ધોની પર પ્રતિબંધ, આગલી બે વનડે માટે બહાર
બીજી વનડે મેચમાં હાર્યા બાદ ટીમ ઇંડિયા માટે એક બીજા ખરાબ સમાચાર છે. ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આવનારી બે વનડે માટે બરતરફ કરવામાં આવ્યો છે.
ધોની પર આઇસીસી નિયમ 2.1 હેઠળ આ પગલું લેવામાં આવ્યું હતું જેમાં નિર્ધારિત સમયમાં 50 ઓવર નાંખવાની હોય છે. પરંતુ આમ કરવામાં નિષ્ફળ જનારા કપ્તાનને બે વન ડે મેચ ન રમી શકવાની સજા આપવામાં આવી હતી.
ટીમ ઇંડિયા માટે આગામી બે વનડે ધોનીના સ્થાને વિરેન્દ્ર સહેવાગ કેપ્ટનશીપ સંભાળશે. ભારત-શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી પાંચ વનડે મેચોની સીરિઝમાં હાલમાં બંને ટીમો 1-1 ની બરાબરી પર છે પરંતુ ધોનીના ન રમી શકવાને કારણે ટીમ ઇંડિયાની મુશ્કેલી વધી શકે છે.










