સલ્લુની અપીલ, રાજકારણીઓ આર્ટથી દૂર રહે
તાજેતરમાં જ શિવસેના અને શાહરૂખ ખાન વચ્ચેનો વિવાદ શાંત થયો છે. પરંતુ બોલિવૂડનો એક સુપર સ્ટાર છે કે જે માને છે કે વિવાદો સમાજનો કોઈ હેતુ સિદ્ધ થતો નથી.
આવું માનવું છે બોલિવૂડના મેચોમેન સલમાન ખાનનું કે જેણે શિવસેનાના વિરોધ સામે શાહરૂખ ખાનને ટેકો આપીને જણાવ્યું હતું કે શાહરૂખે કોઈની માફી માગવાની જરૂર નથી.
સલમાન ખાને જણાવ્યું હતું કે જે કંઈ પણ બન્યું તે ઘણું જ દુખદ છે. હું દ્રઢપણે માનું છું કે રમત અને મનોરંજનને રાજકારણથી દૂર રાખવું જોઈએ.
તેણે વધારેમાં જણાવ્યું હતું કે રાજકારણીઓ આર્ટથી દૂર રહે તે વધારે મહત્વનું છે.










