


મહાવીરસ્વામી તપસ્યામાં લીન હતા. એક દુષ્ટે કેટલીય વખત મહાવીરસ્વામીનું અપમાન કર્યું, પરંતુ તે હંમેશાં શાંત રહેતા. તેમણે તો દુનિયાને પ્રેમનો પાઠ ભણાવ્યો હતો. તેઓ કહેતા કે સદા પ્રેમ કરો, પ્રેમમાં જ પરમતત્વ છુપાયેલું છે. જે તમારું બૂરું ઇચ્છે તેને પણ પ્રેમ કરો. તેમના આ ઉપદેશો સાંભળીને તે દુષ્ટ એ જોવા માગતો હતો કે કષ્ટ આપનારાઓને કોણ અને કેવી રીતે પ્રેમ કરી શકે છે? તે તેમને હેરાન કરતો...




કોઈ પણ વસ્તુનો અભાવ કોઈને પણ પસંદ આવતો નથી. વસ્તુ પાસે ન હોય, સ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે અભાવની ભાવના જન્મે એ તો સમજાય, પરંતુ મનપસંદ વસ્તુ મળી જાય તોપણ જીવનમાં અભાવ,અસંતોષ જળવાઈ રહે તો અહીંથી જ ખતરો શરૂ થાય છે. આજે લોકો આવી ખતરનાક સ્થિતિમાં જ જીવી રહ્યા છે. જે લોકો એમ માને છે કે સંપન્નતાના સાધનોથી જ પ્રસન્નતા આવશે અને પ્રગતિ થશે, તો તેઓ ભૂલી જાય છે કે ફક્ત તેનાથી જ કંઈ થતું નથી. આ...
![indian_youth[1]1111](/2010/03/06/images/indian_youth[1]1111_b.jpg)








![Prayer2[1]1](/2010/02/26/images/Prayer2[1]1_b.jpg)


![hanumanji[1]1](/2010/02/24/images/hanumanji[1]1_b.jpg)

![Selfishness[1]1](/2010/02/23/images/Selfishness[1]1_b.jpg)









કોઈ વ્યક્તિની જયારે તબિયત લથડી જાય તો વડીલો કહેતા હોય છે કે થોડું જાત પર પણ ઘ્યાન આપવું જોઈએ. આ વાત પાછળ ઊડો ગૂઢાર્થ છે. આપણે આખો દિવસ જેટલા કામ કરીએ છીએ, તેમાં પોતાની જાત પર ઘ્યાન આપતા જ નથી. ખાવા અને ચાલવાની ક્રિયા જોઇએ તો જાણવા મળશે કે આ બંને કામ કરતા સમયે આપણે કોઈ બીજી જ દુનિયામાં ખોવાયેલા હોઈએ છીએ, બિલકુલ બે જુદા વ્યક્તિત્વની જેમ. આને જ અઘ્યાતમએ ઊઘનો નશો કહ્યો છે.
એક ઊઘ તે...

એક વખત ચીનના સમ્રાટ વિરુદ્ધ એક પ્રાંતમાં બળવો પોકારાયો. સમ્રાટને બળવાખોરો પર ભારે ગુસ્સો આવ્યો. તેમના સેનાપતિ અને મંત્રીઓએ સલાહ આપી કે મહારાજ, આ બળવાખોરોને આકરો દંડ ફટકારવો જોઈએ. આપણું સૈન્ય તેમને કચડી નાખવા માટે આતુર છે.
તમારા આદેશની જ રાહ જોવાઈ રહી છે. સમ્રાટે કંઈક વિચાર્યું અને પછી બોલ્યા, ચાલો તમારી સાથે હું પણ આવું છું. સમ્રાટ પોતાની સેનાને લઈને તે પ્રાંતની સરહદ પર...


આપણા ઋષિમુનિઓનું માનવું છે કે માણસ અને બીજમાં ઘણીબધી સમાનતા છે. બીજનો જીવ તેના અંકુરિત થવામાં છે. જો બીજ એમ સમજી લે કે તેનું બીજ હોવું જ તેની પૂર્ણતા છે તો તેના અંદર જે ભવિષ્ય છુપાયેલું છે તે સમાપ્ત થઈ જશે. તેના અંકુરિત થવામાં જ તેનું સાચું જીવન છે.
માણસ સાથે પણ કંઈક આવું જ છે. તેણે પણ પોતાની અંદર અંકુરિત થવાની સંભાવના જાળવી રાખવી જોઈએ. તેને જ આંતરિક પરિવર્તન કહેવામાં આવ્યું...


