સીમી પરનો પ્રતિબંધ બે વર્ષ માટે લંબાવાયો
ગૃહ મંત્રાલયના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પ્રતિબંધ 7 ફેબ્રુઆરીથી બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ભારત ઉપરાંત અમેરિકાએ પણ સિમીને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે.
ગુપ્તચર તંત્રના અહેવાલ પ્રમાણે સિમીના કાર્યકર્તાઓ હવે, ઇન્ડિયન મુજાહિદ્દિનના નામ હેઠળ કામ કરે છે. અને આતંકવાદી ઘટનાઓને અંજામ આપે છે. અમદાવાદ તથા જયપુરના બોમ્બ ધડાકાઓમાં પણ તેમની સંડોવણી બહાર આવી હતી.
ઉલ્લેખનીય છેકે, સિમીના હોદેદારોએ સુપ્રીમ કોર્ટમાં પ્રતિબંધને પડકાર્યો હતો. પરંતુ તેમની અરજ ફગાવી દેવામાં આવી હતી. જ્યારે દિગ્વિજયસિંહે આઝમગઢ ખાતે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં માર્યા ગયેલા આતંકવાદીના ગામની મુલાકાત લીધી ત્યારે પણ ત્યાં હાજર પ્રતિનિધિઓએ સિમી પરથી પ્રતિબંધ ઉઠાવી લેવા માગ કરી હતી.










