ભારતને નં-1 રાખવા BCCI મરણિયું બન્યુ?
નાગપુર ખાતેની પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારત હારવાની અણી પર છે ત્યારે બીસીસીઆઈ ભારતને ટેસ્ટ રેન્કિંગમાં નંબર એક પર ટકાવી રાખવા માટે મરણિયું બન્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રિકેટ એસોશિયેશન ઓફ બેંગાલને બીજી ટેસ્ટ માટે ટર્નિંગ વિકેટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.
પરંતુ ઈડન ગાર્ડન્સના ક્યુરેટર પ્રબિર મુખરજી તેમના કાર્યક્ષેત્રમાં કોઈ પણ જાતના ફેરફાર કરવા દેશે નહીં. તેમણે આવું કંઈ પણ પરિવર્તન કરવાની ના પાડી દીધી છે.
જો ભારત નાગપુર ખાતેની પ્રથમ ટેસ્ટ હારશે તો નંબર એક ટેસ્ટ ટીમ બની રહેવા માટે ભારતને બીજી ટેસ્ટ મેચ જીતવી જ પડશે.











