફ્રિકનોની સેવામાં પસાર કરી નાખ્યું. તેના મનમાં પણ માનવોપયોગી કાર્ય કરવાની ઇચ્છા...
jeevan-darshan1
 
 
danik bhaskar

પોતાની જાતનું અવલોકન કરતા રહેવું જોઈએTuesday, January 26, 2010 01:10 [IST]

પરમાત્માનું હંમેશાં સ્મરણ કરવું એ સારી વાત છે. જીવનમાં ઘણી વખત એવો પ્રસંગ આવે છે જયારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, પરંતુ જયારે આપણે પોતાની જાતને ભૂલી જઈએ છીએ ત્યારે વધુ જોખમ સર્જાય છે. પોતાની જાતને યાદ રાખવાનો અભ્યાસ સતત ચાલુ રાખવો જોઈએ.



જેવા આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ, કામ, ક્રોધ અને લોભ આપણી ઉપર કબજો જમાવી લે છે. પોતાની જાતને ભૂલી ગયેલો માણસ બેભાન જેવો હોય છે. દુર્ગુણો પણ...

jeevan-darshan-god11
 
 
danik bhaskar

કહેવાની જુદી રીતને લીધે સર્જાતો ભ્રમ દૂર કરોTuesday, January 26, 2010 00:34 [IST]

એક હજાર વર્ષ પહેલાંની વાત છે. લેબેનોનમાં બે ફિલસૂફ ભેગા થયા. એકે બીજાને પૂછ્યું, તમે કયાં જઈ રહ્યા છો? બીજાએ જવાબ આપ્યો, હું તો યુવાનીનું ઝરણું શોધવા જઈ રહ્યો છું. મારી જાણ મુજબ આ પર્વતોમાંથી કોઈ એકમાંથી જ તે ફૂટી રહ્યું છે. મને કેટલાક એવા પુરાવા મળ્યા છે જે તેનું ઉદ્દગમ સ્થાન પૂર્વ દિશામાં બતાવે છે, પરંતુ તમે શું શોધી રહ્યા છો? પહેલાએ જણાવ્યું કે હું તો મૃત્યુના રહસ્યની શોધમાં...
jivan-darshan-fall1
 
 
danik bhaskar

નિ:સ્વાર્થમાં સાચા ધર્મની કસોટી છેMonday, January 25, 2010 01:08 [IST]

એક નગરશેઠે એટલું ધન એકઠું કર્યું કે તેને ધન અને વૈભવથી જ વૈરાગ્ય પેદા થઈ ગયો. તેમણે વિચાર્યું કે હવે બાકી વધેલું જીવન ભગવાનના ઘ્યાનમાં પસાર કરું અને ગમે તે રીતે મુક્તિ મેળવી લઉ. આ વિચારીને તેમણે નગરના પ્રખ્યાત પંડિત જયરામને બોલાવ્યા અને જણાવ્યું કે ભાગવત કથા સાંભળવાની ઇચ્છા છે. પંડિતજીએ ભાગવત કથાનું મુહૂર્ત નક્કી કરી નાખ્યું.



સપ્તાહ અને કથાની સમાપ્તિ બાદ શેઠે પંડિતજીને...

Charity[1]11
 
 
danik bhaskar

નિર્ભય થઈને જીવવા પોતાના અસ્તિત્વમાં વસોMonday, January 25, 2010 00:41 [IST]

આપણા જીવનમાં બે પ્રકારનો ભય રહે છે. આપણું સમગ્ર વ્યક્તિત્વ ચિંતિત રહે છે કે આપણે જે ઈચ્છીએ છીએ એ જો નહીં મળે તો શું થશે? આને ન મળવાનો ભય કહે છે. બીજો ભય આપણી પાસે જે છે તે ખોવાઈ ન જાય તે માટેનો હોય છે. માનવી પ્રાપ્ત-અપ્રાપ્ત બંનેથી ભયભીત રહેતો હોય છે. જે લોકો મહાવીર, બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત પાસે રહ્યા અને તેમને આ દિવ્યાત્માઓએ જે અનુભૂતિ કરાવી છે, એક ગુરુ મળતાં આપણે પણ તેવું જ સમજવા લાગીએ...
Shriram1
 
 
danik bhaskar

ઘ્યાનમાં લીન થવાથી જ ભગવાન મળે છેSaturday, January 23, 2010 01:58 [IST]