ખલીફા હારુન રશીદ અત્યંત પરોપકારી વ્યકિત હતા. સંતપ્રવૃત્તિની સાથે તેમનું મન લોકહિતની ભાવનાથી ભરેલું હતું. ગરીબોની મદદ કરવી તે પોતાની ફરજ સમજતા હતા. આથી દુ:ખી અને નિર્ધન લોકો હંમેશાં તેમની પાસે આવીને મદદ મેળવતા હતા. એક વખત એક ભિખારી આવ્યો અને બોલ્યો, ખુદાના નામે મને કંઈક ભીખ આપી દો.
ખલીફા બોલ્યા, એ ખુદાના બંદા, ખુદાના નામે ફકત ભીખ માગી રહ્યો છે. ખુદા તો મોટો દાતા છે. તેની પાસે...

જીવન દર્શન
શ્રુતાયુધની પાસે ભગવાન શંકરના વરદાનથી મળેલી એક અમોઘ ગદા હતી. તેની પાછળની કથા એ હતી કે શ્રુતાયુધના તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ભેટસ્વરૂપે આ વરદાન એ શરતે આપ્યું હતું કે તેઓ કયારેય પણ આ ગદાનો અનીતિપૂર્વક ઉપયોગ નહીં કરે. જો તેઓ નીતિ વિરુદ્ધનું આચરણ કરશે તો તેમનો પોતાનો જ સર્વનાશ થઈ જશે.
મહાભારતના યુદ્ધમાં શ્રુતાયુધને અર્જુન સાથે લડવું પડયું હતું. યુદ્ધ...

જીવન-પંથ
પોતાનું દામ્પત્ય જીવન સુખી રહે એવું બધા જ ઇચ્છતા હોય છે. દાંપત્ય જીવનમાં આપણે મૂળભૂત વાતને બાજુ પર મૂકીને બાહ્ય આવરણ ઓઢી લેતા હોઈએ છીએ, જેના પરિણામે સુખને બહારથી લાવવાનો પ્રયાસ કરીએ છીએ. દામ્પત્ય જીવનમાં સુખ બિલકુલ એવું જ, જેવું આપણે કોઈ વસ્તુને મૂકીને ભૂલી જઈએ. જો તેને યોગ્ય રીતે શોધવામાં આવે તો તે તુરંત મળી જાય છે, બહારથી લાવવી પડતી નથી. પરિવારમાં સુખનું સ્થાન પણ...

જીવન દર્શન
સમ્રાટ અકબરના દરબારમાં અસંખ્ય કવિ, સંગીતકારો અને વિદ્વાનો હતા, પરંતુ તે બધામાં વ્રજના કવિ શ્રીપતિનું વિશેષ સ્થાન હતું. બીજા કવિ અકબરના જ ગુણગાન ગાતા જયારે શ્રીપતિ રામ અને કૃષ્ણ સિવાય કોઈ બીજાનાં વખાણ કરતા નહીં. આમ છતાં અકબર તેમને ઇનામો આપતા.
બીજા દરબારીઓ શ્રીપતિની ઈર્ષા કરતા કેમ કે તેમને શ્રીપતિ જેટલું માન-સન્માન મળતું ન હતું. એક દિવસ આ ઈર્ષાળુ કવિઓ અને...

જીવન-પંથ
સ્ત્રીને લઈને દુનિયાનું વલણ ક્યારેય બદલાયું નથી. પુરુષપ્રધાન સમાજ પુરાતનકાળથી જ સ્ત્રીની ઉપેક્ષા કરતો આવ્યો છે. સત્યનારાયણની કથામાં સાધુ નામનો વૈશ્ય પોતાના જમાઈ સાથે જયારે વેપાર કરવા જાય છે, ત્યારે તેને જેલમાં નાખી દેવામાં આવે છે. આ પ્રસંગમાં બંનેની પત્નીઓ ગામમાં એકલી હતી.
આ બાજુ તેમના પતિ જેલમાં હતા. આથી સમાજે પણ તેમના તરફથી મોઢું ફેરવી લીધું. જયારે...

ખોયા-પાયા કેન્દ્રના સંચાલક નરેન્દ્ર શર્માનો આખો દિવસ ખોવાઈ ગયેલાઓને શોધવામાં જાય છે. આખા દિવસમાં શર્માજી પાસે પાનસો લોકો પોતાના સગા ખોવાઈ ગયાની ફરીયાદ લઈને આવે છે.
મહાકુંભ 2010માં ગુમ થયેલ લોકોની તપાસ માટે ઉત્તરાખંડ પોલીસે એક ‘ખોયા-પાયા’ કેન્દ્ર બનાવ્યું છે. અત્રે હાજર જવાનો સવારથી લઈને સાંજ સુધી ખોવાયેલા લોકોને તેમના સંબંધીઓ સાથે મેળવવાનું કામ કરે છે.
નરેન્દ્ર...

