
ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ એવી ઉર્દુ કહેવત પાકિસ્તાનમાં પ્રચલિત છે, પણ ૨૧મી સદીમાં ખુદા જ્યારે લે લેતા હૈ તબ સબ કપડે ફાડ કર આદમી કો નંગા ભી કર દેતા હૈ. પાકિસ્તાની ક્રિકેટરોનાં લૂગડાં ખુદાએ ઉતારી લીધાં છે. જોકે ઇન્ડિયન-પ્રીમિયર-ક્રિકેટ લીગના અધિષ્ઠાતા અને ક્રિકેટરો માટેના દેવતા લલિતકુમાર મોદીને છેલ્લાં ત્રણ ત્રણ વર્ષથી ખુદાએ છપ્પર ફાડીને આપ્યું છે.
ભારતનાં...



સ્ત્રીને એક વાર સત્તાની ડ્રાઇવિંગ સીટ પર બેસાડી તો જુઓ! કેવાં ગિયર બદલી જાણે છે!
હિલા દિવસની સંઘ્યાએ ઇંગ્લેંડની હોકી ટીમ સામે ભારતના પુરુષ હોકીવીરો હારી ગયા ત્યારે તે જ દિવસે મહિલાઓની ‘વલ્ર્ડ કપ ટ્વેન્ટી ચેમ્પિયનશિપ’ ક્રિકેટમાં ભારતની મહિલા ટીમે ઇંગ્લેંડની મહિલા ક્રિકેટ ટીમને હરાવી દીધી હતી. સુલક્ષણા નાયકે ૩૪ રન કર્યા તેમાં છ ચોગ્ગા હતા. સરકારી રીતે મહિલા દિવસ ઊજવાય...

આપણી સરકારો અને નેતાઓ પ્રજાને ખડતલ બનાવવા સામુદાયિક રીતે કંઈ કરતા નથી
જર્મનો હોકી અને ફૂટબોલ તેમજ ઓલિમ્પિક્સની રમતોમાં વિશ્વયુદ્ધ પહેલાં ઘણા પાછળ રહી ગયા હતા. બધી સ્પોર્ટ્સ કલબો મિલિટરી તાકાતને વધારવા યુવાનોને યુદ્ધને મોરચે મોકલતી હતી. પણ પછી જર્મનીમાં ઉધોગો વઘ્યા. વિજ્ઞાન વિકસ્યું, સંગીતમાં જર્મનો માહેર બન્યા પણ સ્પોર્ટ્સનું શું? જર્મન સરકારે એક સ્વતંત્ર ઓથોરિટી...



હોકીમાં ભારતે પાકને ધૂળચાટતું કર્યું એ દિવસની રાહ હોકીપ્રેમીઓ જમાનાથી જોતા હતા
કવિ કાલિદાસે ‘અભિજ્ઞાન શાંકુતલ’માં એક સરસ વાત કરી છે. માણસ તેના સુખ માટે પીડા ન ભોગવે ત્યાં સુધી એને સાચું સુખ મળતું નથી. એ સુખની કમિંત સમજાતી નથી. કાલિદાસે ક્યા સંદર્ભમાં કહ્યું હોય તે ભગવાન જાણે, પણ રવિવારે હોળીના દિવસે ભારતે વર્લ્ડકપ હોકીની ઊઘડતી મેચમાં દિલ્હીના ઘ્યાનચંદ સ્ટેડિયમમાં...

પંચતંત્રનું એક મૂલ્યવાન સૂત્ર છે- તમે પુણ્ય કરો, તેના જેવો કોઈ ખજાનો નથી, સંતોષ એ મોટી સંપત્તિ છે. ચારિત્ર્ય જેવું કોઈ મૂલ્યવાન રત્ન નથી પણ આરોગ્ય વગર આ બધું જ નકામું છે. માનવીએ આરોગ્યને ભોગે કંઈ જ કરવું ન જોઈએ. આ સૂત્ર આજે ૨૧મી સદીમાં વધુ કામનું છે.
અંગ્રેજીમાં પણ આવું જ સૂત્ર છે અને વધુમાં કહ્યું છે કે જમાનો બદલાય તેમ આરોગ્યમય જીવનના નિયમો બદલાય છે. તેને અનુરૂપ સાદું- સાત્વિક...



![coke-vs-pepsi[1]1](/2010/02/24/images/coke-vs-pepsi[1]1_b.jpg)
માતા બનવામાં શ્રીમંત કરતાં ગરીબ સ્ત્રીઓ પર ભગવાન વધુ મહેરબાન
હૃદયનું પણ એક સામ્રાજ્ય હોય છે. એ બાબતમાં સ્ત્રી હૃદયની સમ્રાજ્ઞી છે, પણ જ્યારે સ્ત્રી માતા બને ત્યારે જ તેના હૃદયની વિશાળતા વધે છે. મેડમ ફિલિસ જીનલી નામની લેખિકાએ પોતે સ્ત્રી તરીકે જન્મી તેનું ગૌરવ જાહેર કરીને કહેલું કે ધ માઇન્ડ ઓફ વુમન ટુ ગિવ બર્થ ટુ એ ચાઇલ્ડ ઈઝ ધ શોર્ટ કટ ટુ ઓમ્નાસિયન્સ અર્થાત્ માતા થવું એટલે...