આપણે જેટલા પોતાની સાથે રહી શકીશું તેટલા જ પરમાત્માની નજીક રહીશું. જયારે પણ આપણે નીચેના લોકોની વધુ નજીક જઈશું ત્યારે ઉપરવાળાથી દૂર થતા જઈશું. બીજા લોકો આપણા જીવનમાં વિચારો મારફતે પ્રવેશે છે. ઘ્યાન રાખીને જોશો તો આપણે જેટલું પણ વિચારીશું, જયારે પણ વિચારીશું, તેટલું ફકત બીજા અંગે જ વિચારતા હોઈશું. વિચારો બીજા સાથે જોડાઈને જ આવે છે.



એટલા માટે જ કહેવાયું છે કે પોતાની જાત સાથે...

meditaion1
 
 
danik bhaskar

ગમે તેવી પરિસ્થિતિમાં સંયમ જાળવી રાખોSaturday, January 23, 2010 01:58 [IST]

સમ્રાટ પુષ્પમિત્રએ અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું હતું. પૂર્ણાહુતિ બાદ રાત્રે નત્યનું પણ આયોજન થયું. યજ્ઞ કરનારા બ્રહ્મર્ષિ પતંજલિએ પણ આ નત્ય-ઉત્સવમાં ભાગ લીધો. તેમની સાથે તેમનો શિષ્ય ચૈત્ર પણ હતો. આજ સુધી ચૈત્રએ ગુરુના મોઢેથી યોગ તથા સંયમના ઉપદેશો જ સાંભળ્યા હતા, પરંતુ આજે તે જ ગુરુ જાતે નત્યના ઉત્સવમાં ભાગ લઈ રહ્યા હતા.



આ જોઈને ચૈત્રના મનમાંથી ગુરુ પ્રત્યેનો શ્રદ્ધાભાવ...

sensex1
 
 
danik bhaskar

મંદિરના ઘંટનાદથી ભગવાનને નહીં, ખુદને જગાડોFriday, January 22, 2010 00:09 [IST]

ભગવાન બુદ્ધના શિષ્ય આનંદના પિતરાઈએ બુદ્ધને પૂછ્યું, ‘હું ચાલીસ વર્ષથી તમારા પડખે સૂતો છું પણ રાત્રે તમે પડખું પણ ફેરવતા નથી. તમે ઊંઘો છો કે પડી રહો છો?’ બુદ્ધે કહ્યું, ‘હું જે ઊંઘું છું તે મારું શરીર ઊંધે છે. હું તો જાગું જ છું.’ આનંદે તેનું સ્પષ્ટીકરણ પૂછ્યું પણ બુદ્ધ મૌન રહ્યા. બીજે દિવસે સવારે આવેલા શ્રોતાઓમાં એક જણ પગનો પંજો હલાવતો હતો. બુદ્ધે તેને પૂછ્યું, તમે પગનો પંજો કેમ...
bell-of-temple1
 
 
danik bhaskar

સમસ્યાઓનો ઉકેલ આણવા માટે અંતરાત્માને નિરખોFriday, January 22, 2010 00:09 [IST]

સમસ્યાઓ ભૌતિક હોય, ધાર્મિક હોય કે અઘ્યાત્મિક, દરેક યુગમાં રહે જ છે. દરેક જણે મુશ્કેલીના સમયમાં સમસ્યાનું સમાધાન પોતાની રીતે શોઘ્યું છે. બુદ્ધ રાજાના પુત્ર હતા, અમીરી-ગરીબી, સુખ-દુ:ખ, જીવન-મૃત્યુનાં દ્દશ્યો અને સમસ્યાઓને તેમણે પોતાની નજરે પણ જોઈ હતી. સમજદારી વધવાની સાથે તેમની સમાધાનની રીતોમાં પણ પરિવર્તન આવતું ગયું. તેમના સમયમાં લોકો પોતાની મુશ્કેલીઓના સમાધાન માટે લાઇન લગાવતા...
Problem1
 
 
danik bhaskar

ઉત્સાહમાંથી જ આત્મબળ પ્રાપ્ત થાય છેThursday, January 21, 2010 04:31 [IST]

કોઈ પણ કામને સફળતાના શિખર પર પહોંચાડવા માટેની તાકાત તે કામ કરવા માટે આપણા મનમાં જાગેલા ઉત્સાહમાં હોય છે. જો આપણે ઉત્સાહિત નથી તો જીતીને પણ હારી જવાના છીએ.

