ટીમ ઈન્ડિયામાં ઈશાંતનું પુનરાગમન
શ્રીલંકા સામેની આગામી બે નવ ડે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. ઝડપી બોલર ઈશાંત શર્માનું ટીમ ઈન્ડિયામાં પુનરાગમન થયું છે.
ધોની પર બે મેચનો પ્રતિબંધ લાગતા દિનેશ કાર્તિક આગામી બન્ને વન ડે મેચમાં વિકેટકીપિંગ કરશે. ધોનીની ગેરહાજરીમાં સેહવાગ સુકાનીપદ સંભાળશે.
ભારતીય ટીમ- વિરેન્દ્ર સેહવાગ, સચિન તેન્ડુલકર, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, વિરાટ કોહલી, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, ઝહીર ખાન, હરભજન સિંહ, આશિશ નેહરા, સુદીપ ત્યાગી, પ્રજ્ઞાન ઓઝા, પ્રવીણ કુમાર.










