આતંકી હુમલામાં પોલીસ જવાનનું મોત
કાશ્મીરના બારામુલા જિલ્લામાં સોપોર પોલિસ સ્ટેશન પર આતંકવાદીઓએ મંગળવારે સવારે હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ જવાન શહીદ થયો હતો.
ડીઆઈજી અબ્દુલ કયુમ મન્હાસે જણાવ્યું કે હવાલદાર મોહમ્મદ યૂસુફ સવારે પોણા અગ્યાર વાગે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરી રહ્યો હતો. ત્યારે જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. ગોળી વાગવાના કારણે યૂસુફનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મન્હાસે જણાવ્યું કે જવાબી કાર્યવાહીમાં જવાનોએ આતંકવાદીઓ પર કરેલા ગોળીબારથી આતંકવાદીઓ ભાગી છૂટ્યા હતાં. તેમજ તેમને શોધીકાઢવા ઘણા પ્રયત્નો કરાયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા જ આતંકવાદીઓએ કસ્બામાં એક પોલીસ અધિકારી સહીત બે લોકોની હત્યા કરી દીધી હતી.