કર્ણની સાથે પણ આવું જ થયું હતું. મહાભારતના યુદ્ધમાં જયારે કર્ણને કૌરવોની સેનાનો સેનાપતિ બનાવાયો તો પાંડવોના શુભચિંતક રાજા શલ્યને તેમનો સારથિ બનાવી દેવાયો.

શલ્યને આ વાત ગમી નહીં. તેમણે જણાવ્યું કે તેઓ એક ક્ષત્રિય છે...

entusiasm111
 
 
danik bhaskar

પ્રેમ હોય ત્યાં શાંતિ આપમેળે આવે છેThursday, January 21, 2010 00:44 [IST]

એક વૃક્ષની ડાળીએ પડોશમાં રહેલી બીજી ડાળીને પૂછ્યું, આજનો દિવસ તદ્દન નીરસ લાગી રહ્યો છે. શું તને પણ આવો જ અનુભવ થઈ રહ્યો છે ? પેલી ડાળીએ જવાબ આપ્યો, મને પણ એવું જ કંઈક લાગી રહ્યું છે. તે સમયે જ એક ચકલો તે ડાળી પર આવીને બેઠો અને તેની બાજુમાં જ બીજો ચકલો પણ આવી ગયો. પહેલા ચકલાએ ચીંચીં કરતા જણાવ્યું કે યાર આજે મારી પત્ની મને છોડીને જતી રહી છે પણ હું તેને મનાવવા જવાનો નથી. બીજો ચકલો પણ...
bird-on-tree1
 
 
danik bhaskar

બધા પ્રત્યે પ્રેમાળ વ્યવહાર રાખવો જોઈએWednesday, January 20, 2010 00:27 [IST]

એક કૂતરા અને મરઘા વચ્ચે ગજબની મિત્રતા હતી. એક દિવસ બંને ફરતા-ફરતા ગાઢ જંગલમાં પહોંચી ગયા. ધીમે ધીમે રાત પડી. મરઘો ડરી ગયો અને બોલ્યો હવે શું થશે? રાત્રે ઘરે પહોંચવું મુશ્કેલ થઈ જશે. કૂતરાએ તેને સમજાવ્યો કે ડરવાની કોઈ જરૂર નથી. તું ઊડીને પેલા ઝાડી પર બેસીને શાંતિથી રાત પસાર કરી દે. હું પણ તે ઝાડની નીચે જ ઊંઘી જાઉ છું. જયારે સવાર પડશે ત્યારે સાથે પાછા જતાં રહીશું. રાત આરામથી પસાર થઈ ગઈ....
good-behaviour1
 
 
danik bhaskar

શક્તિનો ઉપયોગ જ્ઞાન અને વિવેકથી કરોWednesday, January 20, 2010 00:26 [IST]

જયારે પણ કોઈના ઉદય કે પતનને જુઓ ત્યારે માત્ર ઉપર-ઉપરથી જોવાને બદલે થોડા ઊંડા ઉતરો. ઉદય કે પતનની પાછળ સંકલ્પશક્તિ અને એની દ્રઢા જરૂર કારણ ભૂત હોય છે. કોઈ પણ વ્યવસ્થા, સર્જન, યોગ્યતામાં જયારે પણ પ્રયોગ થયા છે, તેની પાછળ દ્રઢ સંકલ્પશક્તિની ભૂમિકા રહેલી હોય છે. હનુમાનજીએ પોતાની સંકલ્પશક્તિને વ્યકત પણ કરી છે અને તેનાં પરિણામ પણ આપ્યાં છે. ચાલો આજે તેઓ જયારે પ્રથમ વખત લંકામાં જવાની...
hanuman1
 
 
danik bhaskar

પતિ-પત્ની વચ્ચે આજે કેમ અશાંતિ જોવા મળે છે?Tuesday, January 19, 2010 19:43 [IST]

અત્યારે પણ કેટલાય લોકો માને છે કે અઘ્યાત્મ સાધનામાં દાંપત્ય સંકટરૂપ છે, ગૃહસ્થી અડચણરૂપ છે, પરિવાર વિધ્ન છે અને નારી તો નર્કનું દ્વાર છે. જે લોકો ભગવાન સુધી પહોંચવા માગે છે કે ભગવાનને પોતાના સુધી લાવવા માગે છે, તે એ સમજી લે કે એકાકી જીવનથી તો ભગવાને પોતાને પણ અળગા રાખ્યા છે.

