3-1ની સરસાઈ મેળવવા પર ભારતની નજર
મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહની ગેરહાજરીથી ભારતીય ટીમની બેટિંગ લાઈન પર થોડી અસર જરૂર જોવા મળશે પરંતુ તેમાં હજુ પણ એટલો દમ છે કે ચોથી વન ડે મેચ જીતીને ભારત વન ડે સીરિઝમાં 3-1ની અજય સરસાઈ મેળવી શકે તેમ છે.
બે મેચના પ્રતિબંધના કારણે ધોની ટીમની બહાર છે, જ્યારે ઈજાના કારણે યુવરાજ વન ડે સીરિઝની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ પણ આ ચોથી મેચ જીતીને પણ 2-2ની સરસાઈ મેળવવાની ભરપૂર કોશિશ કરશે.
ભારત પાસે મજબુત બેટિંગ લાઈન છે. આમ છતા ઓપનરો સારી શરૂઆત અપાવે તે જરૂરી છે. કટ્ટકમાં સારૂ પ્રદર્શન કરનાર સચિન પાસે પણ આવી જ બેટિંગની આશા છે. બીજી તરફ ભારતીય બોલરોની પણ પરીક્ષા થશે. ભારતીય બોલરોનું પ્રથમ લક્ષ્ય દિલશાનના તોફાનને અટકાવવાનું રહેશે. થરંગા પણ હાલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
ભારતીય ટીમ-
વિરેન્દ્ર સેહવાગ, સચિન તેન્ડુલકર, ગૌતમ ગંભીર, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, વિરાટ કોહલી, હરભજન સિંહ, ઝહીર ખાન, પ્રવીણ કુમાર, આશિશ નહેરા, ઈશાંત શર્મા,સુદીપ ત્યાગી, પ્રજ્ઞાન ઓઝા.
* ટીમ ઈન્ડિયામાં ઈશાંતનું પુનરાગમન
* મહાન ટીમ જ વિકટ સ્થિતિમાં સફળ થાય છે
* ટીમ ઈન્ડિયાની અગ્નિપરીક્ષામાં ધોનીને રાહત
* જીત માટે કોચનો ગુરૂમંત્ર, ટીમ ઈન્ડિયા સેક્સ માણે!











