દિલ્હી હાઇકોર્ટે એન. ડી. તિવારીને સમય આપ્યો
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ એન. ડી. તિવારીને દિલ્હી હાઇકોર્ટમાંથી રાહત મળી છે. પિતૃત્વના પરીક્ષણના કેસમાં નવીદિલ્હી હાઇકોર્ટે એન. ડી. તિવારનીને જવાબ આપવા માટે વધુ એક સપ્તાહનો સમય આપ્યો છે.
ગઇકાલે જવાબ આપવામાં નિષ્ફળ રહેનારા એન. ડી. તિવારીને મુખ્ય ન્યયાધીશ એ. પી. શાહની અધ્યક્ષતા વાળી ખંડપીઠે એક સપ્તાહનો સમય આપ્યો છે. આ અંગે વધુ સુનાવણી 11 માર્ચે હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, રોહિત શેખર નામના 30 વર્ષીય યુવકનો દાવો છેકે, તે એન. ડી. તિવારીનો પુત્ર છે. શેખરના કહેવા પ્રમાણે તેની માતા ઉજ્જવલા શર્મા અને એન. ડી. તિવારીના સંબંધો થકી તેનો જન્મ થયો છે.
એન. ડી. તિવારીની ફાઇલ તસ્વીર