ઈશ્વરના બધાં જ સ્વરૂપ લગભગ સપત્નીક છે. પછી પરિવાર તથા પત્ની અવરોધરૂપ કેવી રીતે બની શકે છે. અઘ્યાત્મએ...

HUSBAND-WIFE11
 
 
danik bhaskar

ઘરે આવેલા દુશ્મનનું પણ સન્માન કરોTuesday, January 19, 2010 00:10 [IST]

જોધપુરના મહારાજા જસવંતસિંહના મૃત્યુ બાદ બાદશાહ ઔરંગઝેબ જોધપુર પર કબજો જમાવવા માગતો હતો, પરંતુ જસવંતસિંહના મંત્રી દુર્ગાદાસ રાઠોરે ઔરંગઝેબની એક પણ યુક્તિને સફળ થવા દીધી નહીં. જસવંતસિંહના પુત્ર રાજકુમાર અજિતસિંહને જોધપુરની ગાદી પર બેસાડવા માટે દુર્ગાદાસે મોગલ સૈન્યને જોરદાર ટક્કર આપી. યુદ્ધના મેદાનમાં તેઓ ઘોડાની પીઠ પર બેઠા-બેઠા જ ખાણું ખાઈ લેતા, તેની પીઠ પર બેસીને જ ઊંઘી...
JODHPUR1
 
 
danik bhaskar

સકારાત્મક વિચારો ઘણાં કષ્ટોમાંથી છુટકારો અપાવે છેMonday, January 18, 2010 02:31 [IST]

લલ્લેશ્વરી કાશ્મીરી ભાષાની પ્રથમ કવિયત્રી થઈ ગઈ. તેઓ ભગવાન શિવની પરમ ભક્ત હતી. શિવની ભકિતમાં બધું જ ભૂલીને તેઓ ગલીએ-ગલીએ એક પાગલની જેમ ફરતી રહેતી હતી. સંસારી લોકો તેના ભકિતભાવને સમજી શકતા ન હતા અને તેને ગાંડી સમજીને હેરાન કરતા હતા.



આ બધાની ચિંતા કર્યા વગર તે તો ભગવાનના ઘ્યાનમાં જ મસ્ત રહેતી હતી. એક વખત કેટલાક છોકરાઓ તેને કંઈક વધારે જ હેરાન કરી રહ્યા હતા, પરંતુ તે તો પહેલાંની...

 
 
danik bhaskar

મૌન રહીને કરેલી સેવાનું નક્કર પરિણામ આવે છેMonday, January 18, 2010 03:54 [IST]

ધર્મને સામાન્ય રીતે કર્મ સાથે જોડી દેવાયો છે. તમે શું કરતા દેખાઈ રહ્યા છો તેનાથી તમારું ધાર્મિક હોવાનું નક્કી થાય છે. આપણી જીવનશૈલી, પૂજાપદ્ધતિ, રહેણી-કરણીથી આપણે કોઈ ધર્મ વિશેષ સાથે જોડાઈ જતા હોઈએ છીએ, ઊડા ઊતરીએ તો જાણ થશે કે ધર્મનો સંબંધ કર્મથી નહીં, પરંતુ હોવા સાથે હોય છે. આપણે શું કરીએ છીએ તેના કરતાં વધુ મહત્વનું આપણે શું છીએ તે હોય છે. તે કરવા કરતાં અસ્તિત્વ સાથે વધુ જોડાયેલું...

 
 
danik bhaskar

જીવનમાં પ્રગતિ મેળવવા વિનમ્રતા જરૂરી છેSaturday, January 16, 2010 00:14 [IST]

જીવન દર્શન: સ્વર્ગીય શેષણ્ણા મહાન વીણાવાદક હતા. જયારે પણ શેષણ્ણાથી પૂછવામાં આવતું કે આટલી મધુર વીણા તેઓ કેવી રીતે વગાડી લે છે, તેમનો જવાબ રહેતો કે હું કયાં વીણા વગાડી શકું છે, ખાલી તારોને સ્પર્શ કરી લઉ છું અને હું એકલો જ નહીં, બધા જ તારને હલાવે છે. અમે બધા જ વીણાવાદક પોતાની શકિત અને ક્ષમતાને અનુરૂપ જ વીણા વગાડીએ છીએ.