પ્રેમ વિશેનું મૂળભૂત સત્ય સમજવા સેક્સની પવિત્રતા સ્વીકારવી જોઈએ
તારીખ સહિત કહી શકું કે તે દિવસે ‘ભગવાન’ રજનીશે મુંબઈ શહેરના ભારતીય વિધાલયમાં પ્રથમ વાર સાડીવાળી ગુજરાતણો અને ધોતિયાવાળા ગુજરાતીઓ સમક્ષ ઉઘાડેછોગ સેક્સની વાતો પ્રથમ વાર કરી. ૨૮-૮-૧૯૬૮ના રોજ ૧૦૦૦ શ્રોતાને રજનીશે કહ્યું કે ‘પ્રાયમલ એનર્જી ઓફ સેક્સ હેઝ ધ રિફલેક્શન ઓફ ગોડ ઈન ઈટ.’ જો તમારે પ્રેમ વિશેનું...

હૃદય આનંદિત થાય છે, બેહોશ બને છે, તૂટી પણ જાય છે ને ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે
ઓસ્કાર વાઇલ્ડ જેવા સાહિત્યકાર લગ્નમાં દાઝયા હશે એટલે તેણે જાહેર કરી દીધું ‘માણસે સતત સતત પ્રેમ કરતા રહેવું જોઈએ... અને એટલે જ માણસે લગ્ન કરવા જોઈએ નહીં. લગ્ન કર્યાં એટલે પ્રેમ વરાળ થઈ જાય. હૃદયને બદલે બુદ્ધિ-વ્યવહાર બુદ્ધિની બોલબાલા થાય.’ હૃદય વિશે અને પ્રેમનું ઊડું સંશોધન કરનારી લેખિકા લૂઈઝા...

મહારાષ્ટ્રની પોલીસ કોને માટે? પ્રજાને માટે કે શાહરુખ ખાનની ફિલ્મને માટે?
બેન્જામિન ડિઝરાયેલીએ કહેલું કે સમાજમાં અમુક વિરોધ કરનારનું બળ હોવું જ જોઈએ. આંદોલન, પ્રોટેસ્ટ, રિબેલિયન અને ડિસ્સેન્ટ (ભિન્ન મત રાખવો) આ બધું તંદુરસ્ત સમાજ માટે જરૂરી છે, પરંતુ થોમસ ફુલરે કહેલું કે પ્રમાણભાન વગરનો અને લોજિક વગરનો પ્રોટેસ્ટ ખોટાં બળોને ઉત્તેજન આપે છે. મુંબઈ શહેરમાં ૧૨મી ફેબ્રુઆરી...

પ્રેમની અનુભૂતિ-અભિવ્યક્તિ માત્ર વેલેન્ટાઇન-ડેએ જ નહીં હર પળ હોય છે
ડો.એરિક ફ્રોમે ‘ધ આર્ટ ઓફ લિવિંગ’ નામની નામજપની માળાના મણકા જેટલી ૧૦૮ પાનાની પ્રેમની કળા શીખવતી પુસ્તિકા લખી છે, તે આધુનિક યુવક-યુવતી માટે પ્રેમની ગીતા જેવી છે. લેખકે આ પુસ્તકની પ્રસ્તાવનામાં જ ચેતવણી લખી છે કે પ્રેમ કરવાનો જો તમે ‘પ્રયાસ’ કરો તો તમામ પ્રયાસ નિષ્ફળ જશે, પણ પ્રેમ કયારે સફળ થશે તે તરત...

પાકિસ્તાની ક્રિકેટરો પ્રત્યેનો શાહરુખ ખાનનો પ્રેમ વખોડવાલાયક
‘ગજબ હૈ કિ દિલ મેં તો રખ્ખો કુદુરત (ધિક્કાર) કરો મુંહપે હમ સે સફાઈ કી બાતેં’ -ઉર્દૂ કવિ શાહ જફરે અમુક દુશ્મનો જે સદાય દુશ્મન જ રહેવાના છે તેના વિશે આ શાયરી લખી છે. પાકિસ્તાનને આ શાયરી લાગુ પડે છે.એ પેદા થયું ત્યારથી જ હિન્દુસ્તાન પ્રત્યે સતત ધિક્કાર રાખતું રહ્યું છે. ભારત જેમ જેમ દોસ્તીનો હાથ લંબાવતું ગયું છે...

