કાંગારૂ ખેલાડીઓ આનંદો, શિવસેનાથી કોઈ ડર નહીં
ઈન્ડિયન પ્રિમિયર લીગ-3માં ઓસ્ટ્રેલિનય ખેલાડીઓને લઈને શિવસેનાએ ઉભા કરેલા વિવાદને ખતમ કરવા કેન્દ્રીય મંત્રી શરદ પવાર અને બીસીસીઆઈ વડા શશાંક મનોહર શિવ સેના સુપ્રિમો બાલ ઠાકરેને મળ્યા હતા.
આ મુલાકાતના એક દિવસ બાદ બાલ ઠાકરેએ તેમણે આપેલી ધમકીને પાછી લઈ લીધી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી શાહરૂખ ખાને કરેલા પાકિસ્તાની ખેલાડીઓના સમર્થનને લઈને શિવસેના કિંગખાનની પાછળ પડી ગઈ હતી.
પરંતુ જ્યારે આ વિવાદ શાંત થઈ ગયો ત્યારે શાહરૂખ નહીં પરંતુ પવારે બાલ ઠાકરેના ઘરે જઈને આઈપીએલ માટેનો રસ્તો સાફ કરી દીધો હતો.
-- વાંચો :- * ઓસી. ખેલાડીઓને IPLમાં રમવા દેવા BCCIની ઠાકરેને વિનંતી
* નવા નિયમો ઘડી IPLએ મીડિયાની મુશ્કેલીઓ વધારી
પવાર અને મનોહરે સેના સુપ્રિમોને વિનંતી કરી હતી કે તેઓ આઈપીએલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને લક્ષ્ય ના બનાવે. મનોહરે જણાવ્યું હતું કે અમે તેમને વિનંતી કરી હતી કે તેઓ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને રમવાની મંજૂરી આપે અને ઠાકરેએ તેમને તે અંગે વિચાર કરવાની ખાતરી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સેના સુપ્રિમોએ તેમના સમર્થકોને આઈપીએલ દરમિયાન વિરોધ ના કરવાનું જણાવ્યું હતું. બે કલાક ચાલેલી મિટિંગ ઠાકરેના ઈગોને પીગળાવી દેવા માટે પૂરતી હતી.
જો કે આઈપીએલને ટેકો આપવા માટે પવાર અને બીસીસીઆઈના વડાએ ઠાકરે સાથે કરેલી મુલાકાતથી ઘણી સવાલો ઉભા થયા હતા. જો કે આ પહેલા ગૃહમંત્રી ચિદમ્બરમ પણ આઈપીએલને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી ચૂક્યા હતા છતા બીસીસીઆઈએ ઠાકરે સામે નમવાની શું જરૂર હતી? તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
.











