૩૧મીએ દારૂનું ટીપું પણ મળવું જોઈએ નહીં : પોલીસને સૂચના
૩૧મી ડિસેમ્બરની મઘ્યરાત્રીએ દારૂ પીને છાકટા બનતા લોકોને અટકાવવા માટે પોલીસે નાકાબંધી કરીને દારૂની હેરાફેરીના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. ઉરચ અધિકારીઓએ શહેરનાં તમામ પોલીસમથકોમાં પરિપત્ર પાઠવીને કડક સૂચના આપી છે કે ન્યૂ યર પાર્ટીઓ માટે શહેરમાં દારૂનું એક ટીપું પણ મળવું ન જોઈએ.
સંયુકત પોલીસ કમિશનર સતીશ શર્માએ પરિપત્રમાં પરપ્રાંતમાંથી દારૂ લાવતા બુટલેગરો, હેરાફેરી કરનારાઓ રીઢા આરોપીઓ પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. શહેરના છેવાડે આવેલા ફાર્મ હાઉસો, કલબો અને હોટેલોમાં દારૂની પાર્ટીઓનું આયોજન થતું હોવાથી અત્યારથી જ શહેરમાં આવેલાં આવાં શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ શરૂ કરી દેવા પણ તાકીદ કરાઈ છે.
.