ભૂતકાળની કડવાશ ભુલાઈ ગઈ છતાં બહારના લોકો ગોધરા નામથી ચમકે છે
આરબ લોકોમાં એક કહેવત છે કે તમારા ઉપર હજારો મહેણાં કે શાપ હોય તે તમારા ઝભ્ભાને ફાડી શકતું નથી. માર્ક ટ્વેને કહ્યું કે તમે ભલે ભૂતકાળની કડવાશને યાદ કર્યા કરો પણ તે કડવાશ કે વેરઝેર તમે તમારી સાથે સ્મશાનમાં નહીં લઈ જઈ શકો. વેરઝેર ભૂલવામાં જ ભલાઈ છે. ગોધરામાં અયોઘ્યાથી આવતી ટ્રેન પર હિંસા થઈ પછી વળતી હિંસા અમદાવાદમાં થઈ....


પિંગલાની બેવફાઈથી ભર્તુહરિ બાવા બન્યા તેવું થાય તો આજે દુનિયા આખી બાવાથી ભરાઈ જાય!
ગામડામાં ૭૫ વર્ષ પહેલાં રાજા ભતૃર્હરિની ભવાઈ ભજવાતી હતી ત્યારે અમે તેને રાજા ભરથરી કહેતા અને તેની રાણી પિંગલાએ બેવફાઈ કરીને રાજાએ રાણીને આપેલું અમર ફળ તેનાં પ્રેમીને આપ્યું તે જાણી રાજા ભરથરીને ‘વૈરાગ’ આવી ગયો અને પછી અમે ગીત જોડતાં કે ‘ભેખડે ભરાણો રાજા ભરથરી.’
જો આજના...

ટીઆરપી વધારવા ટીવી ચેનલો વચ્ચે જાતભાતના પ્રસારણોની જામેલી સ્પર્ધા
મુસ્લિમોના પવિત્ર મક્કામાં જ બહુમાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ બાંધવાની હતી પણ ૪૫ વર્ષ પહેલાં અને આજેય મક્કામાં યુરોપ કે અમેરિકાના લોકો કે ઇજનેરો પ્રવેશી શકતા નથી. ફ્રેંચ અને જર્મન ઇજનેરો તો હોટેલ બાંધવા માટે જરૂરી હતા. એક તોડ કઢાયો. મક્કામાં આરબો કામ કરે તે દ્દશ્ય ટીવી કેમેરા દ્વારા મક્કા બહાર બેઠેલા...

ફૂડ બાયોટેક્નોલોજીની કંપનીઓ કંઈ ધર્માદો કરવા ભારતમાં આવી નથી
અમારે ગામડેથી કોઈ શહેરમાં જઈને બગડેલી ટેવો લઈને આવે ત્યારે તેને માટે કહેવાતું કે તેનો ‘નોર’ બગડી ગયો છે. ‘નોર’ એટલે નૂર. નૂર એટલે તેજ, પ્રકાશ,શક્તિ,મોજ, તેજસ્વિતા, ખુદાનું નૂર, ઈશ્વરી તેજ, આંખનું નૂર અને ‘રે ચશ્મ, રે દીદા’ (દીદાર). આજે બાવળ કે લીમડાનાં દાતણ કે મીઠું અને તલનું તેલ દાંતે ઘસવાને બદલે યુવાન...

મોનસાન્ટો મેહિકો આવાં બિયારણથી રોજ રૂ. એક કરોડનો તગડો નફો કરે છે
ભેંસને ઘણી વખત શિંગડાનો ભાર લાગે છે તેમ આપણી ડેમોક્રસીની ભેંસને આજે ભ્રષ્ટાચારરૂપી શિંગડાનો ભાર લાગે છે. મોનસાન્ટો નામની મિલ્ટનેશનલ બિયારણ કંપની આજે દેશની ખેતીવાડીના જુદા જુદા પાકના બિયારણોની મોનોપોલી લેવા ભારત પર ખાબકી છે. તેમાં કેન્દ્ર સરકારના પ્રધાનોનો પૂરેપૂરો સહકાર છે. પંજાબ યુનિ.ની કુમારી દીપિકા...

માનવીની સમસ્યાઓ માનવીએ જ પેદા કરી છે અને તે માનવી જ ઉકેલી શકે
જહોન એફ.કેનેડીએ અમેરિકન યુનિવર્સિટીમાં પ્રદૂષણ અને ખાસ કરીને સિમેન્ટ પ્લાન્ટના પ્રદૂષણ વિશે ભાષણ કર્યું ત્યારે કહેલું કે માનવીની સમસ્યાઓ માનવીએ જ પેદા કરી છે અને તે માત્ર માનવી જ ઉકેલી શકે. મહુવા (સૌરાષ્ટ્ર) નજીકના સમુદ્ર કાંઠે નિરમા-સાબુવાળા જંગી સિમેન્ટ પ્લાન્ટ નાખી રહ્યા છે.
તેના ઉપર ગુજરાત સરકારની...

