આ ભ્રષ્ટ આચરણ છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંગિઠત રાષ્ટ્ર સાથે વિશ્વાસઘાત થયો છે. ભ્રષ્ટાચાર ડામવા માટે મજબૂત લોકપાલ બિલ લાવવાનું વચન કરી રહેલા સાંસદો પથભ્રષ્ટ થઈ ગયા છે. લોકલાગણીને નર્મિમતાથી ભાવહીન કરી દેવાનો આ પ્રયાસ થયો છે. આ ભ્રષ્ટ આચરણ છે. સરકારના બેવડાં ચરિત્રનું આચરણ છે. વિપક્ષોની વિચારશૂન્યતાનું પણ આ આચરણ છે. આ એવા સાંસદોનું ભ્રષ્ટ આચરણ છે,...
ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરના સેલફોર્ડ વિસ્તારમાં ભારતીય વિદ્યાર્થી અનુજ બિડવેની હત્યાનું કારણ વંશીય હોવાની સંભાવનાનો બ્રિટિશ પોલીસે ઇનકાર કર્યો નથી. જોકે આ કાંડમાં અનેક ધરપકડ થઈ છે, છતાં પણ હત્યાના હેતુ બાબતે અટકળો ચાલી રહી છે. અસ્પષ્ટતા અને અસમંજસની આ સ્થિતિમાં ત્યાં રહેતા ભારતીય સમુદાયની ચિંતા વધવી સ્વાભાવિક છે.
લેન્કેસ્ટર...
સરકારી વિભાગો, બેન્કો અને જાહેર કચેરીઓમાં ભ્રષ્ટાચારનો ખુલાસો જોખમ ભરેલો ન રહે તેને માટે સરકારે એક અસરકારક પગલું ભર્યું છે. જેને લોકસભાએ મંજૂરીની મહોર મારી દીધી છે. લોકપાલ બિલના હોબાળામાં આ મહત્વનું પગલું સામાન્ય ચર્ચામાં ક્યાંય દબાઈને રહી ગયું છે. ‘વ્હિસલબ્લોઅર્સ સુરક્ષા ખરડો-૨૦૧૧’ કાયદાનું સ્વરૂપ લીધા બાદ એવા લોકો માટે એક મજબૂત કવચ બની...
મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનની ૧૨૫મી જયંતી દેશમાં ગણિતના નીચે જઈ રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરવાનો અવસર બની છે, જે અફસોસની વાત છે. અત્યંત ગરીબીમાં જીવતા અને યુનિવર્સિટીનું શિક્ષણ મેળવ્યા વગર રામાનુજને ગણિતમાં સંશોધનના નવા વિક્રમો બનાવ્યા હતા. તેમની પરંપરા આગળ વધી નથી એ વાત પણ એટલી જ સાચી છે. વડાપ્રધાન મનમોહનસિંહે આ બાબતે ધ્યાન દોર્યું છે કે,...