એક સમયે એક શહેરમાં અત્યંત ધનવાન વ્યક્તિ રહેતો હતો. તે ખેતી કરવાની સાથે સાથે જુદો જુદો વેપાર પણ કરતો હતો. મોટા વિશાળ વિસ્તારોમાં તેના બગીચા ફેલાયેલા હતા, જેમાં જાત-જાતનાં ફળ ઊગતા હતા. તેના બગીચાઓમાં દાડમનાં વૃક્ષોની સંખ્યા સૌથી વધુ હતી અને માળીઓની દેખરેખમાં તે વધુ સારા વિકસી રહ્યાં હતાં.
તે વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ હતી અને સાથે સાથે તેનું મન પણ વિશાળ હતું. વસંત ઋતુ આવતાની...

આપ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે છે કે અંતે બ્રહ્મચર્ય શું હોય છે? યુવાનો આ પ્રશ્ન વધારે પૂછતા હોય છે. તેનો શાબ્દિક અર્થ એ થાય છે કે જે ઈશ્વરમાં લીન હોય તે બ્રહ્મચારી છે. વધુ ઊડા ઊતરીએ તો તેનો વિવાહિત કે અવિવાહિત હોવા સાથે તેટલો સંબંધ નથી જેટલો કામશકિતના ઉપયોગ સાથે છે. દરેકની અંદર આ શકિત જીવન ઊર્જાના સ્વરૂપમાં રહેલી હોય છે.
જયારે કોઈ વ્યક્તિ પરમાત્મા, આત્મા, પરલોક, પુનર્જન્મ,...

આજે વ્યકિત બહારની દુનિયામાં એટલો ખોવાઈ ગયો છે કે તે ભૂલી જ ગયો કે પોતાની મનુષ્યતાની અંદર પણ એક યાત્રા થઈ શકે છે. તમે ગમે તેટલા વ્યસ્ત હો, પોતાની અંદરનો પ્રવાસ કરવાનું કયારેય ના ભૂલો. ચોવીસ કલાકમાં થોડો સમય પોતાની સાથે જરૂર પસાર કરવો જોઈએ.
આપણું કામ, ઉપયોગની સામગ્રીઓ, સગાસંબંધીઓ, ઘટનાઓ વગેરેની સાથે આપણો સમય પસાર થઈ જાય છે,પરંતુ પોતાની સાથે રહેવાનું ચૂકી જઈએ છીએ. અંદર ઉતરવામાં...

જીવન દર્શન
એક યુવાન સૈનિક લગ્ન બાદ પોતાની પત્નીને લઈને દરિયાઈ સફરે નીકળી પડયો. તે નૌકાદળનો તે સાહસિક જવાન હતો, આથી તેને આ મુસાફરીમાં આનંદ પણ આવતો હતો. તેની પત્નીની આ પ્રથમ જળયાત્રા હતી, આથી તે ભયભીત હતી. વિશાળ સમુદ્ર જોઈને ડરી ગયેલી તેની પત્ની વારંવાર ઘરે પાછા ફરવાનો આગ્રહ કરતી હતી, પરંતુ સૈનિક તેને કહેતો કે તું નાહકની આટલી બધી ચિંતા કરે છે.
પત્ની ડરતાં ડરતાં બોલી કે...





જીવન-પંથ
કેટલીક વખત આપણે સારું કામ કરતાં હોઈએ છીએ, પરંતુ તેમાં બૂરાઈના છાંટા પડી જાય છે. પૂજા કરીએ છીએ તો દેખાડો વધુ થઈ જાય છે, ઘ્યાન ધરીએ છીએ તો ઊઘ પ્રભાવી થઈ જાય છે, પ્રાર્થના કરીએ છીએ તો પ્રદર્શન વધુ થાય છે અને સેવા કરીએ છીએ તો ઘમંડ પ્રવેશી જાય છે. કયારેક એ જાણવાનો પ્રયાસ કર્યોછે કે એવું શા માટે થતું હોય છે?
કેમ કે મન પોતાનો પ્રભાવ બતાવતું હોય છે. આપણા દરેક કામમાં ઇચ્છાઓ...