અંગ્રેજી-ગુજરાતી માઘ્યમનું ભૂત કોણ જાણે ફરીથી ધૂણવા માંડ્યું છે. વ્યવહારુ રીતે પુરવાર થઈ ગયું છે અને ગુજરાતી માબાપો મોડે મોડે જાગ્યા છે એટલે ડાહ્યા થઈ બાળકોને અંગ્રેજી માઘ્યમમાં ભણાવીને ગ્લોબલાઇઝેશન માટે તૈયાર કરે છે.
હું ગુજરાતીમાં જ લખું છું. ગુજરાતીમાં જ વિચારું છું. બન્ને બાજુ ઢોલકી વગાડીને હું ગુજરાતી માઘ્યમની વકીલાત કરવાને બદલે એ કામ દરેક માબાપ કે દાદા-દાદીને...

‘અમેરિકા એક બદતમીઝ દેશ છે... અને પૃથ્વી પરના બીજાં રાજયો માટે મોસ્ટ ડેન્જરસ છે.’ આ પ્રકારનું વિધાન મારું નથી પણ અમેરિકાના પ્રતિષ્ઠિત ડૉ.વર્નોન કોલમનનું છે અને તે ૫૦ દેશોમાં ફરીને અમેરિકાએ કયાં કયાં બદમાશી કરીને દરેક દેશને યુદ્ધમાં સપડાવ્યા છે તેનાં પુસ્તકો લખ્યાં છે.
તેનું ૨૨ ભાષામાં ભાષાંતર થયું છે. તેણે પત્રકાર થવા ડોકટરી છોડી દીધી છે. અમેરિકાની બદતમીઝી એ વાતમાં છે...

શાયર અકબરે આપણને બધાને ૨૧મી સદીમાં સંભળાવવા સરસ શાયરી લખી છે: ‘આઝાદ સે ધર્મકા ગીરફતાર અચ્છા શરમિંદા હો દિલ મેં જો ગુનહગાર અચ્છા.’ આપણને અંગ્રેજોએ આઝાદ કર્યા પણ મોટે ભાગે આપણો જે ખરો ધર્મ છે એમાંથીય હરાયા ઢોર જેવા ‘આઝાદ’ થઈ ગયા છીએ.
દરેક જમાનામાં સમજદાર માનવનો ‘ધર્મ’(ફરજ)બદલાતા જાય છે, પરંતુ આપણે એ ધર્મ બજાવતા નથી અને એ ધર્મ ન બજાવવા માટે શરમ પણ અનુભવતા નથી. દૂધની...

કૌવત બતાવનારને બોનસ અને ઢસરડાપ્રસાદને પાણીચું પણ મળે!
મેથ્યુઝ નામના એક ગુરુએ કહેલું, ‘જો માણસ ધંધામાં એકલો એકલો નફો કરે અને નફો કરવામાં તેનો આત્મા ગુમાવે તો તેના નફાનો શો અર્થ છે? માનવ, તો જ સાચો બિઝનેસ ગણાય જો તે તેના ધંધામાં કર્મચારીઓને સુખી રાખી સહભાગીદાર બનાવે.’ મેથ્યુઝની શીખનું પાલન સૌથી સારું અમેરિકાની ૧૪૦ વર્ષ જૂની ગોલ્ડમેન સાક્સની કંપની કરે છે.
ગોલ્ડમેન...

વધતી જિંદગીએ વધતા જાતીય ભડકાને વયના ભેદ કદી નડતા નથી. શાહરુખ ખાન સફેદ વાળ સાથે અને ૫૦ની ઉપરની વય સાથે એક તેની ઉમરની ‘વૃદ્ધા’ સાથે પ્રેમ કરતો ટીવીની જા.ખ.માં બતાવાય છે. શું પચાસ કે સાઠની ઉંમરનો પુરુષ કે સ્ત્રી રોમાન્સ ન કરી શકે? અમેરિકામાં ડો.જોએલ ડી. બ્લોકે એક પુસ્તક પ્રગટ કર્યું છે. તેનું નામ જ સૂચક છે ‘સેક્સ ઓવર ફિફટી.’ લેખક કહે છે કે સેક્સ કે રોમાન્સને વય સાથે સંબંધ નથી, કારણ...





માણસને ગરીબી-બેકારી જ નહીં,ધનિકો-સત્તાધીશો પણ ગુનેગાર બનાવે છે
રોબર્ટ એફ કેનેડી નામના પ્રમુખ કેનેડીના ભાઈએ ૧૯૬૪માં કહેલું કે દરેક સમાજને તેના પોતાના જ ચારિત્ર્ય જેવા ક્રિમિનલો મળે છે અને દરેક સમાજને તે લાયક હોય છે તેવા પોલીસ મળે છે. અમદાવાદ શહેર થોડુંક ભાગ્યશાળી છે. ત્યાં પોલીસ સ્ટેશનમાં કે ટ્રાફિક પોલીસમાં એકવડિયા બાંધાના પોલીસો દેખાય છે પણ મુંબઈમાં પોલીસો ઠેરઠેર...