જે વીણાની ક્ષમતા અનુસાર વીણા વગાડી શકે, એવો કલાકાર હજુ સુધી...

success1
 
 
danik bhaskar

ભૂતકાળમાંથી તેટલું જ યાદ રાખો જેટલું જરૂરી છેSaturday, January 16, 2010 00:13 [IST]

જીવન-પંથ: વીતેલ વર્ષ અને આવી રહેલા નવા વર્ષની મોડી રાત્રીના ધૂમધડાકાના સમયે સંયોગવશાત્ હું મુંબઈ મહાનગરમાં હતો. નવા વર્ષની ખુશીમાં ઉપરથી માંડીને નીચે સુધી ડૂબેલા એક નવયુવાન સાથે મારી મુલાકાત થઈ. તે મહોત્સવના મૂડમાં હતો. મેં તેને પૂછ્યું કે આ બધામાંથી શું મળ્યું ? જવાબ આપવાના બદલે તેણે મને વળતો સવાલ પૂછ્યો, તમને કથા-સત્સંગમાંથી શું મળે છે ?



તેણે સંપૂર્ણ એકાગ્રતા સાથે મારો...

past1
 
 
danik bhaskar

સંકટ સમયે સદબુદ્ધિથી કામ લોThursday, January 14, 2010 00:14 [IST]

એક ગધેડો ઘાસના મેદાનમાં લીલું-લીલું નરમ ઘાસ ચરી રહ્યો હતો. ચરતાં ચરતાં તેણે અચાનક માથું ઊચું કર્યું તો સામેથી એક વાઘને તેના તરફ આવતા જોયો. તેના અને વાઘ વચ્ચે રહેલા અંતરને જોતાં ગધેડાને સમજાઈ ગયું કે હવે જીવ બચાવીને નાસી છૂટવું અશકય છે. કેમ કે વાઘ એક છલાંગમાં જ તેનું કામ પૂરું કરી દે તેમ હતું. હવે શું કરવું?



ગધેડાએ વિચાર્યું કે હવે જયારે મોત નક્કી જ છે તો અમસ્તાં જ જીવ ગુમાવવા...

donkey21
 
 
danik bhaskar

મન પર કાબૂ મેળવો, તમને બધું મળી જશેThursday, January 14, 2010 00:13 [IST]

આપણે દુનિયાભરનો હિસાબ રાખવામાં પાવરધા હોઈએ છીએ, પાઈ-પાઈનો હિસાબ રાખતા હોઈએ છીએ. પરંતુ શું કયારેય આપણી ઇચ્છાઓનો હિસાબ રાખ્યો છે? ના. કયારેક તેનું એકાઉન્ટિંગ પણ કરવું જોઈએ. જયારે પણ તમે તમારી ઇચ્છાને મમળાવશો, તમારી મુલાકાત તમારા મન સાથે થઈ જશે. આપણા મનને એ પસંદ નથી કે કોઈ આવી રીતે ઇરછા પર નજર રાખવાનું કામ કરે.‘મારી મરજી’ એ મનનો નારો હોય છે.



મન પોતાની આ ગુંજને કેટલાય લોકોના...

mind_control1
 
 
danik bhaskar

જીવનધારામાંથી જ જન્મે છે શ્રેષ્ઠ માનવીય ચિંતનWednesday, January 13, 2010 00:12 [IST]

જો કોઈ માણસને સમજવો હોય તો સૌથી પહેલા એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કે તેના અંદર શું ચિંતન ચાલી રહ્યું છે. તેના અંદરના સ્તરને જાણીને જ તેની સમજને બદલી શકાય છે. આ પ્રયોગમાં હનુમાનજી મહારાજ ઘણા કાબેલ હતા.