જીવન દર્શન
સંત તુકોજી મહારાજ પોતાના પ્રિય શિષ્યો સાથે ભજનકીર્તનમાં મગ્ન રહેતા હતા. દરેકના પ્રત્યે સદ્ભાવના અને શુભચિંતન જ તેમનો ધર્મ હતો. એક વખત તેમના પર અપાર શ્રદ્ધા ધરાવતી એક વ્યકિતએ પોતાની દુકાનનું નામ ગુરુદેવ સલૂન રાખી દીધું. સંતના એક શિષ્યને જયારે આ વાતની ખબર પડી તો એકદમ ગુસ્સે થઈ ગયો.
સંતની સામે જ તે લાલપીળો થઈને બોલવા લાગ્યો કે આ તો તમારું અપમાન છે. હું તેના...

જીવન-પંથ
શરીર પણ એક પ્રકારની સંપત્તિ છે. કુદરતે તેના ઉપયોગના કેટલાક ફાયદા બનાવેલા છે. કુદરતી સંરચનાઓનું જેટલી કડકાઈ સાથે આપણે પાલન કરીશું, આપણું શરીર પણ તેટલું જ સ્વસ્થ રહેશે. બધું જ ઝડપથી મેળવી લેવાના આધૂનિક યુગમાં સફળતા મેળવવા માટે શરીરને તંદુરસ્ત રાખવું જરૂરી છે.
ઝડપથી સફળ થવાની તમારી આ દોડમાં બીમારી એક સ્પિડ બ્રેકર જ નહીં બને, પરંતુ એક મોટો ખાડો કે ખીણ બની જશે....

જીવન દર્શન
પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલી રહી હતી. બધા જ વિદ્યાર્થીઓ એકાગ્રતાથી પ્રશ્નોના જવાબ લખી રહ્યા હતા. ઈશ્વર ભણવામાં હોશિયાર વિદ્યાર્થી હતો. તેની પાછળ બેઠેલો તેનો મિત્ર મનીષ જે આળસું વિદ્યાર્થી હતો, તે મદદ માટે ઈશ્વરને ઇશારા કરી રહ્યો હતો. તે દિવસે ગણિતનું પેપર હતું. બધા જ પ્રશ્નોના જવાબ લખ્યા બાદ ઈશ્વર થોડો હળવો થયો.
આથી મનીષે પાછળથી તેની ખુરશી હલાવી અને કંઈક...

જીવન-પંથ
આચાર્ય શ્રીરામ શર્માએ પરિવાર માટે સરસ અભિપ્રાય આપતાં જણાવ્યું કે આજકાલ પરિવારો ઈચ્છાઓનું વટવૃક્ષ બની ગયા છે. તેમની વાતને થોડા આગળ વધીને આજની પરિસ્થિતિમાં વિચારીએ તો બધી જ પારિવારિક ગતિવિધિઓ વાસનાઓનો ફેલાવો બની ગઈ છે. ઇન્દ્રિયોના હિંચકા પર આખો પરિવાર ઝૂલી રહ્યો છે અને વધારે પડતા હિંચકા ખાવાના કારણે ચક્કર આવી રહ્યા છે, તબિયત બગડી રહી છે. તેનું નામ જ બેચેની,...

જીવન દર્શન
સામાન્ય રીતે ભગવાન પાસે થતી આપણી પ્રાર્થના સુખોપભોગ પૂરતી સીમિત હોય છે, પરંતુ સેન્ટ ફ્રાન્સિસે પ્રભુને કરેલી પ્રાર્થનામાં ભગવાનને કહ્યું, પ્રભુ! મને તમારી શાંતિ માટેનાં સાધન બનાવો. આપણને કદી ભગવાનના સાધન બનવાનો વિચાર આવે છે? શાંતિ નિર્માણ થાય તે માટે હું નિમિત્ત બનું, પ્રયત્નશીલ બનું તેવો વિચાર આવે છે?
‘જયાં ધિક્કાર અને તિરસ્કારની લાગણી હોય ત્યાં...

એક રાજાને એ બાબતનું અભિમાન હતું કે તે પોતાના રાજયના બધા જ પ્રાણીઓનું ભરણપોષણ કરે છે. લોકો વિષ્ણુને જગતના પાલક ખોટા માને છે. ભગવાનને કોણે જોયા છે? વાસ્તવિકતા તો એ જ છે કે હું જ મારી પ્રજાનું પોષણ કરું છું. એક વખત એક યોગી તેના રાજયમાં આવ્યો અને નગરની બહાર એક ઝાડ નીચે આસન જમાવીને બેસી ગયો. ધીમે-ધીમે યોગી પ્રખ્યાત થઈ ગયો અને તેની પાસે લોકોની ભીડ થવા લાગી.
યોગીની ખ્યાતિ સાંભળીને...