સાબુ લગાડયા વગર, હાથ કે ખરબચડા પથ્થરથી સ્નાન કરવાથી ચામડીનાં છિદ્રો ખૂલી જાય છે
માનવી ગંગાસ્નાન કરે કે નર્મદામાં સ્નાન કરે કે બાથરૂમમાં ‘હર હર ગંગે’ કહીને સ્નાન કરે ત્યારે તે જાણતો નથી કે આ બ્રહ્માંડનાં પાંચ તત્ત્વોમાંથી જે ઉત્તમ ઔષધ છે તે જળતત્ત્વની સાથે સંગમ કરે છે. ફાન્સના નાટકલેખક અને ફિલસૂફ જિન જીરાદોકસનું નામ તમે બહુ ઓછું સાંભળ્યું છે, પણ તેણે ગંગા જોઈ....

જીવનમાં પરમશાંતિ અને નિર્વાણ પામવા કુંભમેળાનું મહાત્મ્ય અકબંધ છેમહાન કવિ ટીએસ ઇલિયટે નદી વિશે અતિ ઉચ્ચ વાત કરેલી, ‘હું ઈશ્વર વિશે બહુ જાણતો નથી પણ જ્યારે હું કોઈ નદી વિશે વિચારું છું ત્યારે મને એક અતિ વિરાટ બ્રાઉન કે બ્લૂ કલરનો વહેતો ઈશ્વર ભાસે છે.’ પિશ્ચમના કવિએ જો આવી વાત કહી હોય તો સંક્રાંતને દિવસે ગંગા કે બીજી નદીઓના ઘાટે ભારતના શ્રદ્ધાળુ ડૂબકી મારવા જાય અને એ કુંભમેળા...
![kumbhmela-allahabad[1]1](/2010/01/13/images/kumbhmela-allahabad[1]1_b.jpg)

થોમસ જેફરસન નામના અમેરિકન રાજપુરુષે ૨૭-૧૨-૧૭૯૬ના તેની સતત ટીકા કરનારા મિત્રને લખેલું કે ‘લેવા-દેવા વગરની ટીકા કરો તે પીડા આપે છે તે સાચું, પરંતુ સાવ ખોટેખોટાં વખાણ કરો એ તો તેનાથી વધુ પીડાદાયી છે. કોઈ પણ વ્યકિતનાં વખાણ કરતી વખતે ઘ્યાન રાખો કે સોનું અને હીરાની કિંમત તેની તંગી થકી જ હોય છે. ચારેકોર સોનું સસ્તું મળે તો તેની કોઈ કિંમત રહેતી નથી તેવી રીતે જ કોઈ રાજપુરુષનાં વખાણ...

એકવીસમી સદીનો યુરોપ-અમેરિકાનો વેપારી માત્ર ચીજો જ વેચતો નથી, પણ તે ચીજો સાથે સાથે નફો કરવા તેના આત્માને પણ વેચી દે છે. આ વિધાન જૂનું છે, જે એરિક ફ્રોમ નામના ફિલસૂફે કહ્યું છે. આજે ઠંડા પીણાં, જંકફૂડ જેવી ચીજોમાં ભરપૂર હાનિકારક રસાયણો, કત્રિમ કલર, પ્રિઝર્વેટિવ્ઝ વગેરે નાખ્યાં હોય છે.
આપણે એક આંખ ઉઘાડનારો દાખલો પ્રબુદ્ધ માસિક ‘ડાઉન ટુ અર્થ’માંથી લઈએ, તેમાં લખ્યું છે કે...

સેક્સ-એડિકશન: કામવાસનાનું પણ એક જબરું વ્યસન હોય છે!
અમેરિકામાં જુગારનું વ્યસન, લોટરી લેવાનું વ્યસન, દારૂનું વ્યસન એ જૂના વ્યસનો હતાં. નવું વ્યસન ઇન્ટરનેટ-એડિકશન આવ્યું છે. અમેરિકાના ૩૦ ટકા ટિનેજરોને ઇન્ટરનેટનું વ્યસન છે પણ નારાયણદત્ત તિવારી અને તે પહેલાં ગોલ્ફ ચેમ્પિયન ટાઇગરવુડની સેકસી લાઇફના ગોળા ઊડયા ત્યારે સેક્સ એડિકશનનો પ્રશ્ન આવ્યો હતો.
આપણે માટે સેક્સ...

