ઉર્જા મંત્રાલય ફાઈનાન્સ મંત્રાલયને મળશે
પાવર પ્રસારણ પર લગાવામાં આવતાં સર્વિસ ટેકસને નાબુદ કરવા માટે ઉર્જા સેક્રેટરી એચ. એસ. બ્રમ્હા ફાઈનાન્સ મંત્રાલયને મળશે. બ્રમ્હાના જાણાવ્યાં મુજબ જો ઉર્જા પ્રસારણ પર લગાવાતાં સર્વિસ ટેકસને નાબુદ કરાય તો ગ્રાહકોને ઓછા પૈસા ચુકવવા પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમણે અગાઉ પણ સર્વિસ ટેકસ નાબુદ કરવા અંગે ફાઈનાન્સ મંત્રાલયને વિનંતી કરી હતી પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિભાવ અમને મળ્યો ન હોતો.
હવે અમે ફરીથી આ માગ સાથે ફાઈનાન્સ મંત્રાલયમાં જઈશું. પાંચ રાજયોના સ્ટેટ પાવર સેક્રેટરીની બેઠકમાં આ રાજયોના ઉર્જા સેક્રેટરીઓએ ઉર્જામંત્રી સુશીલ કુમાર શિંદેને ફાઈનાન્સ મંત્રાલયને આ અંગે મળવા જણાવ્યું હતું.હાલમાં ઉર્જા કંપનીઓને ૧૨.૩૬ ટકાનો ચાર્જ ઉર્જા પ્રસારણ માટે અથ્પવો પડે છે. હાલમાં મોટાભાગના રાજયો આ સર્વીસ ટેકસ નાબુદ કરવાના હકમાં છે.