સ્વર્ગ-નર્ક છે કે નહીં એ બાબતને લઈને બધા જ ધર્મોના આચાર્યોમાં મતભેદ રહ્યા છે અને અંતે લાંબી ચર્ચા બાદ એ નક્કી થયું છે કે જયાં સુખ છે ત્યાં સ્વર્ગ અને જયાં દુ:ખ છે ત્યાં નર્ક. બધાએ પોતપોતાના હિસાબે ભૂગોળ, ઘર, શરીર અને પોતાના અંદર સ્વર્ગ-નર્ક રાખીને પોતપોતાની રીતે તેની વ્યાખ્યા બનાવી છે. બધા જ લોકો સ્વર્ગ મેળવવા અને નર્કમાંથી બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સ્વર્ગને પરમાત્માનું રાજય...

જીવનમાં જે પણ કામ કરવામાં આવે તેને સમજી-વિચારીને અને નીતિથી કરવું જોઈએ. છેતરપિંડી, જુઠ્ઠાણું, કાવતરું, દબાણ વગેરે લાંબા સમય સુધી ટકતું નથી. જે લોકો અંગત સ્વાર્થ ખાતર ખોટી નીતિથીકામ કરે છે, પાછળથી તેમની યોગ્યતા પણ કપરા સમયે કામ લાગતી નથી.
કર્ણ પરશુરામ પાસેથી ધનુષ્ય વિધા શીખવા માગતા હતા. પરશુરામ ફક્ત બ્રાહ્મણોને જ શીખવાડતા હતા. કર્ણએ બ્રાહ્મણ યુવકનો વેશ ધારણ કરીને પરશુરામ...


નાણાંનો સંગ્રહ નુકસાનકારક છે તે અર્ધસત્ય છે, નાણાંનો દુરુપયોગ ખતરનાક છે, એ પૂરેપૂરું સત્ય છે. ફકીરીનો અર્થ ગરીબી નહીં, વૈરાગ હોય છે. નાણાં પણ ફકીરીનું ઘરેણું બની શકે છે, એ વાત મુસ્લિમ ફકીર દાઉદ તાઈએ સમજાવી છે. તેમને પોતાના પૂર્વજો પાસેથી વીસ દીનાર મળ્યા હતા. આ પૈતૃક સંપત્તિથી તેઓ આખી જિંદગી કામ ચલાવતા રહ્યા. તેમણે કયારેય કોઈની પાસેથી કશું લીધું નહીં કે માગ્યું નહીં. બીજા ફકીરોએ...

બેબાળપણના મિત્રો હતા. મોટા થયા બાદ બંનેએ સાથે મળીને વેપાર ચાલુ કર્યો. વેપાર વધતો ગયો. બંનેનો પ્રેમ અને મિત્રતા જોઈને દરેક જણ દંગ રહી જતા. બંનેનાં પરિવારોમાં પણ આવો જ ગાઢ સંબંધ હતો પરંતુ એક ઘટનાએ બંનેની મિત્રતાનો પાયો હલાવી નાખ્યો. થયું એમ કે એક ફેરિયો કેરીનો ભરેલો ટોપલો લઈને દુકાને આપી ગયો. દુકાને બેઠેલા મિત્રએ ટોપલો રાખી લીધો. થોડા સમય બાદ તે જમવા માટે ઘરે જવા નીકળ્યો. તેણે...

એક ફિલસૂફે વાંચ્યું -હકીકતમાં સુંદરતા જ વિશ્વની સૌથી મોટી હસ્તી છે. ભકિત, જ્ઞાન, કર્મ અને તપ વગેરે તો પરમાત્માને મેળવવાનો તુચ્છ માર્ગ છે. સાચો માર્ગ તો સુંદરતા જ છે. પહાડોની ગુફાઓ અને નદીઓના સંગમ પર સાધક પરમ તત્વ પ્રાપ્ત કરી શકે છે.
આ વાંચીને ફિલસૂફ સુંદરતાની શોધમાં નીકળી પડ્યો. તેનું ઘર રણમાં હતું. આથી તેને પોતાના ઘર પ્રત્યેનો લગાવ પણ રહ્યો નહીં. ઘણા સમય સુધી તે નદી-પર્વતોના...