ટિનેજર્સમાં આપઘાતનું વધેલું પ્રમાણ: ડિપ્રેશન કે લાગણીઓના આઘાત?
૨૧મી સદીના કેટલાંય બાળકો માટે બચપણ એક ચેલેન્જિંગ સમય છે. સ્કૂલમાં પ્રવેશ, રમતગમતમાં સ્કૂલની ટીમમાં પસંદગી, પરીક્ષામાં ઊચા માર્ક લાવવા, મા-બાપ કારકિર્દીમાં બહાર કામ કરતાં હોય પછી ઘરે ઝઘડતાં હોય તેમજ આખરે ઇન્ટરનેટ અને બીજા સાધનોની વિપુલતા સાથે બચપણમાં હતાશાના ચાન્સ વઘ્યા છે. તાજેતરમાં એક સાથે ૪-૫ ટિનેજરોએ...

સુપ્રીમ કોર્ટે હોમોસેકસુઅલ સંબંધનો ગુનો માનવા અંગેના કેસમાં સરકારને નોટિસ મોકલી છે. હવે કદાચ સુપ્રીમ કોર્ટ પણ હોમોસેકસ અને લેસ્બિયન સંબંધોને કાનૂની છૂટ આપશે.
હજી તો ભારતમાં અમેરિકાને પગલે ઘણુંબધું થવાનું છે. ટિનેજરો હવે જાણી ગયા છે (જે નહોતા જાણતા) કે હવે છોકરી બીજી છોકરીને પ્રેમ કરી શકશે. છૂટ મળી છે તો જે છોકરાને કોઈ હોમો પાર્ટનરની જરૂર નહીં હોય તે પણ બીજો છોકરો શોધશે....

ઈસુના બેસતા વર્ષે એક સૂત્ર યાદ રાખવા જેવું છે. બહુ જ મોઢે થયેલું સૂત્ર છે-મન: એવમ્ મનુષ્યાણામ્ કારણ બંધન મોક્ષયો: ૨૧મી સદીમાં આ સૂત્ર આપણે કાંઈ કોઈ આઘ્યાત્મિક કક્ષાના મોક્ષ માટે નહીં પણ આપણા માથે ચઢી ગયેલા રોગોને સારા કરવામાં ઉપયોગી થશે તે આપણું મન જ હશે.
ભારતના ફિલસૂફ જે.કૃષ્ણમૂર્તિ પશ્ચિમના ઋષિ અલાન વોટસ અને મહાન અમેરિકન પત્રકાર ફિલોસોફર ડો.જહોન સેલ્બી માનવના રોગો માટે...

જિંદગીમાં જલસા કરો પણ સૌપ્રથમ તમારા શરીરને સાચવો, પછી મનને સ્થિર કરોજેમ મધુ અથવા તો હની એ ફૂલનો અર્ક છે-એસેન્સ છે તેમ માનવીનો આનંદ ત્રણ વાતમાં સમાયેલો છે. માનવીની અબળખા, ગુણ અને સંપત્તિ એ ત્રણ ચીજો ભેગી થાય તેનાથી તેને આનંદ મળે છે. આ ત્રણેય ચીજો સાથે સાથે સંયુકત રીતે આવવી જોઈએ, પરંતુ જે માનવી માત્ર ગુણની પાછળ જ મંડ્યો રહે કે તેની વાસના અગર અબળખા કે ઇચ્છાઓ પૂરી કરવા જ મંડયો રહે, તેમજ...

તમારો ૨૫ ટકા ખોરાક જ તમને જિવાડે છે, બાકીનો ડોક્ટરને કરોડપતિ બનાવે છેઆધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિપોક્રેટસે ૨૫૦૦ વર્ષ પહેલાં સાદી કહેવત કહેલી, ‘લેટ ફૂડ બી યોર મેડિસિન એન્ડ મેડિસિન યોર ફૂડ.’ આહારને જ ઔષધરૂપ બનાવો. સૂક્ષ્મ પ્રમાણમાં પેટ ઊણું રાખીને ચાવી ચાવીને મૂંગા મોંઢે ચુસ્ત જૈનોની જેમ ખાઓ. ઇજિપ્તની એક જૂની કબર ઉપર શિલાલેખ વાંચવા મળ્યો. તેમાં લખેલું કે તમે જે ખાઓ છો...





![global-warming2[1]1](/2009/12/24/images/global-warming2[1]1_b.jpg)

જગતભરમાં દેહવ્યાપારનો જાલિમ વ્યાપ : ઘણી સરકારો જ એને ઉત્તેજન આપે છે
માનવીને સેક્સની જે લાગણી કે અદમ્ય ઇચ્છા થાય છે તેમાં માનવી અને કુદરત વરચે સંઘર્ષ થાય છે. કુદરતનો હેતુ સેકસનો ઉપયોગ સૃષ્ટિમાં પ્રજાનિર્માણ પૂરતો કરવાનો છે જ્યારે માનવીનો હેતુ તેમાંથી મહત્તમ આનંદ મેળવવાનો છે. ટોલસ્ટોયે તેની નવલકથા ‘ધ ક્રૂટઝર સોનાટા’માં સેક્સની વાત ચર્ચી છે...
માનવી જેમ આગળ વધે છે...



