પ્રેમીઓ સંભાળજો કારણ કે...
તમારા પ્રેમને સાવચેતી પૂર્વક સાચવજો કારણ કે જો તેમા કંઈક ખોટું થાય છે ત્યારે ખુબ દુખ પહોંચાડે છે તેવું એક અમેરિકન વૈજ્ઞાનિકનું કહેવું છે. તેનું કહેવું છે કે જો તમે પ્રેમમાં હૃદય ભગ્ન થાવ છો તે તેમારી માટે એટલું જ કષ્ટદાયક છે જેટલો કષ્ટ શારિરીક ઈજા થયા પછી થાય છે.
લોસ એન્જલેસની કેલીફોર્નિયા યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકે ઉમેર્યું છે કે શારિરીક ઈજા અને સામાજિક અસ્વિકાર વચ્ચે જીનેટીક જોડાણ છે. તેમણે આ સંશોધન માટે એવા શરિરના જીનનો ઉપયોગ કર્યો હતો કે જે દરરોજ પેઈન કીલર લે છે. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે મનુષ્યનું શરિર જે રીતે શારિરીક ઈજા વખતે અનુભવે છે તેવું જ તે ઈમોશનલ ટ્રેસ વખતે પણ અનુભવે છે.
મનો વૈજ્ઞાનિકે કહ્યું હતું કે સામાજિક જોડાણમાં સુનિશ્ચિત થયેલ ભાગ ઈજાને સામાજિક જોડાણ સાથે મેઈન્ટેઈન કરવાનું કામ કરતો હોય છે. આવુંજ કંઈક મગજ સાથે થતું હોય છે. તે શારિરીક ઈજા થતાં જ સામાજીક અસ્વિકૃતિ અંગે મગજના એક ભાગને જાગૃત કરે છે. આપણને હર્ટ થયા હોવાની અનુભૂતિ કરાવે છે.
આ સંશોધન માટે તેમણે 122 લોકોનો ઉપયોગ કર્યો હતો. અને શારિરીક ઈજા અને હૃદય ભગ્ન થવા વચ્ચે શું સમાનતા છે તે અંગે રીસર્ચ કર્યું હતું.