સ્વામી વિવેકાનંદ હનુમાનના ભક્ત હતા અને આવો જ પ્રયોગ તેમણે વિદેશ જઈને પોતાના ભાષણમાં કર્યો હતો. સુંદરકાંડની એક પંક્તિ બહુ ચર્ચિત છે. હનુમાનજીએ ભર્યા દરબારમાં રાવણને જણાવ્યું...

illumination-of-humanity[1]1
 
 
danik bhaskar

શ્રદ્ધાના બળે કંઈ પણ હાંસલ કરી શકાયWednesday, January 13, 2010 00:07 [IST]

ઓશ્ચેવ એક પ્રખ્યાત પાઇલોટ હતો. તેના મિત્રો અને અધિકારી તેના કરતબ જોઈને મોઢામાં આંગળા નાખી દેતા હતા. ઓશ્ચેવને પોતાની જાત અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હતી. તે માનતો હતો કે સર્વશક્તિમાન ઈશ્વરનો એક અંશ તેનામાં સમાયેલો છે. એક વખત દુશ્મનો સાથેની લડાઈમાં ઓશ્ચેવ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેના બંને પગ કાપવા પડ્યા. તેની દયનીય હાલત જોઈને તેના મિત્રોએ જણાવ્યું પણ ખરું કે હવે તેઓ તેને વિમાન...
faith1
 
 
danik bhaskar

આંસુઓ દિલની ભીનાશની અભિવ્યકિત છેMonday, January 4, 2010 22:10 [IST]

આંખો ફકત જોવાનું જ કામ નથી કરતી, તે બોલે પણ છે. એવું કહેવાય છે કે કેટલાક લોકો આંખોથી જીભનું કામ લેતા હોય છે. તે આંખો જ બોલી શકે છે, જેમની પાસે થોડા ઘણા આંસુ બચ્યાં હોય છે. અઘ્યાત્મમાં આંખોની ભીનાશનું વધુ મહત્વ છે.

વર્તમાન જીવનશૈલીમાં એ વિચારી શકાય નહીં કે આંખોમાં પાણી કઈ જગ્યાએથી આવે છે. વર્તમાનમાં આપણે મોટા ભાગનો સમય બુદ્ધિથી સંચાલિત થઈ રહ્યા છીએ, આથી આપણો સંપૂર્ણ ચહેરો સક્રિય...

tear1111
 
 
danik bhaskar

નિરંતર પ્રયાસ જ સફળતાની ચાવી છેSaturday, January 02, 2010 01:07 [IST]

રાજાએ સંપૂર્ણ તૈયારી સાથે દુશ્મન સેના પર હુમલો કર્યો. ઘમસાણ યુદ્ધ થયું. રાજા અને તેના સૈનિકો સંપૂર્ણ ખુમારી સાથે લડ્યા, પરંતુ સાતમી વખત પણ હારી ગયા. રાજા માટે જીવ બચાવવો પણ ભારે થઈ પડયું. તે પોતાનો જીવ બચાવીને ભાગ્યો. ભાગતા-ભાગતા તે એક ગાઢ જંગલમાં પહોંચી ગયો અને એક સ્થળે બેસીને વિચારવા લાગ્યો કે સાત વખત હારી ચુકયા બાદ હવે તો દુશ્મન પાસેથી પોતાનું રાજય ફરીથી પાછું મેળવવાની આશા રહી...
success1
 
 
danik bhaskar

સમયે-સમયે દાન આપનાર મનુષ્ય શ્રેષ્ઠ છેThursday, December 31, 2009 00:41 [IST]

સંસ્કૃતના મહાકવિ માઘ પર સરસ્વતી અને લક્ષ્મી બંનેની એક સરખી કપા હતી. શિશુપાલવધ જેવી ઉત્કષ્ટ રચનાના રચયિતા માઘ પૈસાદાર હોવાની સાથે ઉદાર મનના હતા. જે તેમના દરવાજે આવતું તે ખાલી હાથ પાછું જતું નહીં. દાન આપતાં-આપતાં માઘનું બધું જ ધન ખલાસ થઈ ગયું. એક દિવસ તે આ જ સ્થિતિમાં ઘરે બેઠા-બેઠા પોતાની એક કવિતા નવસર્ગ લખી રહ્યા હતા, ત્યારે એક નિર્ધન બ્રાહ્મણ તેમની પાસે આવ્યો અને બોલ્યો, કવિરાજ,...
 
 
danik bhaskar

વીતેલા વર્ષને અલિપ્ત ભાવથી વિદાય આપોThursday, December 31, 2009 00:29 [IST]