ભગવાન બુદ્ધે ઉપદેશમાં કહેલું કે ‘હે માનવ! તારી ભૂખ સંતોષવા પૂરતું ખાજે અને તરસ છિપાવવા પીજે. પતંગિયું ફૂલોનો રસ ચૂસે છે પણ ફૂલ અને છોડને હાનિ પહોંચાડતું નથી. આજે ૨૧મી સદીનો માનવ શું કરે છે? તેને અનેક જાતના સ્વાદિષ્ટ ભોજન લેવાં છે. વગર ભૂખે ખાવું છે.
તરસ લાગે તો પાણીને બદલે બોટલના રસાયણોવાળાં પીણાં પીવા છે અને સાથે સાથે લાંબું જીવવાનો પણ અભરખો છે! આ અભરખો ભારત અને અમેરિકામાં...

એક કવિએ પ્રેમ અંગે કહેલું કે ‘યહ પ્રેમ કો પંથ કરાલ મહા, તરવાર કી ધાર પૈ ધાવનૌ (દોડવું) હૈ.’ અહીં પ્રેમને બદલે ‘લગ્નમાં વફાદારી’ શબ્દ મૂકવો જોઈએ કે આડોસંબંધ શબ્દ મૂકવો જોઈએ. પત્ની કરતાં વધુ સુંવાળો સંબંધ મળે કે પતિ કરતાં વધુ સ્માર્ટ કે સેકસી પુરુષ ગમે અને સ્ત્રી સંબંધ બાંધે ત્યારે તલવારની ધાર નહીં પણ ઘણી વખત છૂટાછેડા અને મોત સામે ધસવા જેવી હાલત થાય છે, પરંતુ પત્ની જો...


![sugar[1]](/2009/12/13/images/sugar[1]_b.jpg)

આરબ દેશો અને દુબઈની સમૃદ્ધિએ ગરીબ દેશોનું યૌવનધન લૂંટીને ચૂંથ્યું છે
અર્થશાસ્ત્રીઓમાં લોર્ડ કેઇન્સથી માંડીને ફિલોસોફર-લેખિકા ઈયાન રેન્ડ પણ મૂડીવાદનાં ભરપેટ વખાણ કરી કરીને મરી ગયા. મૂડીવાદ ભલે સારો હશે પણ આજે ૨૧મી સદીમાં તો નગ્ન-મૂડીવાદ આવ્યો છે. ઉપરાંત ‘જુગારિયો મૂડીવાદ’ જેને અંગ્રેજીમાં ‘કેસીનો કેપિટાલિઝમ’ કહે છે તેણે ભારતને અને જગતને ભરડો લીધો છે.
આજે...












પ્રમુખ બુશે અંગત રસ લઈને સિંગાપોરમાંથી ચ્યુંઇંગમ પરનો પ્રતિબંધ હટાવેલો
સિંગાપોરમાં કડક મિજાજના પૂર્વ વડાપ્રધાન લી કવાન યુએ જોયું કે ચ્યુંઇંગમ થકી ટ્રેનો, બસો, બજારો અને ઓફિસોમાં ગંદકી થાય છે, લોકો ઠેરઠેર ચ્યુંઇંગમ થૂંકે છે, એટલું જ નહીં સિંગાપોરમાં પાંચ અબજ ડોલરને ખર્ચે જે ‘માસ રેપિડ સિસ્ટમ’ની મેટ્રો ટ્રેન ચાલુ કરેલી તેના ઓટોમેટિક દરવાજા ખોટકાઈ જતા હતા, કારણ કે...

દરેક કસોટીનો એક જ ઇલાજ છે ધીરજની સાથે સાથે તમામ ઊર્જા એકઠી કરીને સમસ્યા સામે લડવું
ધીરજ પણ મોટો ગુણ છે. ગુરુવાર,૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં શ્રીલંકાના બેટ્સમેનો આપણા ક્રિકેટરોની એનર્જી અને બોલિંગની કસોટી કરી રહ્યા હતા. ત્યારે કદાચ અમુક ખેલાડીઓ ખૂબ ધીરજ રાખતા હતા. બાજી ખોઈ બેઠેલા ધોની તો ખાસ ધીરજવાન હતો, પણ સ્ટેડિયમમાં બેઠાં બેઠાં કે ઘરે એસીમાં બેઠાં...





કોઈ પત્રકાર, લેખક, કવિ, કલાકાર કે રાજકારણના રસિયો હોય તેની કીર્તિના કોઈ વખાણ કરે ત્યારે તેણે ફૂલાવાને બદલે પોતાના ઉપર દયા ખાવી જોઈએ. ક્રિકેટરથી માંડીને ફિલ્મસ્ટાર અને અન્ય તમામ કીર્તિમંતોને તમને ખબર ન પડે તેમ કીર્તિનો ભાર લાગે છે. આપણે અંગ્રેજ કવિ મેથ્યુ આર્નોલ્ડની એક કવિતાને યાદ કરીએ:
Thou art a living man no moreEmpedocles!Nothing but a devouringFlame of thoughtsBut a naked eternally restless mind!આ કાવ્યપંક્તિ ૨૪૯૯ વર્ષ પહેલાં થઈ ગયેલા...







અરબી ભાષામાં એક કહેવત છે : આજે તમે આગ જુઓ છો, કાલે ત્યાં રાખ હશે. આ કહેવત યુરોપ-અમેરિકાને લાગુ પડે છે. એ તમામ દેશોનાં અર્થતંત્રો તેજીની આગમાં તેજોમય હતાં. આજે ત્યાં મંદી આવી છે. અમેરિકામાં અને યુરોપમાં ૨૩૦ વર્ષ પહેલાં મંદી હતી ત્યારે સાહિત્યકાર થોમસ પેઈનીએ કહેલું : ‘જમાનો એટલો ખરાબ આવ્યો છે કે માનવના આત્માની કસોટી કરે છે’ એ દ્દષ્ટિએ ૨૧મી સદીમાં યુરોપ-અમેરિકાએ આત્મા વેચી...



કોથમીર-લીંબુંના ભાવ ઘણા ઊચે ગયા છે, છતાંય કોઈ પણ ભાવે આ બે કુદરતી ચીજો વાપરવી જ રહીમહર્ષિ અરવિંદના તામિલનાડુના ઓરોવીલ્લે ગામના આશ્રમમાંથી મૂળ નવસારીના ડો. બીના નાયક આજુબાજુનાં ૩૦ ગામડાંમાં જઈ ગ્રામજનોને આયુર્વેદ વત્તા સાદી એલોપથીની દવા આપે છે. અત્યારે તે વોશિંગ્ટનમાં જયોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પીએચ. ડી.નું ભણે છે. તેમના કહેવા પ્રમાણે સ્વાઇન ફ્લૂ માટે ભારતમાં તો સસ્તો...



બર્નાર્ડ શોએ કહેલું આ જિંદગી એક રોગ છે. એક માણસ અને બીજામાં એ ફેર છે કે એક માનવી રોગ સાથે જીવે છે કે પોતે જ રોગને વકરાવે છે અને બીજો રોગ પારખીને છેવટે આઘ્યાત્મિક ઇલાજ કરે છે. દિવાળીની રજા પછીનાં અખબારો આવ્યાં, તેમાં દરેકમાં પર્યાવરણની માથાકૂટ હતી, પરંતુ માનવીનું આંતરિક પર્યાવરણ તો સાવ વંઠી ગયું છે, તે કોઈ જોતું નથી.
સુધરેલી પેઢી યજ્ઞોમાં માનતી નથી. ગાયત્રી યજ્ઞમાં સમિધ હોમાય...

અંગ્રેજ કવિ બેકને લખેલું કે બળવામાં જૂના લાકડાં ઉત્તમ આગ આપે છે. જૂની શરાબ અચ્છો નશો આપે છે તે રીતે પુરાણા અને પ્રાચીન ગ્રંથોનું જ્ઞાન ઉત્તમ છે. પુરાણા ઉપનિષદમાં એક સૂત્ર છે- રસો વૈસ: આ સૂત્ર અમે બચપણથી સાંભળતા પણ આજે મારે ગાજર અને ઘઉના જવારાના ભૌતિક રસ વિશે લખવું છે ત્યારે સંસ્કૃત સૂત્રનો અર્થ સમજવા પુણે વિરાજિત દંડીસ્વામી દત્ત યોગેશ્વરને પૂછ્યું. તેમણે કહ્યું કે રસો વૈસ: એ...

કોઈ પણ ઝઘડામાં છેવટે વકીલો કમાય છે, સામાન્ય માનવીએ એક જ સાદી વાત સમજવાની છે કે કંકાસનું મોં કાળું
અમેરિકન પ્રમુખ થોમસ જેફરસને ૧૭૯૮માં બીજા રાજપુરુષ જહોન ટેલરને પત્ર લખીને જણાવેલું કે બેચાર માણસોનું મંડળ થાય ત્યારે કંકાસ કર્યા વગર રહે તેવું હજી સુધી બન્યું નથી. મોટાં રાષ્ટ્રોથી માંડીને કે નાનાં ગામડાંની પંચાયતની મીટિંગમાં કે ટી-હાઉસમાંય કંકાસ વગરની બેઠક થતી નથી. એમ...



Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








