કરણ જોહર મુંબઈ પોલીસ વડાને મળ્યા
શિવસેના અને શાહરૂખ ખાન વચ્ચેનો વિવાદ તો શાંત થઈ ગયો છે. પરંતુ આ શુક્રવારે પ્રદર્શિત થનારી કિંગ ખાનની ફિલ્મ માઈ નેમ ઈઝ ખાનને લઈને મુશ્કેલીઓ હજી પણ ઉભી જ છે.
આ ફિલ્મના ડ્રિસ્ટ્રીબ્યુટર, ફોક્સ સર્ચલાઈટ આજે મુંબઈના પોલીસ કમિશ્નરન અને મલ્ટિપ્લેક્સ માલિકોને મળ્યા હતા. તેમની સાથે ફિલ્મના ડિરેક્ટર કરન જોહર પણ હાજર રહ્યા હતા.
આ પાછળનું કારણ તે હતું કે મુંબઈના સિનેમાઘરોએ હજી સુધી ફિલ્મની એક પણ ટિકિટ વહેંચી નથી અને તેનું એડવાન્સ બુકિંગ પણ થયું નથી. શિવસેનાએ સિનેમાઘર માલિકોને આ ફિલ્મને પ્રદર્શિત નહીં કરવાની ધમકી આપી હતી.
આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશ્નરે કરણ જોહરને ફિલ્મ પ્રદર્શન દરમિયાન સુરક્ષાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આઈપીએલને લઈને પાકિસ્તાની ખેલાડીઓના કિંગ ખાને કરેલા સમર્થન બદલ શિવસેના કિંગ ખાન પર રોષે ભરાઈ હતી.