સાધારણ વ્યકિતના મન અને સૂફી સંતો-ફકીરોના હૃદયમાં એક જેવી જ સ્થિતિ હોવા છતાં પણ તેને સ્વીકારવામાં અંતર હોય છે. કોઈ પૈસા પાછળ પાગલ હોય છે તો કોઈ નાણાં જોઈને દૂર ભાગતો હોય છે. તેને ધનનો રાગ હોવું કે ધનનો વિરાગ હોવું કહેવાય છે. સામાન્ય લોકોના મનમાં પૈસાને લઈને રાગ પેદા થયો હોય છે અને ફકીરોએ ધનને લઈને વિરાગ પેદા કરેલો હોય છે, પરંતુ બંને સ્થિતિ તણાવ પેદા કરતી હોય છે. અઘ્યાત્મએ એક શબ્દ...
 
 
danik bhaskar

તમે બીજાની મદદ કરો, બીજા તમારી મદદ કરશેWednesday, December 30, 2009 00:50 [IST]

એક વેપારી પાસે એક ઘોડો અને એક ગધેડો હતો. તે પોતે ઘોડા પર બેસતો અને ગધેડા પર માલસામાન લાદીને ગામેગામ માલ વેચતો રહેતો હતો. ઘોડાને તેણે વધુ ભાવ આપીને ખરીધો હતો, આથી તે તેના પર વધુ વજન નાખતો ન હતો અને તેનું વધુ ઘ્યાન રાખતો હતો. એક દિવસ વેપારી માલસામાનવેચવા કોઈ ગામ તરફ જઈ રહ્યો હતો. ગધેડો બિચારો અત્યંત દૂબળો હતો, તેના પર જરૂર કરતાં વધારે સામાન લાદી દેવાયો હતો. રસ્તો પણ ઊચો-નીચો હતો, આથી તે...
ants[1]1
 
 
danik bhaskar

શરીરની સુંદરતા સાથે સુખ જોડાયેલું નથીWednesday, December 30, 2009 00:26 [IST]

ફક્ત શરીર સુખ આપી દેશે, આવું જે લોકો વિચારે છે, તે મોટા દુ:ખમાં પડવાની તૈયારી કરતા હોય છે. શરીરને સામાન્ય રીતે સાચવવાની વિધિ જ સુંદરતા છે. શરીરનું મહત્ત્વ ઘણા લોકો સુંદરતા સાથે જોડીને જુએ છે, પરંતુ સુંદર શરીર હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ પણ શાંત અને સુખી હોય. શરીરના સુખ સાથે કોઈ જ લેવા-દેવા નથી. કેટલાક લોકો એ વાતથી દુ:ખી હોઈ શકે છે કે તેમની પાસે સારી બુદ્ધિ, સારી વાણી અને સારો ચહેરો...
health_care_plan[1]1
 
 
danik bhaskar

સાદગી ગુરુકૃપા મેળવવાનું ઉત્તમ સાધન છેTuesday, December 29, 2009 00:21 [IST]

આજે દુનિયા તર્કપ્રધાન છે. દરેક વાતને વિજ્ઞાનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાનની જેમ અઘ્યાત્મનું પણ પોતાનું એક અલાયદું વિજ્ઞાન હોય છે. જે વાત ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિથી યોગ્ય ન હોય, તે ઘણી વખત અઘ્યાત્મની દ્રષ્ટિએ સાચી હોય છે. મનની આંતરિક અવસ્થા, સંસ્કારોનો ઉદય તથા ક્ષય એવા વિષયો છે, જે અઘ્યાત્મમાં આવે છે, પરંતુ વિજ્ઞાન તેના પર કોઈ પ્રકાશ નાખતો નથી અને ભૌતિક વિજ્ઞાન તો...
 
 
danik bhaskar

સાંભળો સૌનું પણ નિર્ણય બુધ્ધિથી કરોTuesday, December 29, 2009 00:03 [IST]

માર્ગ પર ચાલતાં-ચાલતાં એક મુસાફરની મુલાકાત નજીકના ગામમાં રહેતા એક વ્યક્તિ સાથે થઈ. મુસાફરે ખુલ્લી જમીન તરફ આંગળી ચીંધીને જણાવ્યું કે શું આ તે જ ક્ષેત્ર છે જયાં સમ્રાટ આલમે પોતાના દુશ્મનો પર વિજય મેળવ્યો હતો? તે વ્યક્તિએ જવાબ આપ્યો, ના તે ક્યારેય યુધ્ધક્ષેત્ર રહ્યું ન હતું. અહીં તો જાદ નામનું એક મોટું શહેર હતું, જેને આગ લગાડીને ખાખ કરી દેવાયું હતું. આ કારણે જ તે ઘણી ફળદ્રુપ જમીન છે....
decision[1]1
 
 
danik bhaskar

એકાંતની સ્થિતિ પરમાત્માની વધુ નજીક લઈ જાય છેMonday, December 28, 2009 00:19 [IST]

