બાબરી વિધ્વંસનો અફસોસ નથી - ભાગવત
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે ચંદીગઢ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતુંકે, 17 વર્ષ પહેલા અયોધ્યામાં બાબરી વિધ્વંસ અંગે સંઘને કોઇ અફસોસ નથી. તેમણે ઉમેર્યું હતુંકે, રામ મંદિરના નિર્માણની ચળવળને આરએસએસનો ટેકો યથાવત રહેશે.
વિવાદાસ્પ ઢાંચો તોડવા અંગે તેમણે જણાવ્યું હતુંકે, ઢાંચોતોડવા પાછળ કોઇ ષડયંત્ર ન હતું. પરંતુ તે કારસેવકો એ સ્વેચ્છાએ લીધેલું પગલું હતું. ભાગવતના કહેવા પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નક્વી અને મુ્જ્જફર હુસૈને પણ કારસેવા કરી હતી.
ભાગવતના કહેવા પ્રમાણે સંઘને મુસ્લીમ કે કોઇ ચોક્કસ સમુદાય સાથે વેર નથી. પરંતુ સંઘ માટે ઇરાદાપૂર્વક ખોટો પ્રચાર કરવામાં આવે છે. જેથી કરીને તેની છબિ જાહેર જનતાના માનસમાં બગડે.
તેમણે ઉમેર્યું હુતુંકે, અન્ય સમુદાયોએ હિંદુઓની લાગણી સમજી ત્યાં રામ મંદિર બનાવવા આગળ આવવું જોઇએ.
.