આપણું બહારનું વ્યક્તિત્વ જે વાતોથી દિવ્ય અને ચમકદાર બને છે, તેનો સંબંધ મન સાથે છે. આપણે અંદરથી જેટલા પ્રકાશમાન રહીશું, બહાર તેટલા જ દિવ્ય દેખાઈશું. ઇસ્લામમાં કહેવાયું છે કે માણસનું હદય નૂરી (પ્રકાશમાન) છે, પરંતુ તેમાં જયારે દુનિયાનો પ્રેમ(રાગ) સમાઈ જાય છે, ત્યારે તેમાં અંધકાર છવાઈ જાય છે અને નૂર જતું રહે છે.
આ સમજદારી વ્યક્તિમાં હોવી જોઈએ કે તે કેટલો દુનિયાદારીમાં અને કેટલો...


પરમાત્માનું હંમેશાં સ્મરણ કરવું એ સારી વાત છે. જીવનમાં ઘણી વખત એવો પ્રસંગ આવે છે જયારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, પરંતુ જયારે આપણે પોતાની જાતને ભૂલી જઈએ છીએ ત્યારે વધુ જોખમ સર્જાય છે. પોતાની જાતને યાદ રાખવાનો અભ્યાસ સતત ચાલુ રાખવો જોઈએ.
જેવા આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ, કામ, ક્રોધ અને લોભ આપણી ઉપર કબજો જમાવી લે છે. પોતાની જાતને ભૂલી ગયેલો માણસ બેભાન જેવો હોય છે. દુર્ગુણો પણ...


એક નગરશેઠે એટલું ધન એકઠું કર્યું કે તેને ધન અને વૈભવથી જ વૈરાગ્ય પેદા થઈ ગયો. તેમણે વિચાર્યું કે હવે બાકી વધેલું જીવન ભગવાનના ઘ્યાનમાં પસાર કરું અને ગમે તે રીતે મુક્તિ મેળવી લઉ. આ વિચારીને તેમણે નગરના પ્રખ્યાત પંડિત જયરામને બોલાવ્યા અને જણાવ્યું કે ભાગવત કથા સાંભળવાની ઇચ્છા છે. પંડિતજીએ ભાગવત કથાનું મુહૂર્ત નક્કી કરી નાખ્યું.
સપ્તાહ અને કથાની સમાપ્તિ બાદ શેઠે પંડિતજીને...
![Charity[1]11](/2010/01/25/images/Charity[1]11_b.jpg)

આપણે જેટલા પોતાની સાથે રહી શકીશું તેટલા જ પરમાત્માની નજીક રહીશું. જયારે પણ આપણે નીચેના લોકોની વધુ નજીક જઈશું ત્યારે ઉપરવાળાથી દૂર થતા જઈશું. બીજા લોકો આપણા જીવનમાં વિચારો મારફતે પ્રવેશે છે. ઘ્યાન રાખીને જોશો તો આપણે જેટલું પણ વિચારીશું, જયારે પણ વિચારીશું, તેટલું ફકત બીજા અંગે જ વિચારતા હોઈશું. વિચારો બીજા સાથે જોડાઈને જ આવે છે.
એટલા માટે જ કહેવાયું છે કે પોતાની જાત સાથે...

સમ્રાટ પુષ્પમિત્રએ અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું હતું. પૂર્ણાહુતિ બાદ રાત્રે નત્યનું પણ આયોજન થયું. યજ્ઞ કરનારા બ્રહ્મર્ષિ પતંજલિએ પણ આ નત્ય-ઉત્સવમાં ભાગ લીધો. તેમની સાથે તેમનો શિષ્ય ચૈત્ર પણ હતો. આજ સુધી ચૈત્રએ ગુરુના મોઢેથી યોગ તથા સંયમના ઉપદેશો જ સાંભળ્યા હતા, પરંતુ આજે તે જ ગુરુ જાતે નત્યના ઉત્સવમાં ભાગ લઈ રહ્યા હતા.
આ જોઈને ચૈત્રના મનમાંથી ગુરુ પ્રત્યેનો શ્રદ્ધાભાવ...



કોઈ પણ કામને સફળતાના શિખર પર પહોંચાડવા માટેની તાકાત તે કામ કરવા માટે આપણા મનમાં જાગેલા ઉત્સાહમાં હોય છે. જો આપણે ઉત્સાહિત નથી તો જીતીને પણ હારી જવાના છીએ.
કર્ણની સાથે પણ આવું જ થયું હતું. મહાભારતના યુદ્ધમાં જયારે કર્ણને કૌરવોની સેનાનો સેનાપતિ બનાવાયો તો પાંડવોના શુભચિંતક રાજા શલ્યને તેમનો સારથિ બનાવી દેવાયો.
શલ્યને આ વાત ગમી નહીં. તેમણે જણાવ્યું કે તેઓ એક ક્ષત્રિય છે...




અત્યારે પણ કેટલાય લોકો માને છે કે અઘ્યાત્મ સાધનામાં દાંપત્ય સંકટરૂપ છે, ગૃહસ્થી અડચણરૂપ છે, પરિવાર વિધ્ન છે અને નારી તો નર્કનું દ્વાર છે. જે લોકો ભગવાન સુધી પહોંચવા માગે છે કે ભગવાનને પોતાના સુધી લાવવા માગે છે, તે એ સમજી લે કે એકાકી જીવનથી તો ભગવાને પોતાને પણ અળગા રાખ્યા છે.
ઈશ્વરના બધાં જ સ્વરૂપ લગભગ સપત્નીક છે. પછી પરિવાર તથા પત્ની અવરોધરૂપ કેવી રીતે બની શકે છે. અઘ્યાત્મએ...


લલ્લેશ્વરી કાશ્મીરી ભાષાની પ્રથમ કવિયત્રી થઈ ગઈ. તેઓ ભગવાન શિવની પરમ ભક્ત હતી. શિવની ભકિતમાં બધું જ ભૂલીને તેઓ ગલીએ-ગલીએ એક પાગલની જેમ ફરતી રહેતી હતી. સંસારી લોકો તેના ભકિતભાવને સમજી શકતા ન હતા અને તેને ગાંડી સમજીને હેરાન કરતા હતા.
આ બધાની ચિંતા કર્યા વગર તે તો ભગવાનના ઘ્યાનમાં જ મસ્ત રહેતી હતી. એક વખત કેટલાક છોકરાઓ તેને કંઈક વધારે જ હેરાન કરી રહ્યા હતા, પરંતુ તે તો પહેલાંની...

ધર્મને સામાન્ય રીતે કર્મ સાથે જોડી દેવાયો છે. તમે શું કરતા દેખાઈ રહ્યા છો તેનાથી તમારું ધાર્મિક હોવાનું નક્કી થાય છે. આપણી જીવનશૈલી, પૂજાપદ્ધતિ, રહેણી-કરણીથી આપણે કોઈ ધર્મ વિશેષ સાથે જોડાઈ જતા હોઈએ છીએ, ઊડા ઊતરીએ તો જાણ થશે કે ધર્મનો સંબંધ કર્મથી નહીં, પરંતુ હોવા સાથે હોય છે. આપણે શું કરીએ છીએ તેના કરતાં વધુ મહત્વનું આપણે શું છીએ તે હોય છે. તે કરવા કરતાં અસ્તિત્વ સાથે વધુ જોડાયેલું...

જીવન દર્શન: સ્વર્ગીય શેષણ્ણા મહાન વીણાવાદક હતા. જયારે પણ શેષણ્ણાથી પૂછવામાં આવતું કે આટલી મધુર વીણા તેઓ કેવી રીતે વગાડી લે છે, તેમનો જવાબ રહેતો કે હું કયાં વીણા વગાડી શકું છે, ખાલી તારોને સ્પર્શ કરી લઉ છું અને હું એકલો જ નહીં, બધા જ તારને હલાવે છે. અમે બધા જ વીણાવાદક પોતાની શકિત અને ક્ષમતાને અનુરૂપ જ વીણા વગાડીએ છીએ.
જે વીણાની ક્ષમતા અનુસાર વીણા વગાડી શકે, એવો કલાકાર હજુ સુધી...

જીવન-પંથ: વીતેલ વર્ષ અને આવી રહેલા નવા વર્ષની મોડી રાત્રીના ધૂમધડાકાના સમયે સંયોગવશાત્ હું મુંબઈ મહાનગરમાં હતો. નવા વર્ષની ખુશીમાં ઉપરથી માંડીને નીચે સુધી ડૂબેલા એક નવયુવાન સાથે મારી મુલાકાત થઈ. તે મહોત્સવના મૂડમાં હતો. મેં તેને પૂછ્યું કે આ બધામાંથી શું મળ્યું ? જવાબ આપવાના બદલે તેણે મને વળતો સવાલ પૂછ્યો, તમને કથા-સત્સંગમાંથી શું મળે છે ?
તેણે સંપૂર્ણ એકાગ્રતા સાથે મારો...

એક ગધેડો ઘાસના મેદાનમાં લીલું-લીલું નરમ ઘાસ ચરી રહ્યો હતો. ચરતાં ચરતાં તેણે અચાનક માથું ઊચું કર્યું તો સામેથી એક વાઘને તેના તરફ આવતા જોયો. તેના અને વાઘ વચ્ચે રહેલા અંતરને જોતાં ગધેડાને સમજાઈ ગયું કે હવે જીવ બચાવીને નાસી છૂટવું અશકય છે. કેમ કે વાઘ એક છલાંગમાં જ તેનું કામ પૂરું કરી દે તેમ હતું. હવે શું કરવું?
ગધેડાએ વિચાર્યું કે હવે જયારે મોત નક્કી જ છે તો અમસ્તાં જ જીવ ગુમાવવા...

આપણે દુનિયાભરનો હિસાબ રાખવામાં પાવરધા હોઈએ છીએ, પાઈ-પાઈનો હિસાબ રાખતા હોઈએ છીએ. પરંતુ શું કયારેય આપણી ઇચ્છાઓનો હિસાબ રાખ્યો છે? ના. કયારેક તેનું એકાઉન્ટિંગ પણ કરવું જોઈએ. જયારે પણ તમે તમારી ઇચ્છાને મમળાવશો, તમારી મુલાકાત તમારા મન સાથે થઈ જશે. આપણા મનને એ પસંદ નથી કે કોઈ આવી રીતે ઇરછા પર નજર રાખવાનું કામ કરે.‘મારી મરજી’ એ મનનો નારો હોય છે.
મન પોતાની આ ગુંજને કેટલાય લોકોના...

જો કોઈ માણસને સમજવો હોય તો સૌથી પહેલા એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કે તેના અંદર શું ચિંતન ચાલી રહ્યું છે. તેના અંદરના સ્તરને જાણીને જ તેની સમજને બદલી શકાય છે. આ પ્રયોગમાં હનુમાનજી મહારાજ ઘણા કાબેલ હતા.
સ્વામી વિવેકાનંદ હનુમાનના ભક્ત હતા અને આવો જ પ્રયોગ તેમણે વિદેશ જઈને પોતાના ભાષણમાં કર્યો હતો. સુંદરકાંડની એક પંક્તિ બહુ ચર્ચિત છે. હનુમાનજીએ ભર્યા દરબારમાં રાવણને જણાવ્યું...
![illumination-of-humanity[1]1](/2010/01/13/images/illumination-of-humanity[1]1_b.jpg)

આંખો ફકત જોવાનું જ કામ નથી કરતી, તે બોલે પણ છે. એવું કહેવાય છે કે કેટલાક લોકો આંખોથી જીભનું કામ લેતા હોય છે. તે આંખો જ બોલી શકે છે, જેમની પાસે થોડા ઘણા આંસુ બચ્યાં હોય છે. અઘ્યાત્મમાં આંખોની ભીનાશનું વધુ મહત્વ છે.
વર્તમાન જીવનશૈલીમાં એ વિચારી શકાય નહીં કે આંખોમાં પાણી કઈ જગ્યાએથી આવે છે. વર્તમાનમાં આપણે મોટા ભાગનો સમય બુદ્ધિથી સંચાલિત થઈ રહ્યા છીએ, આથી આપણો સંપૂર્ણ ચહેરો સક્રિય...




![ants[1]1](/2009/12/30/images/ants[1]1_b.jpg)
![health_care_plan[1]1](/2009/12/30/images/health_care_plan[1]1_b.jpg)

![decision[1]1](/2009/12/29/images/decision[1]1_b.jpg)
પરમાત્માએ જાહેરાત કરી કે તેમણે એક, બે, ત્રણ, ચાર અને તેનાથી પણ વધુ પગવાળા અને પગ વગરના જીવોનું નિર્માણ કર્યું છે, પરંતુ મનુષ્ય તેમને સૌથી વધુ પ્રિય છે કેમ કે તેનામાં બુદ્ધિ હોય છે અને તે બુદ્ધિમાં એ સંભાવના રહેલી છે કે તે પરમાત્માને ઓળખી શકે છે.
તેનું એક ઉદાહરણ અવધૂત દત્તાત્રેય અને રાજા યદુ વચ્ચેનો સંવાદ છે. દત્તાત્રેયએ રાજાને જણાવ્યું હતું કે, તેમણે પોતાની બુદ્ધિથી ઘણા બધા...




Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