પરમાત્માએ જાહેરાત કરી કે તેમણે એક, બે, ત્રણ, ચાર અને તેનાથી પણ વધુ પગવાળા અને પગ વગરના જીવોનું નિર્માણ કર્યું છે, પરંતુ મનુષ્ય તેમને સૌથી વધુ પ્રિય છે કેમ કે તેનામાં બુદ્ધિ હોય છે અને તે બુદ્ધિમાં એ સંભાવના રહેલી છે કે તે પરમાત્માને ઓળખી શકે છે.



તેનું એક ઉદાહરણ અવધૂત દત્તાત્રેય અને રાજા યદુ વચ્ચેનો સંવાદ છે. દત્તાત્રેયએ રાજાને જણાવ્યું હતું કે, તેમણે પોતાની બુદ્ધિથી ઘણા બધા...

loneliness1
 
 
danik bhaskar

આત્મોત્સર્ગ સૌથી મોટો પ્રેરણાસ્રોત છેMonday, December 28, 2009 00:13 [IST]

એક વખત શ્રાવસ્તી રાજા વિડ્ઢભે કપિલવસ્તુ પર અચાનક આક્રમણ કર્યું. ગાફેલ રહેલા રાજાએ ભાગવું પડ્યું. રાજધાનીમાં ઘૂસીને રાજા વિડ્ઢભ અને તેના સૈનિકોએ લૂંટફાટ ચાલુ કરી દીધી. પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠી. તે સમયે કપિલવસ્તુમાં સંત મહાનામ રહેતા હતા. તેમનાથી પ્રજાનું દુ:ખ જોવાયું નહીં. વિડ્ઢભ તેમનો શિષ્ય રહી ચૂકયો હતો. આથી તે રાજા વિડ્ઢભ પાસે પહોંચ્યા અને બોલ્યા, હે રાજા! હું તમારી પાસે...
soul1
 
 
danik bhaskar

ધીરજ તો ધર્મનું ઘરેણું ગણાય છેSaturday, December 26, 2009 00:20 [IST]

ધર્મ કોઈ પણ હોય તે આતુરતા અને પરંપરાગત વિચારો આપતો નથી. ધર્મનું બીજું નામ જ ધૈર્ય છે અને પ્રગતિશીલતા તેની વિશિષ્ટ શૈલી હોય છે. હજરત મોહમ્મદે જે રીતે ઇસ્લામને સ્થાપિત કર્યો હતો, તેમાં આ બંને બાબતોનું વિશેષ ઘ્યાન રાખવામાં આવ્યું હતું. હજરત મોહમ્મદ ઉપર ૨૩ વર્ષ સુધી કુઆર્નની આયાતો ઊતરી હતી. લાંબા સમય સુધી તો તેમના ઘરના લોકો જ તેમની વાત સાંભળતા હતા, બહારના લોકો તો વિશ્વાસ જ મૂકતા ન હતા....
m1
 
 
danik bhaskar

આપણી નિર્બળતા પણ દુ:ખનું એક કારણ હોય છેSaturday, December 26, 2009 00:13 [IST]

સંસારને રસહીન સમજીને ગાંધાર નરેશ અને વિદેહ નરેશ બંને ભિક્ષુ બની ગયા. વર્ષો સુધી રાજપાટ ભોગવ્યા બાદ નવા-નવા ભિક્ષુ બન્યા તો પણ મન વારંવાર વિચલિત થઈ જતું હતું. બંને ભિક્ષા માગીને પોતાનું પેટ ભરતા અને પ્રભુના સ્મરણમાં દિવસો પસાર કરતા. ભિક્ષુ હોવાને કારણે બંનેએ મીઠા વગરનું ભોજન લેવું જરૂરી હતું. ઘણા દિવસો સુધી મીઠા વગરનું ભોજન કર્યા બાદ તે કંટાળી ગયા. ભિક્ષુ થઈને સ્વાદની વાત કરવી...
BHIKHARI1
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB