રાખીનો દાવો, લગ્ન તો સ્વયંવર દ્વારા જ
વિવાદોમાં જ માનનારી રાખી સાવંત કહ્યું છે કે તે સ્વયંવર દ્વારા જ લગ્ન કરશે. ગયા વર્ષે ટીવી પર સ્વયંવર યોજીને રાખીએ એનઆરઆઈ ઈલેશ સાથે સગાઈ કરી હતી.
જો કે આ સગાઈ લગ્નમાં પરિણમે તે પહેલા જ તેઓ અલગ થઈ ગયા હતા. જો કે રાખી સગાઈ તૂટવાથી જરા પણ નિરાશ થઈ નથી અને હવે તે બીજો સ્વયંવર યોજીને લગ્ન કરવા માંગે છે.
તેણે કહ્યું હતું કે, જો તે લગ્ન કરશે તો સ્વયંવર યોજીને જ લગ્ન કરશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તે સ્વયંવર ભાગ 2માં આવશે. તો આ અંગે તેણે કોઈ પણ જવાબ આપવાનો ઈનકાર કર્યો હતો. તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે, હાલમાં તે ખૂબ જ ખુશ છે.
આ દરમિયાન રાખી એક બિઝનેસવુમન બની છે. તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે.












