જ્ઞાનેદ્રએ તોડી સદીયો પુરાણી પરંપરા
નેપાળમાં રાજાશાહીનો અંત આવ્યાના બે વર્ષ બાદ પૂર્વ નરેશ જ્ઞાનેદ્રએ સદીયો પુરાણી એ પરંપરાને તોડી પાડી, જેનો અત્યાર સુધી નેપાળનો દરેક શાહી પરિવાર ચૂસ્તપણે પાલન કરતો આવ્યો છે.
કોઈપણ પ્રકારની યાત્રા કરવા પહેલા તેમજ કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવા પહેલા ડજનો જ્યોતિષિયોની સલાહ લેનાર જ્ઞાનેદ્ર સોમવારે પનૌટી ગયા અને ત્યા મકર મેળામાં ભાગ લીધો. નેપાળના શાહી પરિવારના ઈતિહાસમાં આ પ્રથમ ક્ષણ હતી કે કોઈ નરેશે આ મેળામાં જાતે આવીને ભાગ લીધો હોય.
પૂર્વમાં નેપાળના આ શાહી કુટુંમ્બના લોકો આ મેળામાં નથી આવતા. પનૌટી હિન્દુ દેવતા નારાયણનું સૌથી મોટુ કેન્દ્ર માનવામાં આવે છે. તેમજ નેપાળી રાજઘરાણાના નરેશોને નારાયણના અવતારના રૂપમાં માનવામાં આવતા રહ્યા છે. સદીયો પુરાણી આ પરંપરાને તોડવા પર જ્ઞાનેદ્રને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું આ મેળામાં સામાન્ય નાગરિકના રૂપમાં આવ્યો છું. તેમણે અત્રે આવીને એક જૂના મંદિરના રિનોવેશન માટે બે લાખ રૂપિયા દાન પણ આપ્યા.










